ઝાડા-ઉલટીના 147 અને સામાન્ય તાવના 84 કેસ દાખલ, 586 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ મળતા નોટિસ ફટકારવામાં આવી
13,092 ઘરમાં પોરાનાશક કામગીરી, 603 ઘરમાં ફોગિંગ કરાયું
રાજકોટમાં રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા-ઉલટીના 147 અને શરદી-ઉધરસના 236 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 84 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુનો 8, મેલેરીયાનો 3 અને ચિકનગુનિયાનો 4 કેસ નોંધાયો છે. આ આંકડા તારીખ 28 માર્ચથી 3 એપ્રિલ સુધીના છે. જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
ડેન્યુના રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 193 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂમલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ અંગે 457 આસામીને નોટિસ આપવામાં આવી છે.
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 13,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 603 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.