૭મી જૂનના ફુડ સેફ્ટી ડે પૂર્વે રાજ્યમાં ખાદ્ય પદાર્થની ગુણવત્તાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. મસાલા હોય કે સિરપ, આઇસક્રીમ હોય કે અનાજ તમામના લેવામાં આવી રહેલા સેમ્પલ ફેલ થવાનો ધારો ગુજરાતમાં સાત ટકા જ હોવાનું જણાય રહ્યું છે. જ્યારે લારી પર મળતા સ્ટ્રીટ ફુડનું લાઈસન્સ આપવામાં તંત્ર બિલકુલ લાપરવાહ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
ગુજરાતી ભાષામાં જાણીતી કહેવત છે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’. ચટાકેદાર, મસાલેદાર, તીખી અને તમતમટી વેજ-નોનવેજ વાનગીઓ ખાવાના શોખીન સુરતીઓ ફૂડ અવેરનેસને લઇ બિલકુલ લાપરવાહ છે. તો, ફૂડ પ્રોડક્ટના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ, રેસ્ટોરન્ટ, હોટલ કે ફૂડ કોર્ટના ધંધાર્થીઓ ફૂડ સેફ્ટી એક્ટને લઇ હજી ગંભીર થયા નથી.
- Advertisement -
માત્ર લાઇસન્સ લઇ ધંધો શરૂ કરી દેનારાઓ તરફથી પેકેજ્ડ ફૂડ, રેડી ટુ ઇટ કે પછી હોટલો અને લારી ઉપર નજર સમક્ષ બનતી વાનગીઓ સ્વાસ્થ્ય માટે કેટલી સુરક્ષિત છે. તેને લઇ મોટાભાગના લોકો બેફિકર છે.ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જેટલા પ્રકારના ફૂડ એટલા પ્રકારના લાઇસન્સ જરૂરી છે. આમ છતાં સુરત મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેમ્પલને ત્રણ ભાગમાં વહેંચી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે.
મિસ બ્રાન્ડ, સબ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ અને અનસેફ બ્રાન્ડ અંતર્ગત નમૂના લઇ તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી મિસ બ્રાન્ડ અને સબ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ જણાય આવે તો અનુક્રમે રૂપિયા બે લાખથી લઇ પાંચ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તો અનસેફ બ્રાન્ડના કેસ અને કિસ્સામાં મ્યુ. કોર્ટમાં કાનૂની ખટલો માંડવામાં આવી રહ્યો છે.
રીપોટ
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત


