શ્રીલંકામાં ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું આપ્યા બાદ રાનિલ વિક્રમસિંઘેએ શુક્રવારે દેશના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક અને રાજનીતિક સંકટ ઓછું થવાનું નામ નથી લેતું. ગોટબાયા રાજપક્ષે આપેલા રાજીનામા બાદ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવામાં આવ્યા છે. જેની વચ્ચે વિક્રમસિંઘે પૂરા દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. શ્રીલંકામાં પાછલાથી મહીનાઓથી પરિસ્થિતી ખરાબ ચાલી રહી છે. દેશમાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ પદને સમાપ્ત કરવાની વ્યવસ્થામાં બદલાવ લાવવાની સુધી સંઘર્ષ ચાલું રાખવાની વાત કરી રહ્યાં છે.
- Advertisement -
તાજેતરમાં શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસ્યાં હતાં
છેલ્લા કેટલાક દિવસોથી શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસ્યાં હતાં. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષને દેશથી ભાગવું પડ્યું હતું.જે બાદ તેઓએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિની પાસે આ અધિકાર હોય છે કે, તેઓ પબ્લિક સીક્યોરીટી ઓર્ડીન્સના ઈમરજન્સી રેગ્યુલેશન પાર્ટ-2ને લાગુ કરી શકે છે. કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેને જ લાગુ કર્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રપતિને અધિકાર હોય છે. કે, તેઓ પોલીસ અને કાનૂન વ્યવસ્થાને સુચારૂ રૂપખી બનાવી રાખવાનો આદેશ આપી શકે છે. પરંતુ જો પોલીસ આ કાર્યમાં નિષ્ફળ રહે છે તો રાષ્ટ્રપતિની તરફથી સશસ્ત્રો બળોને આ તાકત આપવામાં આવી શકે છે.
Sri Lanka's acting President Wickremesinghe declares emergency
- Advertisement -
Read @ANI Story | https://t.co/MqHpNz2EDd#SriLanka #Emergency #wickremesinghe #PoliticalCrisis #EconomicCrisis pic.twitter.com/A5Fq6ELY7P
— ANI Digital (@ani_digital) July 18, 2022
9 એપ્રિલે શરૂ થયું પ્રદર્શન
શ્રીલંકામાં સરકાર વિરૂદ્ધ 9 એપ્રિલે પ્રદર્શનની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રપતિ ભવનની પાસે શરૂ થયેલા પ્રદર્શનમાં સતત ચાલું છે. શ્રીલંકાના અલગ અલગ વિસ્તારોમાં નાના-મોટા પ્રદર્શન દેખાઈ રહ્યાં છે. આંદોલનકર્તાઓનું કહેવું છે કે, તેઓ ત્યાં સુધી પોતાની લડાઈ ચાલુ રાખશે. જ્યાં સુધી શ્રીલંકામાં વ્યવસ્થા પૂર્ણ પરિવર્તનના લક્ષ્યને પૂરું ના કરવામાં આવે.તમને જણાવી દઈએ કે, શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે છેલ્લા અઠવાડિયામાં દેશ છોડીને માલદીવ ગયાં હતાં. ગોટબાયા રાજપક્ષે માલદીવ બાદ સિંગાપુર પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ સિંગાપુર પહોંચ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. પ્રદર્શનકારીઓને આ વાતના સંકેત આપ્યા હતાં કે, કાર્યવાહક રાષ્ટ્રપતિ વિક્રમસિંઘ તેમના નિશાના પર હતાં અને તેમને તેમના પદથી હટાવવાનું અભિયાન શરૂ થઈ ચુક્યું છે.
Acting Sri Lankan President Ranil Wickremesinghe declares a State Of Emergency in the country. pic.twitter.com/ycDwJupUa3
— ANI (@ANI) July 18, 2022
નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ
બીજી બાજુ શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નવા રાષ્ટ્રપતિની ચુંટણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આપી દેવામાં આવી છે. દેશમાં 20 જુલાઈએ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. જેની પ્રક્રિયાનાભાગરૂપે શનિવારે સંસદનું વિશેષ સત્ર આયોજીત કરવામાં આવ્યું છે. જાણકારોના અનુસાર શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની બનાવાની દોડમાં કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસા સહિત કુલ ચાર નેતાઓનો સમાવેશ થાય છે.