પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકો હોમાયા.. આ દુ:ખદ ઘટનાને લઈ પ્રશાશક થયા ભાવુક
સરકારી માણસ છુ એટલે નથી આવ્યો-લાગણીથી ખેંચાઈને આવ્યો છું, હું પણ તમારા પરિવારનો જ એક વ્યક્તિ છું: પ્રશાસક પ્રફુલ પટેલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.16
સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ અમદાવાદ થી સીધા દિવ આવી પહોંચ્યા હતા. આવતા ની સાથે એક મિનિટ નો પણ આરામ કર્યા વિના સીધા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારજનોને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. પ્રશાસકએ પીડિતોના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને મુશ્કેલીના આ સમયે સાંત્વના આપતા જણાવ્યુ કે ખૂબ જ દુ:ખદ ઘટના બની છે. પરંતુ પરિસ્થિતિનો સામનો કરવા સિવાય કશુ જ ઉપાય નથી. સંયમ અને ધીરજ રાખવા સિવાય આપણા હાથમાં કઈ નથી. આટલા નાના ગામની અંદર એકી સાથે 14 વ્યક્તિઓનું આ રીતે મૃત્યુ થવુ એ ખૂબ જ દુ:ખદ અને અકલ્પનીય ઘટના છે. પરંતુ જે દુ:ખ આવ્યું છે. એની સામે લડવા સિવાય કોઈ ઉપાય નથી.પ્રશાસક પ્રફુલ પટેલ દરેક પરિવારને મળતી વખતે એક સરકારી અધિકારી તરીકે નહીં પરંતુ એમના પરિવારના એક સભ્યની જેમ તેમને સાંત્વના આપી સંવેદના વ્યક્ત કરતા દેખાયા હતા..
પ્રશાસકે દરેક પરિવારના સભ્યોને જણાવ્યું કે તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી દરેક સમયે પ્રશાસન તેમની સાથે જ છે અને તેમને તમામ પ્રકારે મદદ પૂરી પાડવામાં આવશે.બધુ જ પ્રશાસન કરશે. હાલ દરેક અધિકારીઓ ખડેપગે છે. સરકારી નિયમો પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની છે તે અમે લોકો કરીશુ.
પ્રશાસક પ્રફુલ પટેલ દરેક પરિવારની મુલાકાત લઇ રહ્યા હતા ત્યારે તેમની સાથે દરેક અધિકારીઓ પદાધિકારીઓ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ આ પરિવાર માટે સંવેદના વ્યક્ત કરવા પહોચી ગયા હતા. નોંધનીય છે કે જ્યારે ઘટના બની ત્યારથી જ દિવ એડીએમ વિવેકકુમાર અને તેમની ટીમ તથા ભાજપા મહિલા મંડળની તમામ બહેનો એક એક પરિવાર પાસે તેના દુ:ખમાં સહભાગી થવા પહોંચ્યા હતા.
- Advertisement -
તાલાલામાં અમદાવાદ વિમાન દુર્ધટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ
સેવાયજ્ઞ કેમ્પ ના પ્રારંભે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.સેવા યજ્ઞનાં તમાંમ લાભાર્થીઓ દ્વારા મિણબતી સાથે બે મિનિટ મૌન પાળી દિવંગતોને સામુહિક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મૃતકોના પરીવારજનો ઉપર ઓચિંતી આવી પડેલ દુ:ખદ પરીસ્થીતીને પહોંચી વળવા દિવંગતોના પરિવારજનોને પ્રભુ શક્તિ આપે તેવી સામુહિક પ્રાર્થના કરવામાં આવી હતી.