By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    6 hours ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    8 hours ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    8 hours ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    9 hours ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    9 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    6 hours ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    6 hours ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    8 hours ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    8 hours ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    6 hours ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાળની ગર્તામાં ખોવાયેલી દ્વારવતી: પૌરાણિક દ્વારકાનું રહસ્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > કાળની ગર્તામાં ખોવાયેલી દ્વારવતી: પૌરાણિક દ્વારકાનું રહસ્ય!
AuthorParakh Bhattધર્મ

કાળની ગર્તામાં ખોવાયેલી દ્વારવતી: પૌરાણિક દ્વારકાનું રહસ્ય!

Khaskhabar Editor
Last updated: 2021/08/28 at 4:21 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો, કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં, તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે 

– પરખ ભટ્ટ

ગુજરાતીઓ માટે દ્વારકા એ કોઇ તીર્થસ્થળ નહી, પરંતુ પોતાનાં અત્યંત માનીતાં ભગવાન કૃષ્ણનાં હાજરાહજૂર હોવાનું પ્રમાણ છે. આ એવું નગર છે; જેણે વિષ્ણુપુરાણ, મહાભારત તેમજ ભગવદપુરાણની સત્યતા સાબિત કરવા પાછળ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. થોડા દાયકા પહેલા સુધી પશ્ચિમી આક્રમણનાં પ્રભાવમાં આવી જઈને આપણે કૃષ્ણ અને તેનાં અસ્તિત્વને ભયજનક રીતે નકારી રહ્યાં હતાં. અંગ્રેજોએ આપણી આંખે એવી પટ્ટીઓ બાંધી હતી જેની અસર હેઠળ આપણે પૌરાણિક ગ્રંથોને કથા-માન્યતાનું સ્વરૂપ આપવાનું શરૂ કરી દીધું. પરંતુ પુરાતત્વશાસ્ત્રીઓની જિજ્ઞાસાએ 5000 વર્ષ પહેલાનાં ઇતિહાસને પુન:સજીવન કર્યો.

Contents
મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો, કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં, તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે – પરખ ભટ્ટસંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.

ઇતિહાસકારો, પુરાતત્વશાસ્રીઓ, વૈજ્ઞાનિકો અને તત્વચિંતકોનો મુખ્ય મુદ્દો બની ચૂકેલી દ્વારકાનું મહત્વ સવિશેષ એટલા માટે છે કારણકે જરાસંઘનાં ત્રાસથી પોતાની પ્રજાને બચાવવા માટે સ્વયં લીલાધરે, ભગવાન વિશ્વકર્માને અહીં ‘નગર’ ખડું કરવાનો આદેશ આપ્યો હતો. 17 વખત મથુરા પર આક્રમણ કરીને કારમો પરાજય જોઇ ચૂકેલ જરાસંઘ હજુ પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. કૃષ્ણને થયું કે આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ તેની પ્રજાનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ જશે. આથી તેમણે પોતાનાં નગરજનોને ગુજરાતનાં દરિયાકિનારે એક શહેર ઉભું કરી ત્યાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો. યાદવો માટે ભવ્ય નગર ઉભું કરવા કૃષ્ણે વિશ્વકર્માને તેનું બાંધકામ કરવા જણાવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે દ્વારકાનાં નિર્માણ માટે 12 યોજન જમીનની આવશ્યકતા હતી, જે દરિયામાં ગરકાવ થયેલી હતી. કૃષ્ણે સમુદ્રદેવ પાસે પોતાને જમીન ફાળવવા માટે યાચના કરી. ફળસ્વરૂપ, સોના, હીરા-મોતી-માણેકથી મઢેલ ભવ્યાતિભવ્ય નગરીનું બાંધકામ શરૂ થયું.

- Advertisement -

મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો. કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં. તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે.

સંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!

વીસમી સદીમાં દ્વારકા પર અઢળક સંશોધનો હાથ ધરાયા. નિષ્ણાંતો દ્વારા મહાભારત અને હરિવંશ પુરાણનો અભ્યાસ કરાવીને તેમાંથી દ્વારકા-નગરીનું સાચું લોકેશન જાણવાનાં પ્રયાસો ચાલુ થયા. પૂર્વમાં પિન્દતથી શરૂ કરી, દક્ષિણમાં ઓખામઢી સુધી! ઉત્તરમાં શંખોધરા શહેર સુધી શોધખોળ આદરવામાં આવી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એ.એસ.આઇ.), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશિયોનોગ્રાફી (એન.આઇ.ઓ) અને મરિન આર્કિયોલોજી યુનિટ (એમ.એ.યુ.)નાં સંયુક્ત પ્રયાસો વડે આખરે સમુદ્રમાં ગરકાવ થઈ ચૂકેલી દ્વારકા નગરીનાં પુષ્કળ અવશેષો પ્રાપ્ત થયા.
નિષ્ણાંતોની દેખરેખ હેઠળ પ્રશિક્ષણ પામેલા મરજીવાઓ, ફોટોગ્રાફર્સ, દરિયામાં ઉંડે સુધી જઈ જૂની-પુરાણી ઇમારતોની શોધખોળ આદરી શકે તેવા પુરાતત્વશાસ્ત્રીઓની આખી ટીમને સમુદ્રનાં પાણીમાં ઉતારાઈ. 1983થી 1992 સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં પુરાતત્વશાસ્ત્રીઓને હાથ લાગેલા તમામ પુરાવાઓ અને કિંમતી વસ્તુઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી. કાર્બન ડેટિંગ, થર્મો લ્યુમિનેસન્સ અને તેનાં જેવી અન્ય આધુનિક તકનિકીઓની મદદ વડે ઇમારતોની ઇંટ તથા ધાતુની ઉંમર જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ. પ્રોજેક્ટ-હેડ મરિન આર્કિયોલોજિસ્ટ ડોક્ટર રાવ દ્વારા ‘લોસ્ટ સિટી ઓફ દ્વારકા’ નામે એક રિસર્ચ-પેપર રજૂ કરવામાં આવ્યું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દરિયામાંથી પ્રાપ્ત થયેલ તમામ ચીજ-વસ્તુ અને બાંધકામનાં નમૂનાઓ ઇસવીસન પૂર્વે 1500ની સાલ (આજથી લગભગ 3500 વર્ષ પહેલાનાં) છે! સદીઓ પહેલા અહીં દ્વારકા વાસ્તવમાં નિર્માણ પામી હતી! (પાણીનાં પ્રવાહને લીધે ઘસાઈ ગયેલા) વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.

વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.

દરિયામાં પ્રાપ્ત થયેલી ચીજ-વસ્તુઓ પર ઉંડાણપૂર્વક પ્રયોગો થતાં દ્વારકાની સમૃધ્ધિ વિશેની કેટલીક બાબતો પણ જાણી શકાઈ. સોના-ચાંદી-હીરા-મોતી અને અન્ય કેટલુંક રાચરચીલું બરામત થયું. સંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. એમ.એસ.મેટ (M.S.Mate) અને ઝેડ.અંસારી (Z.Ansari) જેવા મહાન પુરાતત્વશાસ્ત્રીઓની તનતોડ મહેનત જાણે રંગ લાવી રહી હોય એમ, દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!

- Advertisement -

લેબોરેટરીમાં મોકલાયેલા પથ્થરનાં ટુકડા પરથી વૈજ્ઞાનિકો દ્વારકાની સાચી ઉંમર જાણી શક્યા. ભારત સરકાર સમક્ષ પેશ થયેલા રિપોર્ટમાં જણાવાયું કે, દ્વારકાનું અસ્તિત્વ ફક્ત 60-70 વર્ષનું જ હતું. બહુ ટૂંકાગાળા માટે વસાવવામાં આવેલી આ નગરી ઇસવીસન-પૂર્વે 1443ની સાલમાં પૂરને લીધે વિનાશ પામી! (અહીં આપણું વિજ્ઞાન, ધર્મગ્રંથો કરતાં થોડુંક અલગ પડે છે. ઋષિમુનિઓનાં લખાણ મુજબ, શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા છોડીને ગયા ત્યારે દ્વાપર-યુગનો અંત અને કળિયુગની શરૂઆત થવાની હતી. આથી થોડું ઉંડાણપૂર્વક વિચારીએ તો, આજની તારીખ-પધ્ધતિ પ્રમાણે તે ઇસવીસન-પૂર્વે 3102નો સમયગાળો ગણી શકાય! જેનો સીધો મતલબ એમ થાય કે દ્વારકા ઓછામાં ઓછા 5000 વર્ષ પહેલા તો અસ્તિત્વ ધરાવતી હતી!) દ્વારકાની ખોજ થકી એટલું તો સાબિત થઈ જ ગયું કે પૌરાણિક સંસ્કૃતિ અને મહાભારત એ આપણા દેશની સૌથી મહાન વિરાસત છે.

શોધખોળ દરમિયાન પુરાતત્વશાસ્ત્રીઓને એમાંથી ત્રણ મોઢાવાળા પ્રાણીની આકૃતિ ધરાવતું સીલ મળી આવ્યું છે, જેને પુરાણકાણમાં દ્વારકાનાં નાગરિકોને અપાતું હતું. ઉપરાંત, ઇસવીસન-પૂર્વે 3000ની સાલનો એક ઘડો પણ હાથમાં આવ્યો! આ બંને ચીજ-વસ્તુઓનો ઉલ્લેખ મહાભારતમાં થયેલો છે. ડોક્ટર રાવે પોતે સ્વીકાર્યુ છે કે કૃષ્ણનું વ્યક્તિત્વ એક સમયે ખરેખર આ ધરતી પર શ્વાસ લેતું હતું! તદુપરાંત, શ્રીકૃષ્ણે યાદવોને આપેલ ચેતવણી અંગે વિગતવાર ખુલાસો કરતાં તેમણે જણાવ્યું કે આખું નગર પાણીમાં ગરકાવ થતાં પહેલા તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું. મત્સ્ય પુરાણ, ભગવત પુરાણ અને હરિવંશ પુરાણમાં પણ જણાવાયું છે કે દ્વારકાને પૂર આવતાં પહેલાનાં સાત દિવસ અગાઉથી જ ખાલી કરી દેવાઈ હતી.

તમામ પુરાવાઓને ધ્યાનથી ચકાસીએ તો સમજાય કે, દ્વારકામાં આવી રહેલ પૂરને શ્રી કૃષ્ણ ઘણા દિવસો અગાઉથી જ પારખી ગયા હતાં. આથી તેમણે પોતાનાં નગરજનોને દ્વારકા છોડી અન્ય કોઇ ગામમાં વસી જવાની સલાહ આપી. પરંતુ ગાંધારીનો શ્રાપ સાચો પડતાંની સાથે જ યાદવકુળનો દરેક વ્યક્તિ એકબીજાનાં લોહીનો તરસ્યો બની ગયો અને જેનાં કારણે રચાઈ યાદવાસ્થળી..!!

You Might Also Like

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

ચાલો માણસ માણસ રમીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બરફના પાણીથી ચહેરો ધોવાના ફાયદા છે અનેક, ત્વચા રહે છે ચમકતી જાણો વધુ..
Next Article હિંમતનગરનો સાહસિક યુવાન ૧૬ દિવસમાં ૧૮૪૨ કિલોમીટરની સાયકલથી સફર કરી રેકોર્ડ બનાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?