મુસાફરોના ધસારાને ધ્યાને લઇને નવ ડેપો પર આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
સાતમ-આઠમની રજાઓ હોવાથી મજુરો તેના માદરે વતન જાય છે સોરઠના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડે છે જેથી મુસાફરોને અવર-જવર માટે મુશ્કેલી ન થાય તે માટે એસટી ડિવીઝન દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ એસટી ડિવિઝનમાં જૂનાગઢ, બાંટવા, માંગરોળ, વેરાવળ, પોરબંદર, કેશોદ, ધોરાજી અને જેતપુર, ઉપલેટા એમ મળીકુલ નવ ડેપો આવેલા છે.
- Advertisement -
જૂનાગઢ એસટી વિભાગ નિયામકના જણાવ્યા મુબજ, ચાર જિલ્લાઓમાં નવ ડેપો પરથી રાજકોટ, અમદાવાદ, ભુજ, સોમનાથ, જામનગર, દ્વારકા અને સોમનાથ, સતાધાર સહિતના વિવિધ રૂટ પર બસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ ડેપોમાંથી 15, પોરબંદરમાં 12, કેશોદ 10, જેતપુર 8, ઉપલેટા, ધોરાજી, બાંટવા, માંગરોળમાં 6-6 મળી વધારાની કુલ 81 બસ શરૂ કરવામાં આવી છે.