ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ પવિત્ર રક્ષાબંધન પર્વ તારીખ 30-08-2023 બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
- Advertisement -
આજે સવારે 05:45 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત રક્ષાબંધન પર્વ નિમિત્તે તારીખ 30-08-2023 બુધવારે મારા દાદાને મારી રાખડી અંતર્ગત દાદાના ભક્તો દ્વારા મોકલવામાં આવેલી તમામ રાખડીઓ દાદાને ધરાવવામાં આવી હતી.
- Advertisement -
રક્ષાબંધન પર્વના દિવ્ય અવસરે દાદાના ભક્તો દ્વારા ઇષ્ટદેવ શ્રીકષ્ટભંજનદેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવી છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.