By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    4 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    4 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    5 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    5 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 hour ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    4 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    4 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    5 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    3 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    3 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બે હત્યાના ભેદ ઉકેલતી રાજકોટ પોલીસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > બે હત્યાના ભેદ ઉકેલતી રાજકોટ પોલીસ
TALK OF THE TOWN

બે હત્યાના ભેદ ઉકેલતી રાજકોટ પોલીસ

Khaskhabar Editor
Last updated: 2020/09/20 at 1:19 AM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

બાળકીઓની હત્યા કરનાર ગિરફ્તાર: હવસખોરે છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના ઇરાદે હત્યા કરી ગળું કાપી માથામાં હથોડીના ઘા ઝીંક્યા હતા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે આજે બે બાળકીઓની હત્યા કરનાર સિરિયલ કિલરને ઝડપી પાડ્યો છે. ત્યાર બાદ તેની કડક પૂછપરછ કરીને રાજકોટ તથા રાજસ્થાન સહિત બે દીકરીઓની હત્યાનો ભેદ પણ ઉકેલ્યો છે. આરોપીએ 13 ઓગસ્ટે રાજકોટમાં 6 વર્ષની બાળકીની દુષ્કર્મના ઈરાદે માથામાં હથોડીના ઘા અને ગળે છરી મારીને હત્યા કરી હતી. આરોપી કાળું ઉર્ફે વિક્રમ ઉર્ફે અર્જુન નામનાં આ શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીને આધારે જામનગરનાં લાલપુર તાલુકાનાં કરેણ ગામેથી ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વિકૃત અને હત્યારો એવો વિક્રમ ઉર્ફે કાળુ ઉર્ફે અર્જુન જીવાભાઇ ડામોર મીણા મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગામનો છે. આ અગાઉ એક હત્યાના ગુનામાં સજા કાપતો હતો. ત્યારબાદ ફરાર હતો અને તેણે જોધપુરમાં પણ એક બાળકી પર બળાત્કાર ગુજારી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. આમ અત્યાર સુધીમાં તે બે બાળા સહિત ત્રણની હત્યા કરી ચૂક્યો છે. આ કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અભિનંદન પાઠવી રૂ. 15000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરીછે.
ગત તારીખ 13 ઓગસ્ટના રોજ ગોંડલ રોડ પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સિટીની સાઇટ પર મજૂરી કરતા અને ત્યાં ઓરડી બનાવી રહેતાં અરવિંદભાઇ રસિયાભાઇ ડામોરની 6 વર્ષની દીકરી નેન્સીની ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી હતી. બાળકી પર આરોપીએ બળાત્કાર ગુજારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળાએ ચીસાચીસ કરી મુકતાં તેનું ગળુ છરીથી કાપી, માથે હથોડીના ઘા ફટકારીને ક્રુરતાથી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ માટે પણ હત્યાનો ભેદ ઉકેલવો પડકાર હતો. આ માટે 1500 જેટલા મજૂરોની પૂછપરછ કરી હતી. ટેકનીકલ એનાલિસિસને આધારે પડવલા, તરસાઈ, જામજોધપુર અને ગોંડલ સહિતની જગ્યાએ તપાસ કરી હતી. જેમાં માત્ર આરોપી વિક્રમનો ફોટો જ મળ્યો હતો. ચબરાક આરોપીએ ફોન પણ ફેંકી દીધો હતો અને તેના વિરૂધ્ધ કોઇ પુરાવા ન હોઇ કેસ બ્લાઇન્ડ થઇ ગયો હતો. જો કે ક્રાઇમ બ્રાંચની ટીમોએ વિક્રમનાં જુના શેઠો તથા તેની સાથે કામ કરતાં મજૂરોને પણ તપાસ્યા હતાં. ક્ધસ્ટ્રકશનની સાઇટો પર તપાસ કરતા અંતે આરોપીને પકડવામાં સફળતા મળી છે.

Contents
બાળકીઓની હત્યા કરનાર ગિરફ્તાર: હવસખોરે છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના ઇરાદે હત્યા કરી ગળું કાપી માથામાં હથોડીના ઘા ઝીંક્યા હતાબાળક ઉઠાવતી ગેંગ ઝડપાઇ: 1 લાખ રૂપિયામાં બાળકોને વેંચી દેતા હતા: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિની લાલચમાં રાજકોટથી બાળક ચોર્યું હતુંપોતાના બાળકની જેમ સાચવતા નાથાલાલ પોલીસ હકીકત સાંભળી રડી પડ્યારૂપાળું બાળક શોધવા ત્રણેયે ચોટીલા, જામનગર, રાજકોટમાં 15 દિવસ સુધી રેકી કરી’તીલગ્ને-લગ્ને કુંવારી સલમાએ પાંચ લગ્ન કર્યા છે

હવસખોરની કબુલાત
ઝડપાયેલા વિક્રમ ઉર્ફ કાળુએ કબુલાત આપી હતી કે 13મીએ બપોર બાદ પોતે ઓરડીમાં એકલો હતો ત્યારે બાળકી રમતી-રમતી ઓરડીમાં આવતાં પોતાની દાનત બગડી હતી અને ઓરડી બંધ કરી બાળા પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. બાળકી સાથે અડપલા શરૂ કરતાં તેણીએ દેકારો મચાવતાં પકડાઇ જવાનો ભય લાગ્યો અને બાળકીના ગળા પર છરી ઝીંકી દીધી બાદમાં હથોડીના ઘા ફટકારી હત્યા કરી નાંખી હતી.એ પછી રાત્રે 10 વાગ્યા સુધી અહીં જ હતો અને બાદમાં બસ સ્ટેશને જઇ ત્યાંથી વેરાવળ જતો રહ્યો હતો. જ્યાં તેણે પોતાનો મોબાઇલ ફોન તોડી નાંખ્યો હતો. એ પછી પોરબંદર અને ત્યાંથી લાલપુર ગયો હતો. છેલ્લે જામનગર રોકાઇ લાલપુરના કરેણા ગામે જઇ મજૂરીએ વળગી ગયો હતો.

- Advertisement -

બાળક ઉઠાવતી ગેંગ ઝડપાઇ: 1 લાખ રૂપિયામાં બાળકોને વેંચી દેતા હતા: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિની લાલચમાં રાજકોટથી બાળક ચોર્યું હતું

રાજકોટ પોલીસે ગુમશુદા બાળકોને શોધી કાઢવા રાજ્ય સરકારની સૂચનાથી અપહ્યુત બાળકોના કેસમાં સઘન તપાસ હાથ ધરી છે ત્યારે દોઢ વર્ષ પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાન નજીક લાલબહાદુર સ્કૂલ પાસેથી એક વર્ષના બાળકનું અપહરણ કરનાર જામનગરના દંપતી અને 2 લાખની સોપારી આપનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જામનગરના પૂર્વ પતિને જમીન વેચી હોય તેના 2 કરોડ રૂપિયા આવ્યા હોય જેથી લાલચ જાગતા આ બાળકનું અપહરણ કરાવી તેને તેનો દીકરો બનાવી ફરીથી લગ્ન કરી લીધા હતા અને જામનગર કોર્પોરેશનમાં પુત્રના નામની નોંધણી પણ કરાવી લીધી હતી. ચાઈલ્ડ ટ્રાફિકિંગના વધતા જતા કેસોને લઈને રાજ્ય સરકાર દ્વારા અપહ્યુત બાળકોના અપહરણના અનડિટેક્ટ કેસોના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે શહેર પોલીસ દ્વારા આજે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે રાજકોટના શાસ્ત્રી મેદાન સામે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ખૂણે ફૂટપાથ ઉપર રહેતા મૂળ એમપીના મમતાબેન જામસીંગ ભુરીયાનો એક વર્ષનો દીકરો જીગો ગત તારીખ 25 મેં 2019ના રોજ ગુમ થઇ જતા પ્રનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે બનાવ અનડિટેક્ટ હોય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટિમો કામે લગાવી હતી દરમિયાન પીએસઆઇ એમ વી રબારીના હ્યુમન રિસોર્સથી એવી માહિતી મળી હતી કે આ બાળકની તસ્કરી કરવામાં આવી છે જેથી એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જામનગર શંકર ટેકરી ખાતે રહેતી સલમા નામની મહિલાએ આ બાળકની ખરીદી કરી છે તેણીએ હાલ નાથાલાલ નામના શખ્સ સાથે લગ્ન કર્યા છે અને ખંભાળિયા ખાતે રહે છે પણ જો પોલીસને ખબર પડી ગઈ છે તેવી જાણ થઇ જાય તો બાળક ઉપર જોખમ વધી જાય તેવી ભીતિએ અચાનક જ પોલીસે છાપો માર્યો હતો અને ત્યાંથી બાળક હેમખેમ મળી આવતા તેનો કબ્જો લઇ પૂછતાછ કરતા સલમા ભાંગી પડી હતી અને પોતે દ્વારકા રહેતા સલીમ હુસેનભાઇ સુભણીયા અને તેની પત્ની ફરીદાને આ બાળકની તસ્કરી કરાવવા 2 લાખમાં સોપારી આપી હોવાની અને 1 લાખ ચૂકવી દીધા હોવાની કબૂલાત આપતા પોલીસે સલમા, ફરીદા અને ખંભાળિયા નદીના પટમાં રહેતી મુખ્ય સૂત્રધાર ફાતિમા ઉર્ફે સલમા ઉર્ફે સીમા અબ્દુલમિયાં નાનુમીયા કાદરીની ધરપકડ કરી દોઢ વર્ષ જૂનો ગુનો ઉકેલી નાખ્યો છે.

આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે સલમાએ ખંભાળિયાની આનંદ કોલોનીમાં રહેતા નાથાલાલ પ્રભુદાસ સોમૈયા સાથે 2012માં પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ મનમેળ નહિ થતા 2016માં છુટ્ટાછેડા લઇ લીધા હતા બાદમાં 2019માં નાથાલાલે પોતાની જમીન વેંચતા બે કરોડ રૂપિયા આવ્યા હતા જેથી સલમાને આ અંગે ખબર પડતા લાલચ જાગી હતી અને કોઈ બાળકનું અપહરણ કરાવી ફરીથી લગ્ન કરી નાથાલાલનો વારસદાર બનાવવા સ્લિમ અને ફરીદને 2 લાખમાં બાળક શોધવા સોપારી આપી હતી અપહ્યુત જીગાને સલમાને સોંપ્યા બાદ નાથાલાલથી રહેલ પ્રેગ્નેન્સીથી 4 માર્ચ 2019ના રોજ તેના કુખે આ બાળકનો જન્મ થયો હોય તેવું ખાન નામના વકીલ નોટરી સમક્ષ ખોટું એફિડેવિટ કરાવી જામનગર કોર્પોરેશનમાં 26 જુલાઈ 2019ના રોજ રજીસ્ટ્રેશન કરાવી દાખલો મેળવી નાથાલાલ ઉપર આરોપ મૂકી તેના ઘરમાં પત્ની તરીકે પરાણે રહેવા લાગી હતી અને 2019માં પરાણે પ્રેમલગ્ન કર્યા હતા ત્યારથી નાથાલાલ સાથે સલમા અને બાળકનું નામ જયદીપ પાડ્યું હતું તે ત્રણેય રહેતા હતા પકડાયેલ આરોપી સલીમ અગાઉ જામનગર,દ્વારકા, લીમખેડા, ગીર સોમનાથ, રાજસ્થાન, તાલાળા, અમરેલી સહિતના સ્થળે ચીટિંગ, મારામારી, પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે અપહ્યુ બાળક જીગાનો પોલીસે કબ્જો લઇ તેના માતા-પિતાના ડીએનએ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે વધુ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી છે આ તકે જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ક્રાઇમ ડી વી બસિયા, એસઓજી પીઆઇ આર વાય રાવલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સારી કામગીરી કરનાર પીઆઇ ગઢવી, પીઆઇ રાવલ, પીએસઆઇ રબારી, પીએસઆઇ સાખરા, જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, જે પી મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઈ બરાલીયા, સોકતભાઈ ખોરમ, તોરલબેન જોષી અને મિતાલીબેન ઠાકરને 15 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે અને યશસ્વી કામગીરી બદલ પીઠ થાબડી છે

- Advertisement -

પોતાના બાળકની જેમ સાચવતા નાથાલાલ પોલીસ હકીકત સાંભળી રડી પડ્યા

જે બાળકને સલમા પોતાનું બાળક છે તેવું જણાવી પરાણે પ્રેમલગ્ન કરીને રહેતી હતી તે બાળકને નાથાલાલ સોમૈયા ખુબ સારી રીતે સાચવતા હતા તેની પોતાના બાળકની જેમ જ સાર સંભાળ રાખતા હતા પરંતુ સલમાએ પૈસા પડાવવા બાળકનું 2 લાખમાં અપહરણ કરાવ્યું હોય તેનાથી પોતે અજાણ હોય અને પોલીસે આ હકીકત કહેતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા

રૂપાળું બાળક શોધવા ત્રણેયે ચોટીલા, જામનગર, રાજકોટમાં 15 દિવસ સુધી રેકી કરી’તી

સલમાએ રૂપાળું બાળક શોધવા સલીમ અને ફરીદાને સોપારી આપી હતી જેથી ત્રણેય સલીમના મિત્રની ઈકોમા જામનગરમાં દીગંજામ સર્કલ પાસે બાવરી લોકોની કોળીની, રાજકોટના સાંઢિયા પુલ, બસ સ્ટેન્ડ, ચોટીલા તળેટી સહિતના વિસ્તારોમાં 15 દિવસ સુધી બાળકોને ચોકલેટ આપી રેકી કરી હતી અંતે શાસ્ત્રી મેદાન પાસે ફૂટપાથ ઉપર રમતું આ બાળક ગમી જતા 3-4 દિવસ વોચ રાખી રાત્રે બે વાગ્યે સૂતું હતું ત્યારે જ ઉઠાવીને લઇ ગયા’તા

લગ્ને-લગ્ને કુંવારી સલમાએ પાંચ લગ્ન કર્યા છે

પૈસા પડાવવા બાળકની તસ્કરી કરનાર સલમાએ પ્રથમ લગ્ન જામનગર, બીજા લગ્ન નાથાલાલ સાથે, ત્રીજા લગ્ન જૂનાગઢ, પાંચમા લગ્ન ફરી નાથાલાલ સોમૈયા સાથે કર્યા હતા

You Might Also Like

કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા

ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?

રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન

સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી ક્યા મુદ્દા પર લડાશે?
Next Article શું કિંગ્સ ઇલેવન પંજાબને ભારે પડી અમ્પાયરની ભૂલ ?, સોશિયલ મીડિયા પર ઉકળ્યા દિગ્ગજ અને ચાહકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
TALK OF THE TOWNરાજકોટ

ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?