ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. 26 જાન્યુઆરીના ભારત ધૂમધામથી પોતાના લોકશાહીનો તહેવાર મનાવશે. સમગ્ર દેશવાસીઓમાં 26 જાન્યુઆરીને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ દેશવાસિઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે. તેની સાથે જ તેઓ દેશના વિકાસ અને પ્રગતિ પર ખુશી વ્યક્ત કરશે. રાષ્ટ્રપતિ મુર્મૂ દેશવાસીઓને 26 જાન્યુઆરીના પાવન અવસરની શુભકામના આપશે.
આ વર્ષના ગણતંત્ર દિવસની થીમ આ છે
75માં ગણતંત્ર દિવસની થીમ વિકસિત ભારત અને ભારત-લોકતંત્રની માતૃકા રાખવામાં આવી છે. ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દિલ્હીમાં આવેલા કર્તવ્ય પથ પર ધ્વજારોહણ કરશે. જ્યારે, વડાપ્રધાન મોદી સવારે અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલી આપશે. આ સમારોહનું મુખ્ય આકર્ષણ એટલે કે પરેડનો સમય 10:30 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યાની વચ્ચે છે. પરેડનો રૂટ વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમની વચ્ચે છે જે 5 કિમીનો છે. મુખ્ય કાર્યક્રમ દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાશે.
- Advertisement -
કોણ છે મુખ્ય મહેમાન?
ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રોં 75માં ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય મહેમાન છે. પરેડમાં ફ્રાંસની 95 સભ્ય માર્ચિગ ટીમ અને 33 સભ્ય બેંડ દળ પણ પરેડ કરશે. ભારતીય વાયુ સેનાના વિમાનોની સાથે એક મલ્ટી રોલ ટેંકર ટ્રાન્સપોર્ટ વિમાન અને ફ્રાંસના વાયુસેનાના બે રાફેલ લડાકૂ જેટ પણ ફ્લાઇ-પાસ્ટમાં ભાગ લેશે. સુરક્ષા સચિવ ગિરિધર અરમાને જણાવ્યું કે, કર્તવ્ય પથ પર પરેડ જોવા માટે 77,000 સીટની ક્ષમતા છે. જેમાંથી સામાન્ય લોકો માટે 42,000 સીટની ટિકિટોના માધ્યમથી બુક કરવામાં આવી છે.
26 જાન્યુઆરીના કેમ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે?
ભારતીય ઇતિહાસમાં 26 જાન્યુઆરીના ઘણા મહત્વપૂર્ણ છે. 26 જાન્યુઆરી, 1950ના જ દિવસે આપણું બંધારણ લાગુ થયું હતું. આપણા બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહીના, 18 દિવસ લાગ્યા હતા. આઝાદી પછી 26 નવેમ્બર, 1949ના બંધારણ સભાએ બંધારણ અપનાવ્યું હતું પરંતુ આ આધિકૃત રૂપે 26 જાન્યુઆરી, 1950ના લાગુ કરવામાં આવ્યું હતું. જો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 26 જાન્યુઆરી, 1930ના દિવસે જ દેશને પૂર્ણ સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એવામાં આ દિવસને યાદગાર બનાવવા માટે 20 વર્ષ પછી એટલે કે 26 જાન્યુઆરી, 1950ના દિવસે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું.