રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુનું આકરું પગલું
ત્રણ ભૂમાફીયાઓએ ખોટુ સાટાખત બનાવી વારસાઈ જમીનમાં પેશકદમી કરી જાનથી મારી નાખવાની આપી ધમકી
રાજકોટમાં ત્રણ લોકો સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. નવા 150 ફૂટ રીંગ રોડ પર વેજા ગામમાં ખેતીકામ કરતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાએ ગાંધીગ્રામ-2(યુનિ.) પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેમાં સામાવાળા મુંજકા ગામે રહેતા કાથડ સેગલીયા, પ્રવિણ પ્રભાત હુંબલ, પ્રભાત રાજા હુંબલ સહીત ત્રણ શખ્સોનો સમાવેશ થાય છે. ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે તેની વારસાગત જમીન સર્વે નં.ર7 પૈકીની ખેતીની જ તેના દાદા અભેસિંહ મુળુભા જાડેજાની હોય અને જમીન પર કાથડ સેગલીયાએ 1975માં એકર જમીન વેચાણ કરી હોય તેવુ માત્ર રૂા.સાડા ત્રણનું સ્ટેમ્પ પેપર ઉપર ટાઈપ કરેલ લખાણ કરેલું છે આ લખાણમાં કોઈપણ પ્રકારના સાક્ષીની સહી નથી કે સાટાખત કોઈ નોટરાઈઝ નથી. જેથી રાજેન્દ્રસિંહના દાદાની ખોટી સહી કરી સાચા તરીકે ઉપયોગ કરી ખોટુ સાટાખત કરી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. ત્યાર બાદ પ્રવિણ પ્રભાત હુંબલે પોતાના દીકરા પ્રભાત રાજા હુંબલને પાવર ઓફ એટર્ની લખી આ જમીનમાં ચાર દાયકાથી માલઢોર ચરાવી કબ્જો જમાવી દીવાનો દાખલ કરી અરજદાર અને તેના પરિવારજનોને જાનથી મારી ધમકી આપી હતી. જ્યારે આ કેસ એન્ટી લેન્ડગ્રેબિંગ કમિટીમાં ચાલી જતા ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.