સુપ્રીમકોર્ટે પીએફઆઈના પૂર્વ મહાસચિવને જામીન આપ્યા : આ જ તો સમસ્યા છે કે ભવિષ્યનો અપરાધ રોકવા કોઈને જેલમાં નાખી દેવા : જ્જ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સુપ્રીમકોર્ટે બુધવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના પુર્વ મહાસચીવ અબ્દુલ સતારને આરએસએસ કાર્યકર્તા શ્રીનિવાસનની હત્યા સાથે સંકળાયેલા કાવતરાના કેસમાં જામીન આપ્યા છે.
આ હત્યા સપ્ટેમ્બર 2022માં કેરળ હાઈકોર્ટ દ્વારા જામીનના ઈન્કાર કરાતા સુપ્રીમમાં અરજી કરાઈ હતી. જસ્ટીસ એ.એસ.ઓકોએ કહ્યું હતું કે કોઈની વિચારધારાના કારણે તેને જેલમાં નાખી ન શકાય. આ એક ચલણ બની ગયું છે કે જે લોકોની એક ખાસ વિચારધારા હોય છે. તેમને જેલમાં નાંખી દેવામાં આવે છે.
તપાસ એજન્સી એનઆઈએએ દલીલ કરી હતી કે, જો કે અબ્દુલ સતારનું હત્યાની મુખ્ય એફઆઈઆરમાં નામ નથી, તેમ છતાં તેમણે પીએફઆઈના મહાસચીવ તરીકે કેડરની ભરતી અને હથિયાર તાલીમ આયોજીત કરવાની ભૂમિકા ભજવી છે. તેમની સામે 71 જૂના કેસ બતાવવામાં આવ્યા. જયારે, સતારના વકીલે દલીલ કરી કે આ બધા 71 કેસ હડતાલ સાથે જોડાયેલી ઘટનાઓના છે. કેરળ હાઈકોર્ટે તેમને પીએફઆઈ મહાસચીવ હોવાના કારણે બધા કેસોમાં નામિત કરવાનો નિર્દેશ અપાયો હતો.
સતાર આ બધા કેસોમાં પહેલા પણ જામીન મેળવી ચૂકયા છે. જસ્ટીસ ઓકાએ સવાલ કર્યો હતો કે શું તે બધા વિરોધ પ્રદર્શનના કેસ હતા? એનઆઈએએ એમ પણ કહ્યું કે સતાર ‘ઈન્ડિયા 2047’ નામના એજન્ડા સાથે જોડાયેલા છે અને આગળ અપરાધ ન કરે તેના માટે તેમને કસ્ટડીમાં રાખવા જરૂરી છે. જસ્ટિસ ઓકોએ કહ્યું હતું કે આ જ સમસ્યા છે, આ વિચારમાં કે આપણે ભવિષ્યના અપરાધ રોકવા માટે કોઈને જેલમાં રાખશું, જયારે બેન્ચમાં હાજર જસ્ટીસ ભુઈયાએ કહ્યું હતું કે તો પછી કેસ ચલાવોને સજા આપો પણ કેસની પ્રક્રિયા જ સજા ન બને.