પત્રકાર સાથે દુર્વ્યવહારના કેસમાં બોલીવુડ એકટર સલમાનખાન બોમ્બે હાઈકોર્ટે રાહત આપી છે. પત્રકારના દુર્વ્યવહારના આરોપોને ખોટા કરી કોર્ટે સલમાનખાન સામે વર્ષ 2019માં કરવામાં આવેલી પત્રકારની ફરિયાદને ફગાવી દીધી હતી.
આ અંગેની વિગત મુજબ 2019માં અશોક પાંડે નામનો પત્રકાર સલમાનખાન સાથે એક ફોટો લઈ રહ્યો હતો ત્યારે અભિનેતાના બોડીગાર્ડ નવાઝ શેખે તેનો ફોન છીનવી લીધો હતો અને તેની સાથે મારપીટ કરી હતી તેણે આરોપ લગાવ્યો હતો કે સલમાનખાને પણ તેમને ધમકી આપી હતી. બોમ્બે હાઈકોર્ટે આજે બધા આરોપોને નિરાધાર ઠેરવીને સલમાનખાનને કલીનચીટ આપી દીધી હતી.