મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઝુલતાપુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરીવારને દિલશોજી પાઠવવા તથા મૃતકોના આત્મકલ્યાણ અર્થે કબીરધામ ખાતે યોજાયેલ શોકાંજલી સભામાં મોરારીબાપુએ આગામી વાર્ષિક પુણ્ય તિથિ પહેલા રામકથા યોજવાની જાહેરાત કરી હતી. મોરબીના કબીરઘામ ખાતે સંતો મહંતો અને દેહાણ જગ્યાઓના મહામંડલેશ્વર ગાદીપતિઓની હાજરીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
- Advertisement -
આ પ્રસંગે મોરારી બાપુ, પીઠાધિશ્વર 1008 મહામંડલેશ્વર કણીરામબાપુ દુધરેજ વડવાળા ધામ, મહામંડલેશ્વર 1008 લલીતકિશોર બાપુ મોટા મંદીર લીંબડી, સત્તાધાર ધામ મહંત વિજયદાસ બાપુ, જલારામ મંદીર વિરપુર, રઘુરામબાપા લાલજી મહારાજ જગ્યા સાયલા, મહામંડલેશ્વર દુર્ગાદાસજી મહારાજ, સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાના મહામંડલેશ્વરો, મહંતો, તમામ સંતો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો, વિવિધ સંગઠનો તથા સેવાભાવી સંસ્થાઓ તેમજ મોરબી જીલ્લાના રાજકીય મહાનુભાવો હાજર રહ્યા હતા. વધુમાં આ દુર્ઘટનાથી વ્યથિત બનેલા મોરારી બાપુએ હવે મોરબીમાં ઈશ્વર કોઈ નવી વિપદા ન આપે તેવી પ્રાર્થના કરી ઘટનાની પ્રથમ વરસી પહેલા એક વર્ષના સમયગાળામાં જ રામકથા યોજવા જાહેરાત કરી હતી.