ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી વર્ષ-2017 થી સ્વચ્છ ભારત મિશન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજ રોજ મેંદરડા ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો કલેકટર અનિલ કુમાર રાણાવસીયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમ દ્વારા રેલી યોજાય હતી.
આજ રોજ 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-2024ની સમગ્ર રાજ્ય- દેશભરમાં ઉજવણી થવાની છે. જૂનાગઢ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત મેંદરડા ખાતે સ્વચ્છતા અભિયાન શરુ કરાયું હતું જેમાં મેંદરડાની એન.આર.કોલેજથી ભગતસિંહની પ્રતિમા સુધી એક રેલી યોજાય હતી અને સફાઈ કામદારોનું સન્માન સાથે સ્વચ્છતા માટે નાટક યોજવામાં આવ્યું હતું
અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો જેમાં કલેકટર, ડીડીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ સહીત અધિકરી અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા.આતકે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લાના શહેરો, નગરો, ગામોમાં શાળા-કોલેજો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થાનો, યાત્રાધામોમાં યોગ્ય સાફ સફાઈ થાય તે માટે જરૂરી લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે તેમજ જિલ્લાના નાગરિકો પણ સ્વયંભુ રીતે આ અભિયાનમાં જાગૃતતા સાથે જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવે તે માટેના પુરતા પ્રયત્નો સૌએ કરવા ઉપર ભાર મૂક્યો હતો.