40% બાળકો કુપોષણનો ભોગ બન્યા: ઈમરાને સત્ય સ્વીકાર્યું
ખાસ-ખબર સંવાદદાતા
આર્થિક બદહાલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આખરે સત્યનો સ્વીકાર કરી લીધો છે. ઈમરાન ખાને સ્વીકારી લીધુ કે હાલના સમયમાં દેશ સામે પેટ ભરવાનું પણ સંકટ છે. એક કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાધ સુરક્ષા પાકિસ્તાન માટે સૌથી મોટો પડકાર છે અને લોકોને ખોરાકની કમીથી બચાવવા માટે પગલાં લેવાની જરૂર છે.
પાકિસ્તાનના અખબાર ડોનના રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશમાં બાળકોના ઝડપથી કુપોષિત થવાની વાત પણ સ્વીકારી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં 40 ટકા બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ઈસ્લામાબાદમાં ખેડૂતોના એક સંમેલનને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે ખાધ સુરક્ષા રાષ્ટ્ર્રીય સુરક્ષા છે અને આ દિશામાં કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ સામે અનેક નવા પડકારો છે અને સૌથી મોટો પડકાર ખાધ સુરક્ષાનો છે.
ઈમરાન ખાને એ પણ કહ્યું કે ઝડપથી વધતી વસ્તીની જરિયાતને પૂરી કરવા માટે તૈયાર રહેવું જરૂરી છે. પીએમ ઈમરાન ખાને કહ્યું કે પૌષ્ટ્રિક આહાર ન મળવાના કારણે 40 ટકા બાળકોનું કદ વધી શકતું નથી અને ન તો તેમના મગજનો વિકાસ થઈ શકે છે. ખાધ સુરક્ષાને રાષ્ટ્ર સુરક્ષા ગણાવતા તેમણે કહ્યું કે શુદ્ધ દૂધની ઉપલબ્ધતા પણ બાળકોના વિકાસમાં એક મહત્વનો મુદ્દો છે.
- Advertisement -
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે જો દેશ આમ જ રહ્યો, જેવો અત્યારે છે તો ખાધ સુરક્ષા રાષ્ટ્ર્રીય સુરક્ષાનો મુદ્દો બની જશે. જો કોઈ દેશ પોતાના લોકોને સાં ભોજન ન આપી શકે તો તે કયારેય આગળ વધી શકતો નથી. તેમણે એટલે સુધી કહ્યું કે જે દેશ પોતાની જનતાને પૂરતો ખોરાક ન આપી શકે તેને સજા આપવી જોઈએ. હવે અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે પાકિસ્તાનના લોકોને પણ ખાવાના સાંસા પડી રહ્યા છે, એટલે કે પેટ ભરવામાં ઈમરાન સરકાર નિષ્ફળ ગઈ છે. તો શું તેઓ પોતાને જ સજા આપશે?