By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    36 minutes ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    1 hour ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    1 hour ago
    ફ્રાન્સ: આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે બે લાખ લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવર બંધ થતાં દેશવ્યાપી હડતાલ
    1 day ago
    હવે મોરક્કોમાં ‘નેપાળવાળી’: 160 કાર ફુંકાઇ, 263 પોલીસ ઘાયલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    7 minutes ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    14 minutes ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    21 minutes ago
    કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
    22 hours ago
    ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
    રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર: પીએમ મોદીએ એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમની રોમાંચક જીત પર અભિનંદન આપ્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામમંદિર નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો તો રામમંદિર મુદ્દે યશ સંઘ-ભાજપને ફાળે કેમ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > રામમંદિર નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો તો રામમંદિર મુદ્દે યશ સંઘ-ભાજપને ફાળે કેમ?
Bhavy Ravalખાસ-ખબરધર્મ

રામમંદિર નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો તો રામમંદિર મુદ્દે યશ સંઘ-ભાજપને ફાળે કેમ?

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

જાણો, ભાજપ અને સંઘનું પ્રદાન કેવું-કેટલું છે….

રામમંદિર નિર્માણ મામલે સંધ-ભાજપનો એક વર્ગ, ખાસ કરીને ભાજપ સમર્થકો જ સંઘ-ભાજપથી નારાજ હતા. કેન્દ્રમાં સંઘના સહકારથી ભાજપની સરકાર બન્યા બાદ મોટાભાગ લોકોની મહત્વકાંક્ષા હતી કે, ભાજપ સરકારે કાયદો બનાવીરામમંદિરનું નિર્માણ કરવું જોઈએ. એ લોકોને કોર્ટ-કચેરીથી કોઈ મતલબ ન હતો. એમને તો બસ ભાજપ સરકારરામમંદિરનું નિર્માણ કરે એટલું જ જોઈતું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી – ભાજપે જ્યારેરામમંદિર મુદ્દો ન્યાયમંદિરમાં જ ઉકેલાશે એવું કહ્યું ત્યારે અલગ-અલગ પ્રકારની વાતો થઈ ભાજપ પર આંગળી ઉઠવા લાગી હતી. એક આખા રાષ્ટ્રવાદી વર્ગ, એમાં ખાસ કરીને સંઘ કાર્યકરોને પણ આંચકો લાગી ભાજપે રામમંદિર મુદ્દે પાછીપાની કરી તેવી ધારણા બાંધી લીધી હતી.રામમંદિર નિર્માણ મુદ્દે કરોડો હિંદુઓને એકમાત્ર ભાજપ પાસેથી આશા-અપેક્ષા-ઈચ્છા હતી કે ભાજપ સરકાર રામમંદિર નિર્માણ કરશે. કોર્ટમાં નહીં પરંતુ કાયદો ઘડી. આ એવા બધા લોકો હતા જેમને અદાલતની કાર્યવાહી અને ચૂકાદાઓ અંગે પૂર્વગ્રહ હતા, પણ તેઓ એ વિચારી શકતા ન હતા કે જે વિવાદ 500 વર્ષોથી ચાલ્યો છે તેનું નિરાકરણ લાવવામાં સમય તો લાગે જ.
રામ મંદિર મુદ્દે મોદી-શાહ-યોગી અને ભાજપના ઉદ્દેશો પર શંકા થવા લાગી હતી. સંઘના કાર્યકરોથી લઈ સામાન્ય નાગરિકો પણ ઘણા નકારાત્મક બની ગયા તો બીજા કેટલાંક લોકો અન્ય પક્ષો સાથે જોડાઈ ગયા હતા. અહીં અભાવ તેમની પોતાની શ્રદ્ધામાં હતો પરંતુ તેઓ સેનાપતિને દોષી ગણાવવા લાગ્યા હતા. મંદિરનું નિર્માણ હોય કે હિંદુઓના હક્કની વાત, ભાજપ હંમેશા ભારતીયોનો અવાજ બન્યું છે. જો માત્રરામમંદિર નિર્માણમાં ભાજપના પ્રયત્નો અને તેના પરિણામો વિશે વાત કરવામાં આવે તો…
ભ્ સૌ પ્રથમ લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢીનેરામમંદિર નિર્માણનું વાતાવરણ બનાવ્યું હતું. જ્યારે યાત્રા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે વી.પી. સિંઘ પાસેથી ટેકો પાછો ખેંચી કેન્દ્ર સરકારને પાડી દીધી હતી. રામમંદિર મુદ્દે સરકારો બને છે પરંતુ આ મુદ્દે કેન્દ્ર સરકાર પડી ભાંગી હોય તેની વાત કોઈપણ કરતું નથી. બાદમાં કારસેવકો પર ગોળીબાર કર્યા બાદ ભાજપ સહિત અન્ય હિન્દુવાદી સંગઠનોનાં દબાણને કારણે મુલાયમ સરકારને પણ સરકારમાંથી વિદાય લેવી પડી હતી.

- Advertisement -

રામ જન્મભૂમિમાં રામનો વાસ કરાવવામાં અને મંદિર નિર્માણનો વનવાસ પૂર્ણ કરાવવામાં સંઘ-ભાજપની ભૂમિકા

મોદી-યોગીજીના આગમન પછી અયોધ્યાને તેની દિવ્યતા-ભવ્યતા મળી: મેડિકલ કોલેજ, એરપોર્ટ સહિતની કરોડો રૂપિયાની યોજનાઓ શરૂ કરાઈ

– 6 ડિસેમ્બરના રોજ બાબરી વિધ્વંસ મામલે કલ્યાણ સરકારે કારસેવકોને ટેકો આપ્યો અને પોલીસને ગોળીબાર કરતા અટકાવ્યા. જ્યારે ત્રણેય ઢાંચા પડી ભાંગ્યા ત્યારે એ કલ્યાણસિંહ જ હતા જેમણે એ જ સાંજે છાતી ઠોકીને કહ્યું હતું કે, અમારી સરકારમાં આ ઢાંચો તૂટ્યો છે અને હું તેની જવાબદારી જાતે લઈને કોઈપણ પ્રકારની ન્યાયિક તપાસનો સામનો કરવા તૈયાર છું. અને તેમણે જય શ્રીરામનો જયઘોષ પણ કર્યો હતો.
– ભાજપના ઘણા નેતાઓની સાથે મુખ્યત્વે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમાભારતી, વિનય કટિયાર, વેદાંતીજી મહારાજ જેવા લોકો હજી પણ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો સામનો કરી રહ્યાં હતા. જોકે હવે ચુકાદો આવી ગુયો છે અને તેઓ નિર્દોષ સાબિત થયા છે.
– જે એએસઆઈના ખોદકામના પુરાવા પર સુપ્રીમ કોર્ટમાંરામમંદિર તરફેણમાં નિર્ણય આવ્યો છે એ ખોદકામ શરૂ કરવામાં તત્કાલીન અટલ બિહારી સરકાર અને મુરલી મનોહર જોશીજીનો ફાળો છે.
– બાબરી વિધ્વંસ પહેલાં, કલ્યાણ સરકારે લગભગ 70 એકર જમીન હસ્તગત કરીને મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું હતું પરંતુ મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને અદાલતે સ્થાયી બાંધકામ પર રોક લગાવી દીધી હતી. પાછળથી આ જમીન કેન્દ્ર સરકારની હસ્તક આવી, જે જમીન મોદી સરકારે આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષોને આપવાની વાત કહી હતી.
– બીજી તરફ કોંગ્રેસ સરકારે શ્રીરામકાલ્પનિક વ્યક્તિ છે તેવું એફિડેવિટ પણ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવેલું તો કપિલ સિબ્બલે ચૂંટણી પહેલારામમંદિર મામલે નિર્ણય ન આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો અન્ય રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો.. સપાએ ગોળીઓ ચલાવી હતી અને યુપીમાં તેમની સરકાર રહી ત્યાં સુધી ક્યારેય મંદિરની તરફેણમાં નિવેદન આપ્યું ન હતું. પંચ કોસી અને ચૌરાસી કોસી યાત્રા દરમિયાન પણ મોટા અવરોધ ઉભા કર્યા હતા. આ સાથે જ ફૈઝાબાદ કોર્ટના ન્યાયધીશ જેમણે સૌ પ્રથમ તાળુ ખોલવાની મંજૂરી આપી હતી, મુલાયમ સરકારે તેમનું હાઈકોર્ટમાં પ્રમોશન અટકાવવા સુધી ષડયંત્ર રચેલા.
– લાલુ યાદવ હોય કે વામપંથીઓ કે કોંગ્રેસીઓ.. રામમંદિર મુદ્દે દરેકના ચહેરાઓ ઉઘાડા પડતા રહ્યાં છે. ત્યારે એક માત્ર ભાજપ જ હતું જેણે તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે, મંદિરનું નિર્માણ કાયદાકીય રીતે શાંતિ-સૌહાર્દપૂર્ણ રીતે થશે.
– મોદી-યોગીજીના આગમન પછી અયોધ્યાને તેની દિવ્યતા-ભવ્યતા મળી. મેડિકલ કોલેજ, એરપોર્ટ સહિતની કરોડો રૂપિયાની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી હતી. અહીં જ્યારે અખિલેશ કે માયાવતીની સરકાર હતી ત્યારે તેમણે એ જાણવું પણ મહત્વપૂર્ણ સમજ્યું ન હતું કે, ગોરખનાથપીઠના પ્રમુખ મહારાજજી છે, જેની ત્રણ પેઢીઓ મંદિર માટે લડત લડી રહી છે. તે જ સમયે યોગી સરકારે અયોધ્યામાં 251 મીટર ઉંચી શ્રીરામપ્રતિમાની સ્થાપના કરીને શ્રીરામના સ્વરૂપમાં દિવ્ય-ભવ્ય રીતે ન્યાય આપવાનું કામ શરૂ કર્યું.
– રામમંદિર મુદ્દે આ નિર્ણય મોદી સરકાર પહેલાની સરકારના કાર્યકાળમાં આવી શક્યો હોત પરંતુ ભાજપ સિવાય કોંગ્રેસ સહિતના તમામ પક્ષોરામમંદિર મુદ્દે એટલા બધા આડા ચાલ્યા કે દેશના ન્યાયિક ઈતિહાસમાં પહેલીવાર સીજેઆઈને મહાભિયોગનો સામનો કરવો પડ્યો.
– જ્યારે સીજેઆઈ જસ્ટિસ ગોગોઈએ આ કેસની દૈનિક સુનવણીની વાત કરી ત્યારે તેમના પર જાતીય શોષણનો આરોપ મૂકાયો હતો. તે સમયે અરુણ જેટલીએ એક બ્લોગ લખીને સીજેઆઈને ટેકો આપ્યો હતો. ત્યારબાદ કાયદાપ્રધાન અને મોદીજીએ પણ ન્યાયતંત્રનું ગૌરવ જાળવવાની વાત કરીને પરોક્ષ રીતે સીજેઆઇને ટેકો આપ્યો હતો.
– ભાજપના તમામ વિરોધી પક્ષો દ્વારા કેટકેટલા દાવપેચ રમવામાં આવ્યા હતા પરંતુ આ વખતે આખરે નિર્ણય આવી ગયો. આ બધી બાબતો તેવા લોકોએ સમજી લેવી જોઈએ કે જેઓ હજી પણ કહે છે કે જો રામમંદિર મુદ્દે નિર્ણય સુપ્રીમ કોર્ટ આપે તો તેની ક્રેડિટ ભાજપને કેમ મળે?
– તેથી જ ભાજપે સુપ્રીમ કોર્ટથી આ નિર્ણયની આશા રાખી હતી જેથી પોતાના કે અન્ય લોકો ભલે ભાજપની ટિકા કરે પરંતુ કોર્ટના નિર્ણય કેરામમંદિર મુદ્દે ભવિષ્યમાં ક્યારેય આંગળી ન ચીંધી શકે. તેથી કેન્દ્રમાં સરકાર હોવા છતાં ભાજપેરામમંદિર મુદ્દે કાયદો બનાવવાનો વિકલ્પ પ્લાન-બી તરીકે રાખ્યો હતો.
– અંતે અયોધ્યા કેસ અંગે ઐતિહાસિક નિર્ણય આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે દિવ્ય-ભવ્યરામમંદિર બનાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને જ સોંપી છે પણ આ બધી બાબતો કટ્ટરવાદી લોકો સમજી નહીં શકે.
– અલબત્ત એકલું ભાજપ જ નહીં, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્ર્વ હિંદુ પરિષદને પણ અયોઘ્યાધામમાં શ્રી રામ મંદિર પુન:નિર્માણ પાછળનો યશ મળવો જોઈએ. જોકે અઢળક ધાર્મિક સંસ્થાઓ અને સનાતનીઓએ શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે અભિયાન ચલાવ્યા છે, બલિદાન આપ્યા છે. અંતે ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ ટૂંકમાં કહીએ તો સંઘ-ભાજપ જ આ સૌમાં શ્રી રામ મંદિર પુન:નિર્માણ પાછળનો યશ મળવાને-ભોગવાને વધુ યોગ્ય જણાય છે.

- Advertisement -

You Might Also Like

Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે

અંબાજી મંદિરમાં શનિવારે 1,111 બાલીકાઓના પૂજન કાર્યક્રમ, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

જીત બાદ પણ ભારતીય ટીમે ACCના અધ્યક્ષના હસ્તે ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો, બુમરાહે આપ્યો તેની જ ભાષામાં જવાબ

17 વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની આગરાની હોટેલમાંથી ધરપકડ કરાઈ

આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે

TAGGED: BJP, RAMTEMPLE, RSS, supremecourt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગની રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે ઉત્સાહભેર ઉજવણી થશે
Next Article દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર કોના અસ્ત્ર હતાં?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ-ખબરગુજરાત

અંબાજી મંદિરમાં શનિવારે 1,111 બાલીકાઓના પૂજન કાર્યક્રમ, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ-ખબરસ્પોર્ટ્સ

જીત બાદ પણ ભારતીય ટીમે ACCના અધ્યક્ષના હસ્તે ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો, બુમરાહે આપ્યો તેની જ ભાષામાં જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?