શિવાજી મહારાજે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું: મોહન ભાગવત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું – છત્રપતિ શિવાજી મહારાજ દેશમાં વિદેશી આક્રમણકારો દ્વારા હારની સદીઓ જૂની પરંપરાનો અંત લાવ્યા હતા. તેમણે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું. એટલા માટે તેમને યુગપુરુષ કહેવામાં આવે છે.
ભાગવતે કહ્યું- યુદ્ધો હારવાની આ પરંપરા સિકંદર મહાનના સમયથી ઇસ્લામ ફેલાવવાના નામે મોટા હુમલાઓ સુધી ચાલુ રહી. ભારતની વ્યવસ્થાઓનો નાશ થતો રહ્યો. વિજયનગર સામ્રાજ્ય અને રાજસ્થાનના રાજાઓ પણ આનો કોઈ ઉકેલ લાવી શક્યા નહીં.
ભારત લાંબા સમય સુધી હારની પરંપરા સાથે સંઘર્ષ કરતું રહ્યું. મરાઠા સામ્રાજ્યની સ્થાપના 17મી સદીમાં થઈ હતી. શિવાજી મહારાજ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે આવા હુમલાઓ અને આક્રમણોનો ઉકેલ શોધ્યો. શિવાજી મહારાજના ઉદય સાથે વિદેશી આક્રમણકારો તરફથી સતત હારનો સમયગાળો સમાપ્ત થયો.
શિવાજી મહારાજની પ્રેરણા આજે પણ પ્રાસંગિક છે. રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિઓએ પણ શિવાજી પાસેથી પ્રેરણા લીધી હતી.
શિવાજી મહારાજની બહાદુરીને યાદ કરતા ભાગવતે કહ્યું કે જ્યારે તેમને ઔરંગઝેબે આગ્રામાં કેદ કર્યા હતા, ત્યારે તેઓ ત્યાંથી નાશી છુટ્યા હતા અને તેમનો કિલ્લો પાછો જીતી લીધો હતો. શાંતિ સમાધાનમાં તેમણે જે કંઈ આપવાનું નક્કી કર્યું હતું તે પાછું મેળવ્યું અને છત્રપતિ શિવાજી મહારાજ તરીકે પોતાને સ્થાપિત કર્યા. તેમનો રાજ્યાભિષેક આ આક્રમણકારોના અંતનું પ્રતીક બન્યું હતું.ભાગવતે નાગપુરમાં સ્વર્ગસ્થ સુમંત ટેકયડે દ્વારા લખાયેલ પુસ્તક ‘યુગંધર શિવરાય’નું વિમોચન કર્યું, જેમણે મરાઠા શાસકો પર અનેક પુસ્તકો લખ્યા હતા.
શિવાજી મહારાજે દક્ષિણ ભારતના કેટલાક ભાગો જીતી લીધા. તેમનામાંથી પ્રેરણા લઈને, રાજસ્થાનમાં દુર્ગાદાસ રાઠોડ, બુંદેલખંડમાં છત્રસાલ અને ઉત્તર-પૂર્વમાં ચક્રધ્વજ સિંહ જેવા શાસકોએ પણ મુઘલોને પાછળ ધકેલી દેવાનું શરૂ કર્યું. ચક્રધ્વજ સિંહે બીજા રાજાને એક પત્ર લખ્યો હતો, જેમાં શિવાજી મહારાજને આદર્શ ગણાવ્યા હતા.
ભાગવતે કહ્યું કે, દક્ષિણ ભારતના એક અભિનેતાએ શિવાજી પર બનેલી ફિલ્મમાં કામ કર્યું હતું, ત્યારબાદ તેમનું નામ ગણેશનથી બદલીને શિવાજી ગણેશન રાખવામાં આવ્યું હતું.
RSSના સ્થાપકો કેશવ હેડગેવાર, માધવરાવ ગોલવલકર અને બાળાસાહેબ દેવરસે અલગ અલગ સમયે કહ્યું હતું કે સંઘનું કાર્ય સિદ્ધાંતમાં છે, સંઘનું કાર્ય વ્યક્તિગત નથી.
આપણે હંમેશા ચાલતા રહીએ છીએ, લોકો આવતા-જતા રહે છે, તેથી જ નિર્ગુણ ઉપાસના મુશ્કેલ છે. આપણા માટે પૌરાણિક સમયમાં હનુમાનજી આદર્શ હતા, આ આધુનિક યુગમાં શિવાજી મહારાજ આદર્શ છે.
મરાઠા સામ્રાજ્યની સ્થાપના 17મી સદીમાં થઈ હતી, શિવાજી મહારાજ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે આવા હુમલાઓ અને આક્રમણોનો ઉકેલ શોધ્યો