By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 week ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    1 week ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    10 hours ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    11 hours ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    11 hours ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    11 hours ago
    UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    13 hours ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 week ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    1 week ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાગીન, નાગલોક અને નાગપૂજા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નાગીન, નાગલોક અને નાગપૂજા
Author

નાગીન, નાગલોક અને નાગપૂજા

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 4:50 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

કોઈ દ્રઢ મનનો માણસ જેમ કોઈ બીજાના વિચારોથી પ્રભાવિત થતો નથી એમ આ તહેવાર કોઈ દેખાડા, ભપકા, વિધિ વિધાન, કર્મકાંડ કે બીજા દૂષણોથી ગ્રસિત થયો નથી એ નાગ દેવતાનો કે આપણામાં રહેલા પરચો ગણવો.

- Advertisement -

મહાભારતમાં નાગ લોકો યાદવો અને પાંડવો સાથે સંઘર્ષમાં ઉતરતા દેખાય છે. મહાભારતના આ નાગોની વાત પરથી બોલીવુડે નાગ નાગિનની રોચક વાર્તાઓ બનાવી કાઢી. નાગ સુંદર, વિદ્વાન, વેશપલટામાં કાબેલ, પ્રતિશોધ લેવા માટે તત્પર અને શિવભક્ત હોય છે એની ઉપરથી બોલીવુડે અનેક ફિલ્મો રચી.
એમાં વળી તાંત્રિક (યોગી) એ નાગ અને નાગણને વશ કરી શકે છે એવું પણ બતાવવામાં આવતું. વાસ્તવમાં તાંત્રિકો કોઈ નાગ કે નાગણીને કદી વશ નથી કરતા. તાંત્રિકો એટલે કે હઠયોગ અને તંત્રના જાણકારો.. જેની પરંપરા ભારતમાં આગમ પરમ્પરા કહેવાય છે અને આ પરંપરાના પ્રવર્તક આદિનાથ શિવ છે..(આ આદિનાથ જૈન અને બૌદ્ધ એમ બેય પંથોમાં છે) આથી નાગિન ફિલ્મો અને સિરિયલોમાં તાંત્રિકોને અને નાગોને બેયને શિવ ભક્ત બતાવાય છે.
આ યોગીઓની વસ્તી, અંગ્રેજોએ કરાવેલી પ્રથમ વસ્તી ગણતરીમાં, ખાસ્સી હતી એવી નોંધ છે.

યોગીઓ હઠયોગની પરમ્પરાને અનુસરતા. હઠયોગ કહે છે કે આપણા શરીરની પ્રાણઊર્જા એક નાગની જેમ કુંડલી મારીને મૂલાધાર ચક્રમાં (પ્રોસ્ટેટ ગ્રન્થિ પાસે) પડી હોય છે. હઠયોગી પરંપરામાં આ કુંડલીને ખોલીને નાગને વાયા કરોડરજ્જુ, છેક માથા સુધી પહોંચાડવાથી ઈશ્વર સાથે યોગ થાય છે. નાગીન ફિલ્મો અને સિરિયલોમાં દેખાડાતા તાંત્રિકો કોઈ સુંદર નાગ ક્ધયાનું નહિ પણ કુંડલી મારીને પડેલી કુંડલિની શક્તિનું વશીકરણ કરતા હતા.. પણ અધકચરા અભ્યાસ વાળા બોલીવુડને આ બધી થોડી ખબર પડે?? એટલે ફિલ્મમાં આવ્યું કે શ્રીદેવી કે રીના રોય (સાયરા અલી) જેવી સુંદર નાગ ક્ધયાને વશ કરવા તાંત્રિક બીન બજાવે છે ને નાગીન ડાન્સ કરવા લાગે છે.. (એ નાગિન ડાન્સની ટ્યુન પણ કલ્યાણજી આણંદજી ની જોડીએ કોઈ અંગ્રેજી ગીતની ધૂનથી પ્રેરણા મેળવીને બનાવી હતી એ આડવાત. )
જ્યાંથી આ ફિલ્મી વાર્તાઓ જન્મી તે મહાગ્રંથ મહાભારતમાં ખાંડવવન દહન નામનો પ્રસંગ આવે છે. ખાંડવવન નામનાં સ્થળે ઇન્દ્રપ્રસ્થ બનાવવું હોવાથી શ્રીકૃષ્ણ અને પાંડવો ખાંડવવન દહન કરે છે. ખાંડવવન દહનને કારણે અંદર રહેતા નાગ લોકો પાંડવો સાથે યુદ્ધમાં ઉતરે છે અને છેવટે નાગરાજ વાસુકી અને પાંડવો સમાધાન કરે છે, નાગ લોકો આ ખાંડવ દહન એપિસોડ પછી પાતાળલોક જતા રહે છે. પણ ફિલ્મોમાં બતાવે છે એમ પ્રતિશોધની ભાવના સાથે જાય છે.

ભાગવતમાં શ્રીકૃષ્ણ આ જ રીતે કાળિયા/કાલીય નામના નાગને નાથે છે અને એને પ્રદેશ ખાલી કરવા વિવશ કરે છે.પછી તો અર્જુનના પૌત્રનો પણ પુત્ર એવો જન્મેજય સર્પ સત્ર યજ્ઞ કરે છે અને એમાં પણ અનેક નાગોનો વધ કરે છે. આ લડાઈને અંતે ફાઈનલી નાગ લોકો પાતાળ ગમન કરે છે (એટલે કે અંડર ગ્રાઉન્ડ થઈ જાય છે??)
અનેક ઇતિહાસ કારોને મતે મહાભારત નાગવંશી મૂળ નિવાસીઓ અને પશ્ચિમ ઉતર થી આવેલી અન્ય જાતિઓ (કુરુઓ)વચ્ચે થયેલ યુદ્ધનો ઇતિહાસ છે. મહાભારત પહેલા રામાયણમાં પણ નાગ પ્રજા છે. ઇન્દ્રજીત ના સસરા એક નાગ છે અને એને અનેક વિદ્યાઓ દાન કરે છે. ઇન્દ્રજીત આ વિદ્યાનો ઉપયોગ કરીને લક્ષ્મણને નાગપાશથી મૂર્છિત કરી દે છે.

- Advertisement -

જૈન અને બૌદ્ધ પંથ પણ નાગ પ્રજાનો મોટો અંશ અને ઇતિહાસ ધરાવે છે. કેમકે બેય આગમ પંથ છે જેઓ વેદો પુરાણો નહિ પણ આગમ ગ્રંથોને વધુ માને છે.
ભારતમાં કોઈ વીરગતિ પામે પછી તે નાગયોનીમા જન્મ પામે એવી માન્યતા બહુ દ્રઢ છે. આ માન્યતા થી ગોગા બાપા (ગુગાપીર, જહેરપિર), ભાથીજી, જસાબાપા, ખેતલિયા બાપા જેવા અનેક મહાપુરુષો નાગ સ્વરૂપે પૂજાય છે. સૌરાષ્ટ્રની બધી જાતિઓમાં સુરાપુરા બાપા (વીરગતિ પામેલા મહાપુરુષ) નાગ સ્વરૂપે પૂજવાની પરંપરા છે.

જૂની બાઇબલ (જેને યહૂદી અને ખ્રિસ્તી બેય માને છે એ)માં આદમ અને ઇવ બેય ઈડન ગાર્ડન નામનાં ઉદ્યાનમાં ફરતા હોય છે ત્યારે એક સર્પ એની પાસે આવીને એને ઝેરી ફીગ (અંજીર જેવું ફળ) ખાવા લલચાવે છે. ઇવ આ ફળ ખાય છે અને છેવટે પૃથ્વી ઉપર ઓરિજીનલ સીન (મૂળભૂત પાપ) કહેવાતા પાપથી મનુષ્યનો વસવાટ શરૂ થાય છે. આધુનિક મેડિકલ સાયન્સ નું પ્રતિક પણ કડુસિયસ નામનાં પ્રાચીન ક્રોસ કે દંડ ઉપર બે નાગ વીંટળાઈ ને ચડતા હોય તે છે. ઇજિપ્તમાં શાસકોના મુકુટ ઉપર ફેણ ચડાવેલા નાગનો સિમ્બોલ હોય છે.

નાગ પ્રજાની પરંપરા ભારતમાં અવતાર, કર્મકાંડ અને વેદાંતની પરમ્પરા સાથે સહજ રીતે જીવતી આવી છે.
આમ દરેક ભારતીયના રક્તમાં નાગપ્રજાના અંશ હોવાથી નાગ સદૈવ પૂજનીય રહયા છે. મહર્ષિ પતંજલિ નાગ હતા જેને કારણે એમની મૂર્તિઓમાં અચૂક નાગના દર્શન થાય છે. પતંજલિ કાશ્મીરના રહેવાસી ગણાય છે. કાશ્મીર ઉપર નાગવંશી રાજાઓએ ખુબ લાંબો સમય શાસન કરેલું છે. આથી કાશ્મીરી પંડિતો અને ક્ષત્રિયો બંને નાગવંશી ગણાય છે. કાશ્મીરમાં અનંતનાગ વેરીનાગ કુક્કુટનાગ (કર્કોટક નાગ) જેવા અનેક નાગોના નામ ઉપરથી સ્થળો અને સરોવરોના નામ છે. આ બધા નાગો મહાભારતથી જાણીતા છે.

અહીરવંશી (અહિ એટલે નાગ) કે નાગવંશી તરીકે ઓળખાતા લોકોમાં જાટ, અમુક ગુર્જર ગોત્રો, આહીર અને અમુક રાજપૂત ગોત્રોનો સમાવેશ થાય છે. નાગર બ્રાહ્મણો પોતાને અહિચ્છત્ર (નાગના છત્ર વાળા) બ્રાહ્મણ ગણાવતા.
આખા જગતમાં હવે નાગ પૂજા વિલુપ્ત થઈ ગઈ છે. પણ નાગના શત્રુ અને વિષ્ણુના વાહન ગરુડ નું પ્રતિક અનેક ધ્વજમાં જોવા મળે છે.
ભારતમાં નાગ પાંચમી સ્વરૂપે નાગ વંશ નો ઇતિહાસ જીવે છે. અનેક ગામ અને શહેરોના નામ હજી નાગ અને નાગોના નામ ઉપરથી છે. કદાચ નાગો કાયમ માટે પાતાળ વાસી થઈ ગયા છે!!
પણ તેઓ હજી છે. આપણી વિદ્વતા, સુંદરતા, સહજતા, શિવ ભક્તિ, યોગ પરમ્પરા, આયુર્વેદ, સ્ટારનો સિમ્બોલ, લડાયક પણું — બધું નાગ પ્રજાનો આપણને મળેલો વારસો છે.
આ તહેવાર ભારતના મૂળ સાથે જોડાયેલો છે. કાશ્મીરથી લઈને તામિલનાડુ સુધી અને સૌરાષ્ટ્રથી છેક નેપાળ કે આસામ સુધી નાગ પૂજા થાય છે જે હકીકત દર્શાવે છે કે નાગ પ્રજાના ડી એન એ થકી આપણે સહુ જોડાયેલા છીએ.

You Might Also Like

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

TAGGED: Nagalok, Nagin, Nagpuja
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખોટા હો તો માફી માંગો, સાચા હો તો ચૂપ રહો!
Next Article ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રા પોલીસ કચેરી દેશભક્તિના રંગમાં રંગાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત
હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા DCW કંપની સામે આંદોલન પર બેઠેલા કામદારની તબિયત લથડી
થાનગઢના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું બેફામ ખનન
કોર્પોરેશન ચોકમાં લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?