By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    10 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    10 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    10 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    10 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    10 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    7 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    9 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    9 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    1 day ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    7 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    1 day ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    2 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 day ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રિસ્ટિના ઍડોલ્ફ્સ : કાતિલ સુંદરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ક્રિસ્ટિના ઍડોલ્ફ્સ : કાતિલ સુંદરી
TALK OF THE TOWN

ક્રિસ્ટિના ઍડોલ્ફ્સ : કાતિલ સુંદરી

Khaskhabar Editor
Last updated: 2021/05/22 at 3:47 PM
Khaskhabar Editor 5 years ago
Share
12 Min Read
SHARE

ફ્રાન્સમાં તેણે યોજેલા પ્રથમ જ સમારોહમાં તેણે અર્ધો ડઝન પુરુષોને પોતાની પ્રેમજાળમાં આબાદ ફસાવ્યા : ખૂબીની વાત એ છે કે, બધા એમ જ માનવા લાગ્યા હતા કે ક્રિસ્ટિના તેને પ્રેમ કરે છે!

પોપ એલેક્ઝાન્ડરે તેને ધર્મ મુજબ રહેવા અને સંયમપૂર્ણ જીવન વિતાવવાની સલાહ આપી તો ક્રિસ્ટિના ઉકળી ઉઠી, તેણે પોપને મોં પર જ ફરમાવી દીધું: ‘મારે ગુલામ બનીને જીવવું નથી!’

- Advertisement -

ક્યારેક એ પ્રેમદિવાની બની જતી હતી તો ક્યારેક હિંસક નાગણ. પ્રેમીઓનો તેને તોટો નહોતો. છતાં જાણે તેને અંદરથી કોઈ અભાવ કોરી ખાતો હોય તેમ એ સતત નવા શિકાર શોધ્યે રાખતી. હા! સ્વીડનની આ રાણી ક્રિસ્ટિના અનેક રીતે અનોખી હતી. એ ક્રુર હતી, બદમાશ હતી, ઐયાશ અને એકદમ તરંગી હતી. તેણે રાજપાટ માત્ર એટલા માટ છોડ્યું કે એ દરબાર જોઈ-જોઈને તંગ આવી ગઈ હતી, એ જ ઘરેડમાં તેને રીતસર ઉબકા આવતા હતા અને એને દુનિયા ફરી વળવાનુ ભૂત ચડ્યું હતું. એને દુનિયાભરનો આનંદ પોતાનાં ખોબમાં ભરી લેવો હતો. સ્વીડનની આ રાણીનું નામ ઇતિહાસમાં તેનાં પરાક્રમોનાં કારણે જ કાળા અક્ષરે લખાયેલું છે.
ઇ.સ. 1656માં એ ફ્રાન્સનાં પ્રવાસે ગઈ ત્યારે તેની સાથે બે શાહી અધિકારીઓ હતા. એક હતો કાઉન્ટ સાન્તિનેલી જ તેનો મુખ્ય અંગરક્ષક-સુરક્ષા અધિકારી હતો. જ્યારે બીજો હતો મારક્વિસ મોનાલ્ડેસ્કો જે હતો તેનો અંગત મદદનીશ. બેઉ એક નંબરના બદમાશ હતા. અવ્વલ દરજ્જાનાં ચાલબાજ અને કાવતરાખોર. બેય વચ્ચે તીવ્ર દુશ્મનાવટ હતી. એકમેકના કટ્ટર દુશ્મન હતાં બન્ને. બેઉ નિત્ય એકબજાનો ખાત્મો કરવાની યોજના બનાવવામાં રત રહેતા હતા, એકબીજાને ઉતારી પાડવાની કોઈ તક તેઓ જતી કરવા માંગતા નહોતા. જ્યાં સુધી વફાદારીનો સવાર છે, બેઉ એક બીજાનાં માથા ભાંગે તેમ હતા. ગદ્ારી બાબતે. વફાદારી સાથે તેમને સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો. બંને એક યા બીજી રીતે ક્રિસ્ટિનાની ઘોર ખોદી રહ્યા હતાં.
સાન્તિનેલીએ ક્રિસ્ટિનાનાં એસ્ટેટ એજન્ટ સાથે સાંઠગાંઠ કરીને તેને બહુ ચૂનો લગાવ્યો હતો. જ્યારે મોનાલ્ડિેસ્કો એક અલગ જ ષડયંત્રમાં મશગૂલ હતો. એ સાન્તિનેલનાં નામે જૂઠા પત્રો લખીને સાન્તિનેલીને ખતમ કરાવવાના પ્રયત્નોમાં રત હતો. એ અદ્ત સાન્તિનેલી જેવા અક્ષર કાઢવામાં ધીમેધીમે એકદમ નિપૂણ બની રહ્યો હતો. ક્રિસ્ટિનાને એક દિવસ આ ષડયંત્રનો ખ્યાલ આવી ગયો.
રાણી ક્રિસ્ટિનાને બીજાની જિંદગીમાં ડોકિયા કરવાની ગંદી આદત હતી. પોતાનાં આ બેઉં અધિકારીને સ્નાન કરતા પણ એ અનેક વખત ચોરીછૂપીથી જોઈ ચૂકી હતી. આ આદતવશ જ એક વખત એ મોનાલ્ડેસ્કોપના રૂમમાં ડોકિયું કરી રહી હતી. તેણે જોયું કે એ અત્યંત ધ્યાનપૂર્વક કશુંક લખી રહ્યો છે. સામાન્ય રીતે બહુ ઝડપથી લખવા માટે ટેવાયેલા મોનાલ્ડેસ્કોને આટલું ધીમેધીમે કશુંક લખતા જોઈને તેને ભારે આશ્ર્ચર્ય થયું. આ વખતે થોડી તપાસ જરૂરી હોય એવું તેને લાગ્યું.
બીજા જ દિવસે તેણે મનોનાલ્ડેસ્કોનાં રૂમની જડતી કરાવી. તેને કેટલાક એવા પત્રો હાથ લાગ્યા કે એ ખળભળી ઉઠી. આ બધા જ પત્રો સાન્તિનેલીના અક્ષરની નકલ કરીને લખાયા હતા. ટૂંકમાં કહીએ તો એ લખ્યા હતા મોનાલ્ડિસ્કોએ પરંતુ છાપ એવી ઉપસાવવાનો પ્રયાસ થયો હતો જાણે એ સાન્તિનેલીએ લખ્યા હો. આ પત્રોમાં રાણી ક્રિસ્ટિનાનાં ગંદા ચારિત્ર્ય વિશે અને રોમનાં એક પાદરી સાથે તેનાં અનૈતિક સંબંધો અંગે અનેક આક્ષેપો હતાં. નેપલ્સનું રજવાડું કબ્જે કરવા માટે રાણી ક્રિસ્ટિના દ્વારા થઈ રહેલા કથિત પ્રયત્નોની વિગતો પણ તેમાં હતી. જો આ પત્રો અન્ય કોઈ સુધી પહોંચી ગયા હોત તો ક્રિસ્ટિના માટે અગણિત મુશ્કેલીઓ સર્જી શકે એમ હતું. એ આખો ખેલ પામી ગઈ. તેણે ખ્યાલ આવી ગયો કે આ કાવતરું સાન્તિનેલીને ખતમ કરવા માટે મોનાલ્ડેસ્કોએ જ રચ્યું હતું.
રાણી ક્રિસ્ટિનાએ મોકનાલ્ડેસ્કોપે બોલાવી ને પૂછ્યું: ‘ગદ્ાર અને કાવતરાખોરને શી સજા થવી જોઈએ?’ મોનાલ્ડેસ્કોને લાગ્યું કે, તીર બરાબર નિશાન પર લાગ્યું છે. તેને થયું કે, તેની ચાલ સફળ થઈ છે. તેને એ ખ્યાલ નહોતો કે આખા કાવતરાનો તાગ ક્રિસ્ટિનાએ મેળવી લીધો છે. તેણે જવાબ આપ્યો: ‘આવા ગદ્ારને મોતને ઘાટ જ ઉતારી દેવો જોઈએ!’
મોનાલ્ડેસ્કોએ આ જવાબ આપ્યો ત્યારે તેને ખ્યાલ નહોતો કે, આ જવાબ તેને કેટલી હદે મોંઘો પડવાનો છે. તારીખ 10 નવેમ્બર-1657ના દિવસે આખી દુનિયાએ જાણી લીધું કે ક્રિસ્ટિના કેવી માટીની બનેલી છે. એ દિવસે તેણે ફાન્સેનબ્લુય નામના એક કબ્રસ્તાનમાં જોનાલ્ડેસ્કોને બોલાવ્યો. ચર્ચમાંથી પાદરીને બોલાવાયા. પેલા બધા નકલી પત્રો પાદરીએ વાંચી સંભળાવ્યા. પત્રનું પઠન ચાલતું હતું ત્યારે શાહી પહેરવેશમાં ક્રિસ્ટિના કોઈ અજીબ ઘુંઘવાટ સાથે આમતેમ આંટા મારતી હતી. તેનાં દિમાગમાં જાણે કોઈ તોફાન સર્જાયું હતું કોઈ જાણતું નહોતુ કે હવે શુ થવાનું છે?
થોડી વારમાં જ ક્રિસ્ટિનાએ તલવાર વડે મોનાલ્ડેસ્કો પર પ્રાણઘાતક હૂમલો કર્યો. પળવારમાં જ તેનાં પ્રાણ નીકળી ગયા. પોતાના વસ્ત્ર નીચે બખ્તર પહેરીને ફરતા મોનાલ્ડેસ્કોને એ બખ્તર પણ બચાવી ન શક્યું. ફ્રાન્સનું શાસન હતું. ઘટનાની નોંધ છેક ઉપર સુધી લેવાઈ. ક્રિસ્ટિનાએ ગૂનો કર્યો હતો પરંતુ તેને સજા દેવાનું શક્ય ન હતું. ચોતરફ જાતજાતની અફવા ફેલાઈ ગઈ. એક વાત એવી પણ વહેતી થઈ કે મોનાલ્ડેસ્કોના હાથમાં કોઈ એનું રહસ્ય આવી ગયું હતું. કે તેનો છૂટકારો જરૂરી હતો.
ક્રિસ્ટિનાની રાજ્યમાં વગ એવી હતી, દમામ એવો હતો કે, ફોડ પાડીને કોઈ તેને કશું પૂછી શકે એમ નહતું. રાજ્યમાં તેનો ડંકો વાગતો હતો. તેનો પ્રભાવ જબરદસ્ત હતો. 8 ડિસેમ્બર 1632માં જ્યારે તેનો જન્મ થયો ત્યારે જ તેનાં પિતા સમ્રાટ ગુસ્તાવસ એડોલ્ફસએ તેનાં લક્ષણ પારખી લીધા હતા. એ નાની હતી ત્યારે અત્યંત ભારે અવાજે રડતી હતી અને તેનું શરીર હુષ્ટપુષ્ટ-ઘાટિલું હતું. તેનું શરીર અને લક્ષણ જોઈને જ સમ્રાટે કહી દીધું હતું કે, એ ચૂસ્ત, ચાલાક અને હોંશિયાર બનશે. સમ્રાટની ભવિષ્યવાણી સાચી ઠરી હતી. જો કે, પિતાને એ ખ્યાલ નહોતો કે, ક્રિસ્ટિના બહુ બદનામ પણ થવાનું છે. બહુ નાની ઉંમરે ક્રિસ્ટિનાની જિંદગીમાં એવી ઘટનાએ બની ગઈ હતી કે જેને લીધે તેની જિંદગીનો આખો પ્રવાહ પલટાઈ ગયો. અને એ ઘટનાઓના પ્રતાપે જ એ સ્વીડનના ઇતિહાસનું સૌથી ચર્ચાસ્પદ સ્ત્રી પાત્ર બની ગઈ.

ક્રિસ્ટિના એક ચૂસ્ત અને ચાલાક યુવતી બનવાની છે- એવી તેનાં પિતાની ભવિષ્યવાણી સાચી પડવાની હતી. પરંતુપિતા ગુસ્તાવસ એડોલ્ફસ પોતાનું ભવિષ્ય ભાખી શક્યા નહોતા. ભવિષ્યનાં ગર્ભમાં શું છૂપાયું છે એ વિશે ખૂદ તેમને ખ્યાલ નહોતો.ઇસવિસન 1632માં સમ્રાટ ગુસ્તાવસ એક યુદ્ધમાં માર્યા ગયા અને છ વર્ષની ક્રિસ્ટિનાનું પાલનપોષણ કરવાની જવાબદારી પાંચ મંત્રીઓની એક સમિતિના શિરે આવે. સમ્રાટના મોત પછી ક્રિસ્ટિનાની માતા- મહારાણી રીતસર પાલગ થઈ ગઈ હતી અને મહેલમાં જ તેને કેદ રાખવામાં આવી. આવા અનેકવિધ કારણોથી ક્રિસ્ટિનાને નાનપણથી જ પુરુષોની સંગતમાં રહેવાનું બન્યું.
વર્ષો વહેતા ગયા અને ક્રિસ્ટિના ઉંમરલાક થતી ગઈ. એ જ્યારે ચોવીસ વર્ષની થઈ ત્યારે રાજ્યનાં સમ્રાટ તરીકે તેનો રાજ્યાભિષેક થયો. ભલે એ રાજકુમારી હતી પરંતુ માતા-પિતાની ગેરહાજરીમાં તેને સમ્રાટનું પદ મળ્યું હતું. સમ્રાટ તરીકે શપથ લીધા બાદ સતત દસ વર્ષ સુધી તેણે પોતાની કાબેલીયત, મુક્ત વિચારો, બહાદુરી અને દુરંદેશીપણાના પ્રતાપે રાજ્ય બર જબરદસ્ત વર્ચસ્વ જમાવ્યું. રાજ્યમાં તેના નામના સિક્કા પડતા હતા. રાજ્યમાં તેનો જબરો પ્રભાવ હતો.
ક્રિસ્ટિના શરૂઆતથી જ પુરુષો સાથે ઉછરી હતી તેથી તેનામાં પુરુષગત સખ્તાઈ અને દૃઢતાનો આપમેળે વિકાસ થયો હતો. મોટાભાગે એ પુરુષો જેવા જ વસ્ત્રો પહેરતી. સમ્રાટ હોવાના નાતે તેણો પેતાનો અલગ મહેલ બનાવ્યો હતો. જિંદગીના શરૂઆતનાં વર્ષોમાં તેને કોઈ પુરષ સાથે પ્રેમ ન થયો. હા! તેણે રખાત તરીકે ડઝનબંધ સ્ત્રી સખીઓ રાખી હતી. તેને સૌથી પ્રિય રખાત હતી એબા સ્પેરે નામની એક યુવતી. રૂપરૂપનાં અંબાર જેવ એબા તેનાં સૌંદર્ય માટે આખા રાજ્યમાં વિખ્યાત હતી. એબાનો એક આશિક હતો જેનું નામ હતું કાઉન્ટ જેકબ. ક્રિસ્ટિનાને એબા એટલી હદે પ્રિય હતી કે એ તેને જેકબથી દૂર રાખવાનાં પ્રયત્નો હરહંમેશ કરતી રહેતી. બહુ લાંબા સમય સુધી ક્રિસ્ટિનાએ એબાને જેકબથી બચાવી રાખી. પરંતુ અંતે એક દિવસ એ જેકબ સાથે ભાગી જ ગઈ. પરણીને બેઉ જ્યારે મહેલમાં આવ્યાત્યારે ગુસ્સે થઈ ને ક્રિસ્ટિનાએ એબા પર તલવારનો છૂટ્ટોઘા કર્યો. સદ્ નસીબે એબા બચી ગઈ. પરંતુ આ પ્રસંગથી એ પુરવાર થયું કે ક્રિસ્ટિના તેની સ્ત્રી મિત્રો માટે કેટલી હદે જઈ શકે છે.
ક્રિસ્ટિનાનો સૂર્ય મધ્યાહ્ને તપી રહ્યો હતો ત્યારે સ્વીડનમાં પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ર્ચન ધર્મનો પ્રભાવ હતો. ક્રિસ્ટિના ઇચ્છતી હતી કે તેમાં પરિવર્તન આવે. તેણે એ દિશામાં અગણિત પ્રયાસો કર્યા અને જરૂરી સુધારાઓ પણ કર્યા. પરંતુ ચંચળ મનની ક્રિસ્ટિનાને હવે આ બાબતોમાં બહુ રુચતું નહોતી. રાજપાટથી તેનું મન ભરાઈ ચૂક્યું હતું. અચાનક એક દિવસ તેણે ઘોષણા કરી કે, એ પોતાના ભાઈ રાજકુમાર ચાલ્ર્સ ગુસ્તાવસને પોતાનો ઉત્તરાધિકારી તરીકે નિમણુંક કરે છે અને પોતે બધું મૂકીને ચાલી જવાની છે.
ઉતાવળે જ તેણે પોતાની બધી રાજલીલા સંકેલી લીધી. બધુ છોડવાનું તો નામ માત્ર હતું. જ્યારે એ રાજધાની છોડી ને સ્વીડનના એક અંતરિયાળ ગામમાં વસવા માટે નીકળી ત્યારે તેની સાથે એલો સામાન હતો કે તેનાં ભાઈએ સમ્રાટ તરીકે કાર્યભાર સંભાળોય ત્યારે આખો મહેલ ખાલીખમ્મ થઈ ગયો હતો. ચાલ્ર્સ ગુસ્તાવસે તાત્કાલિક નવું ફર્નિચર વસાવવું પડ્યું.
તારીખ 23 ડિસેમ્બર-1654ના દિવસે ક્રિસ્ટિનાએ ખુદને કેથોલિક જાહેર કરી દીધી. તેણે ધર્મ પરિવર્તન કરી લીધું હતું. હવે એ બ્રુસેલ્સમાં રહેતી હતી. પુરુષોની અદામાં જીવતી અને હવાની ગતિથી ઘોડેસ્વારી કરતી મહારાણીને નિહાળવા અહીં પણ લોકોનો મેળો લાગતો. તેને ત્યાં સમલૈંગિક સામ્રાજ્ઞીના નામથી નવાજવામાં આવતી. ઇ.સ.1655માં જ્યારે તેની પોપ એલેકઝાન્ડર સાતમા સાથે મુલાકાત થઈ ત્યારે જબરો વિાદ થઈ ગયો. પોપ એલેક્ઝાન્ડરે તેને ધર્મ મુજબ રહેવા અને સંયમપૂર્ણ જીવન વિતાવવાની સહાલ આપી તો ક્રિસ્ટિના ઉકળી ઉઠી. તેણે પોપને મોં પર જ ફરમાવી દીધું: ‘મારે ગુલામ બનીને જીવવું નથી!’
આટલું જાણે ઓછું હોય તેમ ક્રિસ્ટિનાએ પોપના ગઢમાં જ ગાબડાં પાડી દીધા. તેણે પોપના બે સૌથી વરિષ્ઠ સહાયકોને જ પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધા. તેમાંથી એક એવા કાર્ડિનલ કોલોનાએ તો ક્રિસ્ટિના પાછળ ઘેલા થઈને ચર્ચનુ કામ જ છોડી દીધું. ગુસ્સે થઈ પોપએ કોલોનાની રોમમાંથી હકાલપટ્ટી કરી દીધી. બીજો કાર્ડિનલ એઝોલિનો પણ ક્રિસ્ટિનાનાં પ્રેમમાં પાગલ થઈ ગયો. કહેવાય છે કે, ક્રિસ્ટિના પણ તેને ચાહવા લાગીહતી.
આ વાતનો થોડો સમય વિત્યા હશે ત્યાં ઇટાલીથી એ 10 હજાર ઘોડેસ્વારો અને 16 હજાર સૈનિકો સાથે પેરિસ આવી પહોંચી. ફ્રાન્સમાં તેણે યોજેલા પ્રથમ જ સમારોહમાં તેણે અર્ધો ડઝન પુરુષોને પોતાની પ્રેમજાળમાં આબાદ ફસાવ્યા. ખૂલીને વાત એ છે કે, બધા એમ જ માનવા લાગ્યા હતા કે ક્રિસ્ટિના તેને પ્રેમ કરે છે! એ દરમિયાન જ તેણે પોતાની સાથે આવેલા સહાયક મોનાલ્ડેસ્કોને મોતની સજા આપી.
ક્રિસ્ટિનાની જોહુકમી અને મુન્સફીનો દૌર બહુ લાંબો ચાલ્યો. પણ સુરજનું સાંજે ઢળવું નિશ્ર્ચિત હોય છે તેમ ક્રિસ્ટિનાનાં યુગનો પણ ધીમે-ધીમે સૂર્યાસ્ત થયો. તૂર્કી સામે આખા યુરોપને એક કરવા તેણએ નિષ્ફળ પ્રયત્નો કર્યા- કોઈએ તેનું સાંભળ્યું નહીં. અંતે 1660માં એ કંટાળીને ફરી સ્વીડનગઈ- જ્યા એ પોતાનુ રાજપા છોડી આવી હતી. પરતુ તેનાં ભાઈએ અને પ્રજાએ ત્યાં તેનો ધુત્કાર કર્યો અને તેણે કાઢી મૂકી. પોતાનાં આખરી સમયમાં એ લગભગ કંગાળ બની ચૂકી હતી. બાકીના વર્ષો તેણે રોમમાં પસાર કર્યા અને 19 એપ્રિલ 1680ના દિવસે એ ગરીબીની અવસ્થામાં દુનિયા છોડી ગઈ.

You Might Also Like

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લાના રમતવીરો માટે સારાસમાચાર.
Next Article આ છે દેશની ટોપ 10 કંપનીઓ, ગત અઠવાડિયે 9 કંપનીઓના માર્કેટ કેપમાં થયો વધારો.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
TALK OF THE TOWNરાજકોટ

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
TALK OF THE TOWNરાજકોટ

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?