By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    9 hours ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    2 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    4 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    5 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    9 hours ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    9 hours ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    1 day ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    1 day ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 day ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    5 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કારસેવકો પર કારમા જુલ્મની કહાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કારસેવકો પર કારમા જુલ્મની કહાણી
રાષ્ટ્રીય

કારસેવકો પર કારમા જુલ્મની કહાણી

Khaskhabar Editor
Last updated: 2024/01/10 at 5:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની વેળાએ યાદગાર સંસ્મરણો

ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણના પાયામાં સાડા પાંચ સદીઓનો સંઘર્ષ…

- Advertisement -

રાજકોટનાં કારસેવકોની એ મૂલ્યવાન યાદો….

ખાસ-ખબર સંવાદદાતા
6 ડિસેમ્બર 1992: પ્રથમ કારસેવક જે મિત્રો મુશ્કેલ પરિસ્થિતિમાં કારસેવા કરવા આવ્યા હતા તે જ મિત્રો, કાર્યકર્તાઓ પૂરા જોમ-જુસ્સાથી ‘સોગંદ રામ કી ખાતે હૈં, હમ મંદિર વહી બનાયેંગે’ના નારા સાથે રાજકોટથી ગિરીશભાઈ ભટ્ટ, પ્રભુદાસભાઈ ભુત, પરેશભાઈ ઠાકર, ભગીરથભાઈ ભુત, પ્રદ્યુમનભાઈ શુકલ સહિતના રામ કારસેવા સમિતિ દક્ષિણ પ્રખંડ અને રાજકોટ મહાનગરના કારસેવકો રાજકોટથી ટ્રેઈન મારફત અયોધ્યા બે દિવસ પછી પહોંચ્યા હતાં. સમગ્ર ટ્રેઈન સૌરાષ્ટ્રના કારસેવકોથી ખીચોખીચ ભરેલી હતી. આ ટ્રેઈનની વ્યવસ્થા માટે પ્રફુલભાઈ દોશી અને ગિરીશભાઈ ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટના જુદા જુદા મઠ, મંદિરો, ટ્રસ્ટો દ્વારા અને સ્થાનિક વિસ્તારની બહેનો દ્વારા તમામ કારસેવકો માટે સુખડી, લાડુ, અડદિયા અને ગાંઠિયા, ચેવડો વગેરેની હજારો કિલોની વ્યવસ્થા કારસેવકો માટે કરવામાં આવી હતી અને ગામે-ગામના રેલવે સ્ટેશન પર શાહી સ્વાગત તમામ કારસેવકોનું ટ્રેઈનોનું કરવામાં આવ્યું હતું. તમામ ડબ્બાઓ ઉપર ‘હિંદુ રક્તના ટીપેટીપે મંદિર બનશે, ઈંટે ઈંટે રામલલ્લા હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે’ સૂત્રો લખવામાં આવ્યા હતા. રાજકોટથી લઈ અયોધ્યા સુધી ભગવા વાતાવરણમાં સંતો, મહંતો, બજરંગીઓ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા, આગેવાનો સાથેની ટ્રેઈન અયોધ્યા ખાતે પહોંચી હતી. સમગ્ર ટ્રેઈનમાં જયશ્રી રામના નારા સાથે ‘યે તો સીર્ફ ઝાંકી હૈ, કાશી-મથુરા બાકી હૈ’ સૂત્રોચ્ચાર સાથે અયોધ્યામાં રાજકોટ અને ગુજરાતના કારસેવકોની રહેવા-જમવાની વ્યવસ્થા હનુમાનગઢી મંદિરમાં કરવામાં આવી હતી. સવારે 7-00 કલાકે સ્થાનિક જગ્યાએ સંઘની શાખા લાગી હતી અને શાખાની પ્રાર્થના પૂરી થયા બાદ હળવા નાસ્તા બાદ ગુજરાતના કારસેવકોનો બપોરે વારો આવશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર દેશમાંથી આવેલા અંદાજે 20 લાખથી વધારે કારસેવકોના કારણે સમગ્ર અયોધ્યા રામમય બની ગયું હતું. વિશ્ર્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ વિશાળ ધર્મસભા અયોધ્યામાં ચાલુ હતી.

રાજકોટના જુદા જુદા મઠ, મંદિરો, ટ્રસ્ટો દ્વારા અને સ્થાનિક વિસ્તારની બહેનો દ્વારા તમામ કારસેવકો માટે સુખડી, લાડુ, અડદિયા અને ગાંઠિયા, ચેવડો વગેરેની હજારો કિલોની વ્યવસ્થા કારસેવકો માટે કરવામાં આવી હતી….

- Advertisement -

માનનીય સાધ્વી શ્રી ઋતુંભરાદેવી, મુરલી મનોહર જોશી, એલ. કે. અડવાણી, અશોકસિંહ સિંધલ, પ્રમોદ મહાજન તથા સાધ્વી શ્રી ઉમાભારતી તેમજ સમગ્ર દેશમાંથી આવેલા સંતો-મહંતો, સાંસદો, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ ભગવો લલકાર કર્યો હતો. તે સમય સુરક્ષા વ્યવસ્થાને એકબાજુમાં મૂકી કારસેવકોનો મોટો સમૂહ બાબરી ઢાંચા તરફ આગળ વધ્યો હતો અને પછી પરિસ્થિતિ કારસેવકોના હાથમાં હતી અને સવારે 9-00 કલાકથી ઢાંચો તોડવાનું કારસેવકોએ શરૂ કરેલ, તે 11-20 સુધીમાં મેદાન કરવામાં આવ્યું હતું અને આ ઢાંચા તોડવાની કામગીરીમાં અનેક કારસેવકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેટલા ઈજાગ્રસ્ત થતા હતાં તેની સામે નવા નવા કારસેવકો આવી રહ્યા હતા. અંદાજે એક એક ફૂટની જાડાઈના અડધો અડધો કિલોમીટર સુધીના મોટા દોરડાં એક એક પીલોર ઉપર ચાર રાઉન્ડ મારીને પીલરને અગણિત કાર્યકર્તાઓ દોરડાના માધ્યમથી ખેંચતા હતા અને પીલરો જમીનદોસ્ત થતા હતા. બપોરે 1-20 સુધીમાં સમગ્ર પરિસરમાં મેદાન કરી દેવામાં આવ્યું હતું. બપોરે વાજતેગાજતે 1-20ની આસપાસ રામલલ્લાને ત્યાં સ્થાપિત કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર અયોધ્યામાં જય જયકાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રામભક્તો ચોકે-ચોકે નૃત્ય, સંગીત અને રાસ અને જે તે રાજ્યની ખૂબીઓ વર્ણવી રહ્યા હતા. સમગ્ર અયોધ્યાના લોકો રોડ ઉપર આવી ગયા હતા અને તમામ લોકોને અબીલ ગુલાલથી રંગી ત્યાંની સ્થાનિક મીઠાઈ પેઠાથી મીઠું મોંઢુ કરી રહ્યા હતા. તેવા સમયે સ્થાનિક મુસ્લિમોએ ફાયરીંગ કરતાં અમુક કારસેવકોને ગોળી લાગી હતી. પછી ટોળું બેકાબુ થતાં સ્થાનિક પોલીસ ઓછી પડતાં આર્મીના જવાનોએ પરિસ્થિતિને અંકુશમાં લીધી હતી અને ઠેર-ઠેર જયશ્રી રામના નારાથી સમગ્ર અયોધ્યા રામમય બની ગયું હતું. ત્યાર બાદ બધા ટ્રેઈનમાં રાજકોટ આવતા ટ્રેઈન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પણ સમગ્ર ટે્રઈન કારસેવકોથી ભરી હોય સામે જવાબ મળતાં ભાંગતોડીયા તત્ત્વો ભાગી ગયા હતાં. આ કારસેવકોમાં પરેશભાઈ ઠાકર, ભગીરથભાઈ ભુત, પ્રભુદાસભાઈ ભુત, પ્રદ્યુમનભાઈ શુકલ સહિતના કારસેવકો છેક અયોધ્યા સુધી સાથે જોડાયેલા હતા ત્યારબાદ આ તમામ કારસેવકો રાજકોટ આવતાં જ જુદા જુદા આગેવાનો, ગરબી મંડળો, સામાજિક આગેવાનો, મહિલા અગ્રણીઓએ હાર-તોરાથી સ્વાગત કર્યું હતું.

30 ઓક્ટોબર 1990નો એ દિવસ અને ફતેહગઢ જેલ….

દેવઉઠી અગિયારસના પરમ પવિત્ર દિવસે સમગ્ર દેશમાંથી રામજન્મભૂમિ આંદોલનને અનુલક્ષીને ગામે-ગામ અને તમામ જિલ્લા અને તમામ રાજ્યોમાંથી અગણિત કારસેવકો અયોધ્યા જવા રવાના થયા હતા. રામજન્મભૂમિ આંદોલન સમિતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જુદા જુદા આગેવાનોને આ કાર્યક્રમ સફળ થવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટ મહાનગર વિશ્ર્વ હિન્દુ પરિષદની તે વખતની જવાબદારી પ્રકાશભાઈ ટિપરેને આપવામાં આવી હતી. પ્રકાશભાઈ ટિપરે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અદના સ્વયંસેવક હતાં. રાજકોટ મહાનગર જુદા જુદા વિસ્તારોમાં રામજન્મભૂમિ આંદોલનને વ્યાપક વેગ મળે અને જન જન સુધી આ આંદોલન પહોંચે તે અનુલક્ષીને રાજકોટના ચાર પ્રખંડો રચવામાં આવ્યા હતા. પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર અને દક્ષિણ પ્રખંડના સંયોજક તરીકે દેવપરા સાયમ શાખાના સ્વયંસેવક પરેશભાઈ ઠાકરની જવાબદારી હતી. સાથો ગોપાલનગર સાયમ શાખાના સ્વયંસેવક ભગીરથભાઈ ભુત અને શૈલેષભાઈ વ્યાસ અને સંદિપભાઈ પટ્ટણી તેમજ રવિન્દ્રભાઈ ઠાકર સહિતના સ્વયંસેવકો રામજન્મભૂમિ આંદોલનને ઘર સુધી પહોંચાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. પ્રથમ કારસેવા વખતે પરેશભાઈ ઠાકર, ભગીરથભાઈ ભુત, શૈલેષભાઈ વ્યાસ તથા સંદિપભાઈ પટ્ટણી અને રવિન્દ્રભાઈ ઠાકર સહિતના કાર્યકર્તાઓ રાજકોટથી રામજન્મભૂમિ આંદોલન માટે અયોધ્યા જવા ટ્રેઈન માર્ગે રવાના થયા હતા. આ ટુકડીને ભૂગર્ભ ટુકડી તરીકે જવાનું હતું. આ ટુકડીએ લખનઉ સ્ટેશને ત્યાંની મુલાયમસિંહ સરકારની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યાંથી તેમને સ્થાનિક લખનઉથી 120 કિલોમીટર દૂર ઉરઈ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં કડકડતી માઈનસ 0 ડિગ્રીમાં રાખવામાં આવ્યા હતા. ઉરઈ જેલના ત્યારના જેલર મુસ્લિમ હતા અને દક્ષિણ પ્રખંડના કારસેવકોની સાથે કેરળ અને કર્ણાટકના પણ કારસેવકો આ જેલમાં હતા ત્યારે મોડી રાતે આ જેલરે સમગ્ર જેલ પરિષદની લાઈટો બંધ કરીને કારસેવક ભાઈઓ અને ઉપસ્થિત જેલમાં આવેલી દુર્ગાવાહિની બહેનો સાથે અત્યંત ખરાબ વ્યવહાર કરી બેફામ માર માર્યો હતો. જેલના સ્ટાફને લાઠીચાર્જ કરવાની સૂચના આપી હતી અને તે વખતે સ્થાનિક ભાજપના ધારાસભ્ય અને જેલતંત્ર વચ્ચે અને કારસેવકો વચ્ચે બેફામ મારામારી થઈ હતી. તમામ કારસેવકોના વાંસા (પીઠ) અને પગ સોજી ગયા હતા. તેની જાણ સ્થાનિક આગેવાનોને થતાં મોટા સ્વરૂપમાં લોકો ઉરઈ જેલ તરફ કૂચ કરી હતી તેથી સ્થાનિક વહિવટી તંત્રએ તમામ અંદાજે 300થી ઉપરના કારસેવકોને સ્થાનિક એસ.ટી.ની બસમાં તાત્કાલિક ત્યાંથી ફતેહગઢ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ફતેહગઢ જેલ ખૂબ જ મોટી હતી અને સમગ્ર દેશમાંથી કારસેવકોને ત્યાં રાખવામાં આવ્યા હતા. દક્ષિણ પ્રખંડના સંયોજક પરેશભાઈ ઠાકરને જે તે વખતે ટે્રઈનમાં જ સખત તાવ હોય, ઉંમર ખૂબ જ નાની હોય વડીલ કાર્યકર્તાઓએ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું પરંતુ ઝાંસીથી જુદી જુદી ધરપકડો થતાં બધા ગ્રુપ્સ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. કોઈ સાથે સંપર્ક ન હતો અને ઉરઈ જેલના બંધકોને ફતેહગઢ જેલમાં લઈ જવામાં આવ્યા તે કોઈના ધ્યાનમાં ન હતું. રાજકોટ શહેરના વરિષ્ઠ અગ્રણી અને જનસંઘની સ્થાપના પૈકીના મનસુખભાઈ છાપીયાને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાંના સ્થાનિક સમાચાર પત્રમાં ગુજરાતના એક કારસેવકના મૃત્યુના સમાચાર સાંભળી મનસુખભાઈ છાપીયાને લાગ્યું કે આ ઠંડીમાં પરેશભાઈ ઠાકરનું મૃત્યુ થયુ છે. તેમણે જેલમાં કાર્યકર્તાઓ સાથે ઉપવાસ રાખી અને ગીતાજીના પાઠ પરેશભાઈ ઠાકરને અર્પણ કર્યા હતા અને જ્યારે 24 દિવસ પછી રાજકોટ રેલવે સ્ટેશન ઉપર પરેશભાઈ ઠાકર સાથે ભેટો થતાં તેમને ભેટીને ખૂબ જ રડ્યા હતા.
ફતેહગઢ જેલમાં સમગ્ર યુ.પી.માંથી કારસેવકો માટે અગણિત ભોજન, ચા, નાસ્તો આવતો હતો. આ જેલમાં જન્મટીપની સજા ભોગવતા કેદીઓએ તમામ રામભક્તોનું ખૂબ જ ધ્યાન રાખેલ હતું. તે વખતે પરેશભાઈ ઠાકરને અને અન્ય કારસેવકોને તાવ, ટાઢ ખૂબ જ આવતા હતા. તેમની અગણિત સેવા આ જન્મટીપના કેદીઓએ કરી હતી. જેલની અંદર આવેલી ગૌશાળામાંથી રોજ ચોખ્ખુ ગાયનું દૂધ કારસેવકોને સેવાના સ્વરૂપે પીરસતા હતા અને અંદાજે 24 દિવસ પછી લાગલગાટ સંઘર્ષ પછી સૌ કારસેવકો હૈયાત વજન કરતાં 10થી 12 કિલો વજન ઉતારીને પરત ફર્યા હતા.

You Might Also Like

ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ

ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ

ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ

ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે

ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન

TAGGED: AYODHYA, memories, pranpratishtha, rammandir
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ DCP પૂજા યાદવ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ
Next Article રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની 28મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નવા હોદ્દેદારની નિમણૂક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?