-એકનાથ શિંદે અને 16 ધારાસભ્યો ગેરલાયક ઠરશે
ગઈકાલે મહારાષ્ટ્રમાં મોટો પોલિટિકલ ટવીસ્ટ આવ્યો હતો. એકાએક એનસીપી નેતા અજિત પવાર તથા અન્ય 8 ધારાસભ્યો શિંદે ભાજપ સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
- Advertisement -
#WATCH | On posters put up in Dadar demanding MNS chief Raj Thackeray and Uddhav Thackeray to unite, Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "The people of Maharashtra are with us, and they will always stay with us. People are going to support us" pic.twitter.com/w3mWTp46zN
— ANI (@ANI) July 3, 2023
- Advertisement -
ત્યારે આજે શિવ સેના નેતા અને સાંસદ સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે શિવાજી મહારાજના રાજ્યમાં આ પ્રકારની પરંપરા ક્યારેય નથી રહી. પરંતુ આગામી સમયમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવી રહ્યા છે.
#WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "BJP is breaking Shiv Sena, NCP and Congress but this will not benefit them at all. In Maharashtra, we will fight unitedly. It is shocking that PM Modi had said that the leaders of NCP are involved in corruption… pic.twitter.com/6VodgbNNXI
— ANI (@ANI) July 3, 2023
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અજિત પવાર બનશે તે નિશ્ચિત છે. એકનાથ શિંદે અને 8 ધારાસભ્યો સામે એક ડીસકવોલીફિકેશન કેસ ચાલી રહ્યો છે જે તેઓ હારશે, તેથી તે ગેરલાયક થશે.
Eknath Shinde will be replaced as Maharashtra CM soon; 16 MLAs will be disqualified: Sanjay Raut
Read @ANI Story | https://t.co/i7hXH9mtDi#SanjayRaut #EknathShinde #Maharashtra #MaharashtraCM pic.twitter.com/6em91PCt4s
— ANI Digital (@ani_digital) July 3, 2023
અજિત પવારે ચોંકાવનારું પગલું ભર્યું
મહારાષ્ટ્રના રાજકારણ માટે 2 જુલાઈનો દિવસ સુપર સન્ડે સાબિત થયો. NCP નેતા અજિત પવારે તેમના નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અગાઉ સમાચાર આવ્યા હતા કે, મહારાષ્ટ્રમાં NCPના પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા. પરંતુ આખી ઘટના થોડી જ વારમાં બદલાઈ ગઈ જ્યારે અજિત પવાર મીટિંગ છોડીને સીધા રાજભવન ગયા અને Dy.CM તરીકે શપથ લીધા બાદ શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થઈ ગયા. અજિત પવાર ઉપરાંત NCPના 8 વધુ ધારાસભ્યોએ પણ શપથ લીધા.