By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 day ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    2 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    2 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    2 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    3 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    2 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    4 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    4 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    4 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    4 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    5 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    3 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    3 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામમંદિર નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો તો રામમંદિર મુદ્દે યશ સંઘ-ભાજપને ફાળે કેમ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > રામમંદિર નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો તો રામમંદિર મુદ્દે યશ સંઘ-ભાજપને ફાળે કેમ?
Bhavy Ravalખાસ-ખબરધર્મ

રામમંદિર નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો તો રામમંદિર મુદ્દે યશ સંઘ-ભાજપને ફાળે કેમ?

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

જાણો, ભાજપ અને સંઘનું પ્રદાન કેવું-કેટલું છે….

રામમંદિર નિર્માણ મામલે સંધ-ભાજપનો એક વર્ગ, ખાસ કરીને ભાજપ સમર્થકો જ સંઘ-ભાજપથી નારાજ હતા. કેન્દ્રમાં સંઘના સહકારથી ભાજપની સરકાર બન્યા બાદ મોટાભાગ લોકોની મહત્વકાંક્ષા હતી કે, ભાજપ સરકારે કાયદો બનાવીરામમંદિરનું નિર્માણ કરવું જોઈએ. એ લોકોને કોર્ટ-કચેરીથી કોઈ મતલબ ન હતો. એમને તો બસ ભાજપ સરકારરામમંદિરનું નિર્માણ કરે એટલું જ જોઈતું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી – ભાજપે જ્યારેરામમંદિર મુદ્દો ન્યાયમંદિરમાં જ ઉકેલાશે એવું કહ્યું ત્યારે અલગ-અલગ પ્રકારની વાતો થઈ ભાજપ પર આંગળી ઉઠવા લાગી હતી. એક આખા રાષ્ટ્રવાદી વર્ગ, એમાં ખાસ કરીને સંઘ કાર્યકરોને પણ આંચકો લાગી ભાજપે રામમંદિર મુદ્દે પાછીપાની કરી તેવી ધારણા બાંધી લીધી હતી.રામમંદિર નિર્માણ મુદ્દે કરોડો હિંદુઓને એકમાત્ર ભાજપ પાસેથી આશા-અપેક્ષા-ઈચ્છા હતી કે ભાજપ સરકાર રામમંદિર નિર્માણ કરશે. કોર્ટમાં નહીં પરંતુ કાયદો ઘડી. આ એવા બધા લોકો હતા જેમને અદાલતની કાર્યવાહી અને ચૂકાદાઓ અંગે પૂર્વગ્રહ હતા, પણ તેઓ એ વિચારી શકતા ન હતા કે જે વિવાદ 500 વર્ષોથી ચાલ્યો છે તેનું નિરાકરણ લાવવામાં સમય તો લાગે જ.
રામ મંદિર મુદ્દે મોદી-શાહ-યોગી અને ભાજપના ઉદ્દેશો પર શંકા થવા લાગી હતી. સંઘના કાર્યકરોથી લઈ સામાન્ય નાગરિકો પણ ઘણા નકારાત્મક બની ગયા તો બીજા કેટલાંક લોકો અન્ય પક્ષો સાથે જોડાઈ ગયા હતા. અહીં અભાવ તેમની પોતાની શ્રદ્ધામાં હતો પરંતુ તેઓ સેનાપતિને દોષી ગણાવવા લાગ્યા હતા. મંદિરનું નિર્માણ હોય કે હિંદુઓના હક્કની વાત, ભાજપ હંમેશા ભારતીયોનો અવાજ બન્યું છે. જો માત્રરામમંદિર નિર્માણમાં ભાજપના પ્રયત્નો અને તેના પરિણામો વિશે વાત કરવામાં આવે તો…
ભ્ સૌ પ્રથમ લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢીનેરામમંદિર નિર્માણનું વાતાવરણ બનાવ્યું હતું. જ્યારે યાત્રા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે વી.પી. સિંઘ પાસેથી ટેકો પાછો ખેંચી કેન્દ્ર સરકારને પાડી દીધી હતી. રામમંદિર મુદ્દે સરકારો બને છે પરંતુ આ મુદ્દે કેન્દ્ર સરકાર પડી ભાંગી હોય તેની વાત કોઈપણ કરતું નથી. બાદમાં કારસેવકો પર ગોળીબાર કર્યા બાદ ભાજપ સહિત અન્ય હિન્દુવાદી સંગઠનોનાં દબાણને કારણે મુલાયમ સરકારને પણ સરકારમાંથી વિદાય લેવી પડી હતી.

- Advertisement -

રામ જન્મભૂમિમાં રામનો વાસ કરાવવામાં અને મંદિર નિર્માણનો વનવાસ પૂર્ણ કરાવવામાં સંઘ-ભાજપની ભૂમિકા

મોદી-યોગીજીના આગમન પછી અયોધ્યાને તેની દિવ્યતા-ભવ્યતા મળી: મેડિકલ કોલેજ, એરપોર્ટ સહિતની કરોડો રૂપિયાની યોજનાઓ શરૂ કરાઈ

– 6 ડિસેમ્બરના રોજ બાબરી વિધ્વંસ મામલે કલ્યાણ સરકારે કારસેવકોને ટેકો આપ્યો અને પોલીસને ગોળીબાર કરતા અટકાવ્યા. જ્યારે ત્રણેય ઢાંચા પડી ભાંગ્યા ત્યારે એ કલ્યાણસિંહ જ હતા જેમણે એ જ સાંજે છાતી ઠોકીને કહ્યું હતું કે, અમારી સરકારમાં આ ઢાંચો તૂટ્યો છે અને હું તેની જવાબદારી જાતે લઈને કોઈપણ પ્રકારની ન્યાયિક તપાસનો સામનો કરવા તૈયાર છું. અને તેમણે જય શ્રીરામનો જયઘોષ પણ કર્યો હતો.
– ભાજપના ઘણા નેતાઓની સાથે મુખ્યત્વે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમાભારતી, વિનય કટિયાર, વેદાંતીજી મહારાજ જેવા લોકો હજી પણ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો સામનો કરી રહ્યાં હતા. જોકે હવે ચુકાદો આવી ગુયો છે અને તેઓ નિર્દોષ સાબિત થયા છે.
– જે એએસઆઈના ખોદકામના પુરાવા પર સુપ્રીમ કોર્ટમાંરામમંદિર તરફેણમાં નિર્ણય આવ્યો છે એ ખોદકામ શરૂ કરવામાં તત્કાલીન અટલ બિહારી સરકાર અને મુરલી મનોહર જોશીજીનો ફાળો છે.
– બાબરી વિધ્વંસ પહેલાં, કલ્યાણ સરકારે લગભગ 70 એકર જમીન હસ્તગત કરીને મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું હતું પરંતુ મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને અદાલતે સ્થાયી બાંધકામ પર રોક લગાવી દીધી હતી. પાછળથી આ જમીન કેન્દ્ર સરકારની હસ્તક આવી, જે જમીન મોદી સરકારે આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષોને આપવાની વાત કહી હતી.
– બીજી તરફ કોંગ્રેસ સરકારે શ્રીરામકાલ્પનિક વ્યક્તિ છે તેવું એફિડેવિટ પણ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવેલું તો કપિલ સિબ્બલે ચૂંટણી પહેલારામમંદિર મામલે નિર્ણય ન આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો અન્ય રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો.. સપાએ ગોળીઓ ચલાવી હતી અને યુપીમાં તેમની સરકાર રહી ત્યાં સુધી ક્યારેય મંદિરની તરફેણમાં નિવેદન આપ્યું ન હતું. પંચ કોસી અને ચૌરાસી કોસી યાત્રા દરમિયાન પણ મોટા અવરોધ ઉભા કર્યા હતા. આ સાથે જ ફૈઝાબાદ કોર્ટના ન્યાયધીશ જેમણે સૌ પ્રથમ તાળુ ખોલવાની મંજૂરી આપી હતી, મુલાયમ સરકારે તેમનું હાઈકોર્ટમાં પ્રમોશન અટકાવવા સુધી ષડયંત્ર રચેલા.
– લાલુ યાદવ હોય કે વામપંથીઓ કે કોંગ્રેસીઓ.. રામમંદિર મુદ્દે દરેકના ચહેરાઓ ઉઘાડા પડતા રહ્યાં છે. ત્યારે એક માત્ર ભાજપ જ હતું જેણે તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે, મંદિરનું નિર્માણ કાયદાકીય રીતે શાંતિ-સૌહાર્દપૂર્ણ રીતે થશે.
– મોદી-યોગીજીના આગમન પછી અયોધ્યાને તેની દિવ્યતા-ભવ્યતા મળી. મેડિકલ કોલેજ, એરપોર્ટ સહિતની કરોડો રૂપિયાની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી હતી. અહીં જ્યારે અખિલેશ કે માયાવતીની સરકાર હતી ત્યારે તેમણે એ જાણવું પણ મહત્વપૂર્ણ સમજ્યું ન હતું કે, ગોરખનાથપીઠના પ્રમુખ મહારાજજી છે, જેની ત્રણ પેઢીઓ મંદિર માટે લડત લડી રહી છે. તે જ સમયે યોગી સરકારે અયોધ્યામાં 251 મીટર ઉંચી શ્રીરામપ્રતિમાની સ્થાપના કરીને શ્રીરામના સ્વરૂપમાં દિવ્ય-ભવ્ય રીતે ન્યાય આપવાનું કામ શરૂ કર્યું.
– રામમંદિર મુદ્દે આ નિર્ણય મોદી સરકાર પહેલાની સરકારના કાર્યકાળમાં આવી શક્યો હોત પરંતુ ભાજપ સિવાય કોંગ્રેસ સહિતના તમામ પક્ષોરામમંદિર મુદ્દે એટલા બધા આડા ચાલ્યા કે દેશના ન્યાયિક ઈતિહાસમાં પહેલીવાર સીજેઆઈને મહાભિયોગનો સામનો કરવો પડ્યો.
– જ્યારે સીજેઆઈ જસ્ટિસ ગોગોઈએ આ કેસની દૈનિક સુનવણીની વાત કરી ત્યારે તેમના પર જાતીય શોષણનો આરોપ મૂકાયો હતો. તે સમયે અરુણ જેટલીએ એક બ્લોગ લખીને સીજેઆઈને ટેકો આપ્યો હતો. ત્યારબાદ કાયદાપ્રધાન અને મોદીજીએ પણ ન્યાયતંત્રનું ગૌરવ જાળવવાની વાત કરીને પરોક્ષ રીતે સીજેઆઇને ટેકો આપ્યો હતો.
– ભાજપના તમામ વિરોધી પક્ષો દ્વારા કેટકેટલા દાવપેચ રમવામાં આવ્યા હતા પરંતુ આ વખતે આખરે નિર્ણય આવી ગયો. આ બધી બાબતો તેવા લોકોએ સમજી લેવી જોઈએ કે જેઓ હજી પણ કહે છે કે જો રામમંદિર મુદ્દે નિર્ણય સુપ્રીમ કોર્ટ આપે તો તેની ક્રેડિટ ભાજપને કેમ મળે?
– તેથી જ ભાજપે સુપ્રીમ કોર્ટથી આ નિર્ણયની આશા રાખી હતી જેથી પોતાના કે અન્ય લોકો ભલે ભાજપની ટિકા કરે પરંતુ કોર્ટના નિર્ણય કેરામમંદિર મુદ્દે ભવિષ્યમાં ક્યારેય આંગળી ન ચીંધી શકે. તેથી કેન્દ્રમાં સરકાર હોવા છતાં ભાજપેરામમંદિર મુદ્દે કાયદો બનાવવાનો વિકલ્પ પ્લાન-બી તરીકે રાખ્યો હતો.
– અંતે અયોધ્યા કેસ અંગે ઐતિહાસિક નિર્ણય આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે દિવ્ય-ભવ્યરામમંદિર બનાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને જ સોંપી છે પણ આ બધી બાબતો કટ્ટરવાદી લોકો સમજી નહીં શકે.
– અલબત્ત એકલું ભાજપ જ નહીં, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્ર્વ હિંદુ પરિષદને પણ અયોઘ્યાધામમાં શ્રી રામ મંદિર પુન:નિર્માણ પાછળનો યશ મળવો જોઈએ. જોકે અઢળક ધાર્મિક સંસ્થાઓ અને સનાતનીઓએ શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે અભિયાન ચલાવ્યા છે, બલિદાન આપ્યા છે. અંતે ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ ટૂંકમાં કહીએ તો સંઘ-ભાજપ જ આ સૌમાં શ્રી રામ મંદિર પુન:નિર્માણ પાછળનો યશ મળવાને-ભોગવાને વધુ યોગ્ય જણાય છે.

- Advertisement -

You Might Also Like

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

TAGGED: BJP, RAMTEMPLE, RSS, supremecourt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગની રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે ઉત્સાહભેર ઉજવણી થશે
Next Article દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર કોના અસ્ત્ર હતાં?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?