ચીનના વિદેશમંત્રીનો પંદર દિવસથી પત્તો નથી
છિન-કાંગની બીમારી વિષે ચીની વિદેશ મંત્રાલય વધુ કશું કહેતા નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચીનના વિદેશમંત્રી બીમાર છે. તેઓ પંદર દીવસથી જાહેરમાં દેખાયા નથી. એશિયાઈ દેશોની આસીઆન બેઠકમાં તેઓ ઉપસ્થિત નહીં રહી શકે. તેઓને બદલે સત્તારૂૂઢ પાર્ટીના સીનિયર લીડર વાંગચીને તે બેઠકમાં મોકલવામાં આવશે. આ સપ્તાહે જ આસીયાનની બે દીવસની બેઠક જાકાર્તામાં યોજાવાની છે, ત્યારે વાંગ-ચી તેમાં ચીનનું પ્રતિનિધિત્વ કરશે. કહે છે કે પૂર્વવિદેશમંત્રી વાંગ ચીને જ હવે ફરી વિદેશ મંત્રાલય સોંપવામાં આવશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પત્રકારોને કહ્યું હતું કે સ્ટેટ કાઉન્સીલર અને વિદેશમંત્રી છિન કાંગ બીમારીને લીધે આસીયાન પરિષદમાં ઉપસ્થિત નહીં રહી શકે. તેઓને બદલે કોમ્યુનિષ્ટ પાર્ટીના વિદેશ બાબતોનાં કેન્દ્રીય આયોગના વર્તમાન પ્રમુખ વાંગચી ગુરૂૂવારે અને શુક્રવારે યોજાનારા આસીયાન પરિષદમાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટો. 1949ના દિને ચીનમાં સામ્યવાદી શાસન સ્થપાયું ત્યારથી ચીનમાં બનેલી ઘટનાઓ ઉપર પર્દો પડી ગયો છે. તે ગતિવિધિને બામ્બુ કર્ટન તેવું નામ આપવામાં આવ્યું છે. તે પાછળ બનતી ઘટનાઓ મહાન શાંતિના ચોક (હીએન-ચીન સ્કવેર-બૈજિંગ)માં થયેલી કારમી કત્લ-એ-આમની પણ પૂરી માહિતી નથી.
ચીનના અનેક વિચારકો સાહિત્યકારો લેખકો અચાનક ગૂમ થઇ ગયા તેની વિષે વિશેષ કોઈ જ માહિતી નથી. દ્વિતીય વિશ્ર્વયુદ્ધ પછી સ્ટાલીનનાં રશિયાએ પૂર્વજર્મનીના બાસ્ટિક-કોસ્ટથી દક્ષિણે છેક એડ્રિયાટિક સમુદ્રના ઉત્તરના તટ સુધી કરેલી નાકાબંધીને વિન્સન ચર્ચીલે આયર્ન કર્ટન તેવું નામ આપ્યું હતું. તેની પાછળની કોઈ ઘટનાની કોઈ માહિતી વિશ્ર્વને મળતી ન હતી. તેવી જ રીતે બામ્બુ-કર્ટન પાછળ શી જિન-પિંગ શી ચોપાટ ખેલે છે તેની પણ માહિતી મળી શકે તેમ નથી.