By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    2 days ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    4 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    4 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    5 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    2 days ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    2 days ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    2 days ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    2 days ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    5 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    5 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 week ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 week ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 week ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જે મનુષ્યની ઊંઘ કોઇ કારણ વિના બ્રહ્મ મુહૂર્તમાં ઊડી જાય તો સમજી લેવું જોઇએ કે તેનું જીવન આધ્યાત્મિક માર્ગ પર જવા પરિવર્તન પામી રહ્યું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > જે મનુષ્યની ઊંઘ કોઇ કારણ વિના બ્રહ્મ મુહૂર્તમાં ઊડી જાય તો સમજી લેવું જોઇએ કે તેનું જીવન આધ્યાત્મિક માર્ગ પર જવા પરિવર્તન પામી રહ્યું છે
Dr. Sharad Thakar

જે મનુષ્યની ઊંઘ કોઇ કારણ વિના બ્રહ્મ મુહૂર્તમાં ઊડી જાય તો સમજી લેવું જોઇએ કે તેનું જીવન આધ્યાત્મિક માર્ગ પર જવા પરિવર્તન પામી રહ્યું છે

Khaskhabar Editor
Last updated: 2022/02/15 at 5:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

– ડૉ.શરદ ઠાકર

સદગુરુ શ્રી જગ્ગી વાસુદેવ કહે છે કે મધ્ય-રાત્રિ પછીનો 2.30 થી 3.00 વાગ્યા સુધીનો સમય ન સમજી શકાય તેવો અકળ છે. આ દરમિયાન બ્રહ્માંડમાં કશુંક થાય છે. જે. કૃષ્ણમૂર્તિ, ઓશો અને એમની પહેલાં થઇ ગયેલા પ્રાચીન ઋષિઓ આ સમયને બ્રહ્મા મુહૂર્ત કહી ગયા છે. ક્યારેક તમે ત્રણ વાગે જાગી જશો તો અચાનક પક્ષીઓના અવાજોથી વાતાવરણ ગુંજી ઊઠતું સંભળાશે. સકળ સૃષ્ટિ માટે આ જાગવાનો સમય છે. સાધના કરવાનો સમય છે. નામદાર આગાખાન કહે છે કે આ સમયે આસમાનમાંથી માલિક પૃથ્વી પર આશીર્વાદ વરસાવે છે. તે ઝીલવા માટે મનુષ્યે જાગી જવું જોઇએ. સિદ્ધપુરુષો કહે છે કે જે મનુષ્યની ઊંઘ કોઇપણ કારણ વિના બ્રહ્મા મુહૂર્તમાં ઊડી જાય તો તેણે સમજી લેવું જોઇએ કે તેનું જીવન આધ્યાત્મિક માર્ગ ઉપર જવા માટે પરિવર્તન પામી રહ્યું છે. મારી અંગત જિંદગીના છ-છ દાયકાઓ સુધી સવારના નવ વાગ્યા સુધી પથારીમાં ઘોરતો રહેલો હું છેલ્લા ત્રણેક વર્ષથી અનાયાસ, એલાર્મ વગર અઢીથી ત્રણથી વચ્ચે જાગી જઉં છું. ધ્યાન સારું લાગે છે. પછી સાડા ત્રણ વાગે પાછો ઊંઘી જઉં છું. ક્યારેક નથી પણ ઊંઘતો. નરસિંહ મહેતા ગાઇ ગયા છે: રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી; સાધુપુરુષે સૂઇ ન રહેવું. એક જૂનાગઢી ભક્તકવિએ આપેલી સલાહ મારા જેવો પામર જૂનાગઢી રહી રહીને અનુસરી રહ્યો છે.

- Advertisement -

જો જાગત હૈ સો પાવત હૈ,
જો સોવત હૈ વો ખોવત હૈ.

રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી; સાધુ પુરુષે સૂઇ ન રહેવું…
– નરસિંહ મહેતા

અધ્યાત્મના માર્ગ ઉપર આગળ વધવા માટે સાધકનો અહંકાર પૂર્ણપણે ઓગળી જાય તે પ્રથમ આવશ્યકતા

- Advertisement -

અધ્યાત્મના માર્ગ ઉપર આગળ વધવા માટે સાધકનો અહંકાર પૂર્ણપણે ઓગળી જાય તે પ્રથમ આવશ્યકતા છે. આજથી 26 વર્ષ પહેલાં મેં લેખનકાર્યની શરૂઆત કરી હતી ત્યારે ગુજરાતના એક દિગ્ગજ લેખકે મને સલાહ આપી હતી, ‘તારો અહં જાળવી રાખજે. એ જ તને સારો લેખક બનાવશે. કોઇ પણ કળાકાર (લેખક, કવિ, વક્તા, અભિનેતા, ગીતકાર, સંગીતકાર, ગાયક, ચિત્રકાર કે કોઇ પણ) જ્યારે કળાનું ક્ષેત્ર પસંદ કરે છે ત્યારે તેનું એક ધ્યેય નામના પ્રાપ્ત કરવાનું હોય છે. પ્રખ્યાત થવાની ઇચ્છા એ જ એના અહંનું સ્થાપન, અન્યો દ્વારા એની સ્વીકૃતિ.’ હું પણ દાયકાઓ સુધી આવા અહંને પાળતો રહ્યો, પંપાળતો રહ્યો. પછી સાધનાના પ્રથમ પગથિયે મને શ્રી પાંડુરંગદાદાએ કહેલી એક વાત યાદ આવી ગઇ.

પૂજ્ય પાંડુરંગદાદાએ એક બોધકથા સંભળાવી હતી. પ્રાચીનકાળમાં એક નવનિર્મિત મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવવાની હતી. શિલ્પકારને ત્યાંથી એ મૂર્તિ લઇ આવવા માટે કોઇ વાહન ઉપલબ્ધ ન હતું. એક ગધેડાને શણગારીને તેના પર પાલખી મૂકીને ભગવાનની મૂર્તિ તેમાં મૂકવામાં આવી. પ્રવાસ શરૂ થયો. માર્ગમાં આવતાં ગામડે ગામડે ગર્દભરાજનું સામૈયું કરવામાં આવ્યું. શ્રીફળો વધેરવામાં આવ્યાં. સ્વાદિષ્ટ ભોગ ધરાવવામાં આવ્યા. ગર્દભ અભિમાનથી છલકાઇ ઊઠ્યો. આખરે મૂર્તિ મંદિર સુધી પહોંચી ગઇ. પાલખી ઉતારી લેવામાં આવી. હવે ગર્દભરાજ સામાન્ય ગધેડો બની ગયા. લોકો સામૈયાને બદલે એને ડફણાં મારવા લાગ્યાં. ગધેડાએ એના માલિકને પૂછ્યું, ‘આવું કેમ થયું?’ માલિકે જવાબ આપ્યો, ’જે માનપાન આપવામાં આવતું હતું તે તારા પર બિરાજમાન પરમાત્માને માટે હતું, તારા માટે નહીં.’
આવું જ આપણા દેહ અને આત્મા માટે કહી શકાય. મારું કે તમારું જે કંઇ સન્માન થાય છે તે આપણી ભીતર રહેલાં ચૈતન્યનું થાય છે, પરમ તત્ત્વનું થાય છે, આપણા દેહનું નહીં. મારા મિત્ર ડો. અનિલ રાવલ કહે છે, ‘જો અભિમાન ઓગાળવું હોય તો આપણાથી નીચા માનવીઓની સેવા કરો.’ અહીં ‘નીચા’નો અર્થ ‘હલકા’ એવો નથી કરવાનો પરંતુ વંચિતો એવો કરવાનો છે. આવી એક અંગત ઘટના ક્યારેક જાહેર કરવી છે.

You Might Also Like

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

કર્તાભાવ વિસરીને સાક્ષીભાવ ધારણ કરે તે ક્ષણથી મનુષ્ય કર્મ ફળથી મુક્ત થઈ જાય

જ્યારે સમય નહોતો ત્યારે શિવ હતા: બ્રહ્માંડના સર્જનની આધ્યાત્મિક પરિભાષા

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૂછતા હૈ ભારત!
Next Article રાજકોટમાં કેબિન પાર્લરમાં પ્રેમી પંખીડાઓની ગુટર..ગૂં..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Dr. Sharad Thakar

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Dr. Sharad Thakar

કર્તાભાવ વિસરીને સાક્ષીભાવ ધારણ કરે તે ક્ષણથી મનુષ્ય કર્મ ફળથી મુક્ત થઈ જાય

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?