-હાઇકોર્ટે ડિવોર્સની અરજી ફગાવી
કેરળ હાઇકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે, કાયદો લિવ ઇન રિલેશનને લગ્ન તરીકે માન્યતા આપતો નથી. આવા સંબંધને છુટાછેડાના હેતુ માટે પણ માન્યતા આપવામાં આવતી નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે માત્ર પર્સનલ લો અથવા ધર્મનિરપેક્ષ કાયદા અનુસાર થનારા લગ્નોને જ કાયદાકીય માન્યતા મળે છે.
- Advertisement -
કેરળ હાઇકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, કોઇ સમજૂતીના આધારે એકસાથે રહેનાર બે વ્યકિત લગ્નનો દાવો ન કરી શકે અને તેના આધારે છુટાછેડાની માંગણી પણ ન કરી શકે. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે બંને પક્ષે તેમનો સંબંધ એક ડિકલેરેશન દ્વારા લગ્ન તરીકે સ્વીકાર્યો છે ત્યારે કોર્ટ તે કાનુની રીતે લગ્નમાં બંધાયેલા છે કે નહીં તેનો નિર્ણય કરી શકે નહીં જસ્ટીસ એ મોહમ્મદ અને સોફી થોમસની બેન્ચે કેસની સુનાવણી કરી હતી.
હિંદુઅને ખ્રિસ્તી ધર્મની બે વ્યકિતના કેસમાં કોર્ટે આવી ટિપ્પણી કરી હતી. તેમણે એક ફેમીલી કોર્ટના ચુકાદા વિરૂધ્ધ કેરળ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ફેમીલી કોર્ટે તેમની છુટાછેડાની અરજી ફગાવતા જણાવ્યું હતું કે બંનેના લગ્ન સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ થયા નથી. બંને વ્યકિત રજિસ્ટર્ડ સંમતિ દ્વારા ર006થી એક સાથે રહેતા હતા. તેમને 16 વર્ષનું સંતાન છે. જોકે હવે બંને અલગ થવા માંગતા હોવાથી તેમણે ફેમીલી કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી હતી.
કેરળ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, કાયદાએ હજુ સુધી લિવ ઇન રીલેશનશીપને લગ્ન તરીકે માન્યતા આપતી નથી. કાયદો લગનને ત્યારે જ માન્યતા આપે છે જયારે તો પર્સનલ લો અથવા સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ થયા હોય, પક્ષકાર કોઇ સંમતિના આધારે એક સાથે રહેવાનો નિર્ણય કરે ત્યારે તો વિવાહ કે છુટાછેડાની માંગણી માટે યોગ્ય ઠરતા નથી. હાઇકોર્ટે એવું પણ જણાવ્યું હતું કે વર્તમાન કેસમાં છુટાછેડાના આવા કેસ પર વિચારણા ફેમીલી કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. તેમણે જોડીને વિચાર યોગ્ય નહીં હોવાનું જણાવી અરજી ફગાવી દેવી જોઇતી હતી.
- Advertisement -