રાજકોટ રેન્જ ઈંૠ તરીકે જાંબાઝ ઈંઙજ ઓફિસર નિર્લિપ્ત રાયનું પોસ્ટિંગ
જેના માટે સિંઘમ શબ્દ પણ ટૂંકો પડે એવા પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાંથી દારૂ, જુગાર, સટ્ટા, વ્યાજખોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને ભોંભીતર કરી દેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જખઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નિર્લિપ્ત રાય જિગરજાબાંઝ પોલીસ અફસર છે. તેમના માટે ‘સિંઘમ’ શબ્દ પણ ટૂંકો પડે. આ એક એવા પોલીસ અફસર છે. જેને મન કાયદા સામે તમામ સમાન છે. તેમના માટે નવો દુહો ગાવો હોય તો આમ ગાઈ શકાય: જખઈમાંથી રાજકોટ આવતા ગુનેગાર થરથર થાય, નિર્લિપ્ત રાયના ‘રાજ’કોટમાં હર દિન પ્રજા હરખાય!
‘ખાસ-ખબર’ દ્વારા તહેકિકાત કરતા જાણવા મળ્યું કે નિર્લિપ્ત રાય ઊંડા જળની માછલી છે. અર્થાત: દેખાવે ચોકલેટી છે પણ સ્વભાવે લવિંગિયા મરચાં જેવા છે. રાજ્યના ભૂ.પૂ.ચીફ ચૂંટણી કમિશનર, ભૂ.પૂ ચીફ સેક્રેટરી અને 1977ની બેચનાં ઈંઅજ અફસર વરેશસિંહના તેઓ જમાઈ છે. નિર્લિપ્ત રાયના પત્ની ડોક્ટર છે. સાળી સાહેબ પણ સારા હોદ્દા પર છે.
- Advertisement -
નિર્લિપ્ત રાય ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો માટે મહાકાળ જેવા છે એટલાં જ તેઓ વ્યક્તિગત રીતે પ્રેમાળ સ્વભાવના છેનિર્લિપ્ત રાયમાં દેશદાઝનો ઓવરડોઝ સુનામીની જેમ એકાએક ફરી વળ્યો નથી, તેઓના ઉગઅની આજ તાસીર રહી છે: નિર્લિપ્ત રાયના ગ્રાન્ડ ફાધર દાદા શહીદ ભગતસિંહના ગુરુ હતા
નિર્લિપ્ત રાયમાં દેશદાઝનો ઓવરડોઝ સુનામીની જેમ એકાએક ફરી વળ્યો નથી. તેઓના ઉગઅની આજ તાસીર રહી છે. નિર્લિપ્ત રાયના ગ્રાન્ડ ફાધર દાદા શહીદ ભગતસિંહના ગુરુ હતા.
સામાન્ય રીતે પોલીસ વિભાગની એવી છાપ છે કે તેમાં કોઈ પ્રામાણિક હોતું નથી કે રહી શકતું નથી. કોન્સ્ટેબલથી માંડીને ઊચ્ચ અધિકારીઓ સુધી હપ્તાની ચેઈન જોડાયેલી હોય છે અને જે તેમાં ભળી શકતાં નથી તેવા કર્મચારીઓને ખૂબ જ સહન કરવું પડે છે. આવી સ્થિતિ વચ્ચે આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય અલગ જ તરી આવે છે.
મૂળ ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવારમાંથી આવનારા અને 2010થી બેન્ચના આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય પોલીસ સેવામાં જોડાયાં એ પહેલા તેઓ ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારી હતાં. એ પહેલા મૂળ તો તેઓ દિલ્લીની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતાં. આઈપીએસ અધિકારી તરીકે પોલીસ વિભાગમાં જોડાયાં પછી તેઓની પ્રથમ નિમણૂક હિંમતનગરમાં થઈ હતી જે એમનો પ્રોબેશનલ કાળ હતો. તો પછી તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાાં આવ્યાં હતાં. ત્યાંથી બઢતી મેળવીને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદમાં મૂકાયાં હતાં. આ રીતે ગુજરાત તેમની કર્મભૂમિ બની અને આજે તેઓ એક ગુજરાતીની જેમ જ ખૂબ જ સારી રીતે ગુજરાતી બોલી, વાંચી શકે છે.
નિર્લિપ્ત રાય ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો માટે મહાકાળ જેવા છે એટલા જ તેઓ વ્યક્તિગત રીતે પ્રેમાળ સ્વભાવના છે. તેઓ શ્ર્વાન પ્રિય છે. તેઓને કુદરતી સૌદર્યો ધરાવતા સ્થળોમાં ફરવું ગમે છે. પોરબંદરના સુખદેવસિંહ ઝાલા અને રાજકોટના ડી.સી.પી. સતીષ વર્માની યાદ અપાવતા નિર્લિપ્ત રાય (ઈંઙજ: 2010)ની સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ઉઈંૠઙ) તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર રેન્જમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે એ નિશ્ર્ચિત છે.
કુખ્યાત ગુનેગારો કાં તો રેન્જ છોડી દેશે અથવા જેલમાં જોવા મળશે
પ્રામાણિક પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જમાં આઇજી તરીકે જવાબદારી સોંપાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલમાં તેઓએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી સંભાળી છે. તેઓએ આ પૂર્વે રાજ્યમાં ચાલતા જુગાર, બાયોડિઝલ, દારૂ, સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ પર દરોડા પાડી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરી દીધા હતા. પોતાની નિશો અને તટસ્થ કામગીરી તેઓ રાજકોટ રેન્જમાં પણ ચાલુ રાખતા જિલ્લા-ગ્રામ્ય વિસ્તારના ગુંડાઓનું આવી બનશે. નિર્લિપ્ત રાય રાજકોટ આવતાની સાથે જ કુખ્યાત ગેંગના સાગરીતો અને ખુંખાર ગુનેગારો કા તો રેન્જ છોડી દેશે અથવા જેલમાં જોવા મળશે.
સ્થાનિક ચૂંટણી સમયે રાજકોટ રેન્જમાં નિમણૂંક સૂચક
કડક નિષ્ઠાવાન પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય હવે ઉત્તર સૌરાષ્ટ્રના વડા તરીકે જવાબદારી સંભાળશે. જેમાં રાજકોટ જિલ્લો, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. હાલમાં હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે ત્યારે આ કડક છાપ ધરાવતા અધિકારીની રાજકોટ રેન્જ તરીકે બદલી ખૂબ જ સૂચક છે.આજે જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણેખાંચરે દારૂ, જુગાર, લૂંટ, ખૂન, મારામારી, બળાત્કાર, ભૂમાફિયાગિરી જેવા ગુનાઓ આચરનારા બેલગામ બન્યા છે ત્યારે નિર્લિપ્ત રાયની નિમણૂંક ઘણી સૂચક હોવાનું માનવામાં આવે છે.
વર્ષો પૂર્વે લોધિકા પંથકમાંથી દારૂનું ગોડાઉન ઝડપી લેનાર IPS ચૈતન્ય મંડલીકની રાજકોટ JCP તરીકે નિમણૂંક
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 ઈંઙજ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાની સુરત ખાતે એડિશનલ સીપી તરીકે બદલી કરવામાં આવી છે તેમના સ્થાને 2011ની બેચના આઇપીએસ ચૈતન્ય મંડલીકની જેસીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે ચૈતન્ય મંડલીક સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે કારણકે વર્ષો પૂર્વે તેઓ પ્રોબેશનમાં હતા ત્યારે લોધીકા પંથકમાંથી દારૂનું મોટું ગોડાઉન ઝડપી પાડ્યું હતી હવે તેઓ રાજકોટ શહેરમાં જેસીપી તરીકે ફરજ નિભાવશે.



