ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ – ૨૦૨૦ અન્વયે રજુ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને સમિતિની એક બેઠક યોજાઈ હતી.
- Advertisement -
આ બેઠકમાં તપાસનીસ અધિકારીઓ દ્વારા તપાસ કરી અહેવાલ રજુ થયેલ હોય તેવા ૨૫ કેસો સમિતિ સમક્ષ રજુ થયા હતા. આ રજુ થયેલ ૨૫ કેસો પૈકી ૮ કેસ પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા. જ્યારે ૧૫ કેસો દફતરે કરવા અને બે કેસોમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા. તેમ જિલ્લા કલેકટર કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.