તા.૩૦-૧૦-૨૦૨૧ના રોજ વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫ અને ૧૬માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોના ઉકેલ લાવી શકાય તેવા પ્રશ્નો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે.
શહેરના વિવિધ સ્લમ વિસ્તાર સહિતના ૪૫ સ્થળોએ “દીનદયાલ ઔષધાલય”નો શુભારંભ કરવામાં આવશે.
કોર્પોરેશન તથા સરકારી કચેરીઓ આપના આંગણે સેવાસેતુના કાર્યક્રમનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરતા પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર
- Advertisement -
સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આરોગ્ય કમિટીનાં ચેરમેન ડૉ. રાજે બેન ડોડિયાએ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકાર ની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ સાતમાં પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે. જેમાં તા.૩૦-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી વિધાનસભા-૬૮ (વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫ અને ૧૬)માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી કોમ્યુનિટી હોલ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાશે. તેમજ દિનદયાળ ઔષધાલયનો શુભારંભ રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના માન. મંત્રી અરવિંદભાઈ રૈયાણીનાં વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.
શહેરના વિવિધ સ્લમ વિસ્તાર સહિતના ૪૫ સ્થળોએ “દીનદયાલ ઔષધાલય”નો શુભારંભ કરવામાં આવશે. આ અગાઉ માન. મુખ્યમંત્રી એ રાજ્યમાં “દીનદયાલ ઔષધાલય”નો શુભારંભ કરાવેલ તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ સ્લમનાં જરૂરિયાતમંદ નાગરિકોને તબીબી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવા આ પ્રકલ્પ અમલમાં મુકવામાં આવી રહયો છે.
- Advertisement -
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષનાં નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે.
લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. સાથોસાથ સ્લમ્સમાં શરૂ થઇ રહેલ “દીનદયાલ ઔષધાલય”ની તબીબી સેવાઓનો લાભ લ્યે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય કમિટીનાં ચેરમેન ડો. રાજે બેન ડોડિયાએ અનુરોધ કર્યો છે.