જૂનાગઢ જિલ્લામાં પરંપરગત હોળી-ધુળેટી મનાવાઈ, વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આણવા વિશિષ્ટ કાર્યક્રમો અપાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢ ધર્મની નગરી સાથે પ્રાચીન પરંપરાથી અનેક વાતો સાથે વણાયેલ જિલ્લો છે અનેક વિરાસતો અને પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે.તેની સાથે હોળી -ધુળેટી પર્વને રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે.ઊંચા ગઢ ગીરનાર થી લઈને દાતાર પહાડો પર ધામધૂમ પૂર્વક પર્વ ઉજવાઈ છે ત્યારે શહેરની ગલીઓથી લઈને ગ્રામ્ય સ્તર સુધી અનોખી પરંપરા મુજબ ધુળેટી પર્વ મનાવામાં આવ્યું હતું. જેમાં શહરેના ઠેર ઠેર હોલિકા દહન સાથે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંબીકા ચોક યુવક મંડળ અને ઢેબર ફળીયા બાળ ગણેશ મિત્ર મંડળ દ્વારા વ્યસન મુક્તિના સંદેશા સાથે વાલમબાપાની નનામી કાઢી કાઢવામાં આવી હતી.
જુનાગઢના વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો “રા” ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં માનતા પૂરી થયા બાદ જેને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય તેને રાનાં કરાવાય છે દર્શન અને ધુળેટીનાં દિવસે ગામમાં ફુલેકું નીકળે છે. આજે દુનિયા ભલે હાઇટેક બની ગઈ હોય પરંતુ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એવી એવી અજીબો ગજીબ પ્રથાઓ અને જૂની પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે. હોળી અને ધૂળેટીના તહેવારમાં વંથલી સોરઠના ધંધુસર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરાગત માન્યતા જોડાયેલી છે.ગામ લોકોની માન્યતા મુજબ “રા” માં એક દૈવીય શક્તિ છે. જે લોકોના કષ્ટ દૂર કરવામાં અને તેમની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે.જે લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અજીબો ગજીબ વેશ ધારણ કરી “રા”નું રૂપ ધારણ કરે છે.અને પછી ગધેડા પર બેસી ઢોલના તાલે આખા ગામમાં ફરે છે અને ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ “રા”ને પોખે છે. આ પરંપરા ધંધુસર ગામ સાથે આઝાદી પહેલાથી જોડાયેલી છે.અને ત્યારથી જ આ ગામમાં અનોખો “રા” ઉત્સવ મનાવવામાં આવે છે.
વંથલીના ખોરાસા ગામે “રા” બનીને આખુ વર્ષ ચાલે તેટલી અબોલ પક્ષી માટે ચણ એકઠી કરવામા આવે છે આ અંગે સરપંચ પ્રવીણભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આવુ બહુ ઓછા ગામડાઓ જોવા મળતુ હોય છે. અહી ગામ વિસ્તાર તથા પ્લોટ વિસ્તાર બન્ને જગ્યા ઉજવણી થાય છે બન્ને જગ્યાએ પંક્ષી માટે ચણ થી માંડી ને રોકડ રકમ એકઠી કરવામા આવે છે. જયારે બન્ને જગ્યાએ રા નીકળેલ આ પ્રમાણે ચણ તથા રોકડ રકમ આવેલ છે જેમાં ગામ વિસ્તારમાંથી રૂ.15100 જેવી રકમ થયેલ તેમજ 30 મણ જેવી પક્ષીની ચણ થયેલ તેમજ જડેશ્ર્વર પ્લોટમાં રૂ.11000 જેવી રકમ થયેલ અને 10 મણ પક્ષી માટે ચણ એકઠી થયેલ હતી આ માટે તેમણે તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો આમ સોરઠ પંથકમાં અલગ અલગ પરંપરા અને માન્યતા સાથે હોળી ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.