કચ્છ આહિર સમાજના હજારો લોકો સોમનાથ ખાતે ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ અને કરોડો હિન્દુ ઓ ની આસ્થા ના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે હજારો ની સંખ્યામાં આહીર સમાજના વિદ્યાર્થીઓ અને લોકો ઉમટી પડયા હતા. કચ્છ આહીર સમાજ દ્વારા વિદ્યાર્થીઓ ના ઉજ્જવલ ભવિષ્ય અને કારકિર્દી ને અનુલક્ષીને દેવાધિદેવ સોમનાથ મહાદેવ ને ખાસ ધ્વજારોહણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ થી મોટી સંખ્યામાં આહીર સમુદાય ના લોકો સોમનાથ ખાતે પહોંચ્યા હતા સવારે ઢોલ શરણાઈ અને ડી જે ના તાલે ઝૂમતા આહીર સમુદાય ના અંદાજે 1800 થી વધુ લોકો સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચતા હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ ના નાદ સાથે ભક્તિ મય વાતાવરણ સર્જાયું હતું..