રાજકોટમાં સૌથી વધુ ભાયાવદરમાં 59.86, ઓછું ધોરાજીમાં 51.33% મતદાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા અને 6 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણીમાં રવિવારે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું અને સવારે 7 કલાકથી શરૂ થયેલી મત પ્રક્રિયા મોટાભાગના સેન્ટર્સ પર શાંતિપૂર્ણ અને નિરુત્સાહી રહી હતી. તમામ પાંચ પાલિકાની કુલ 168 બેઠકમાંથી સાત બેઠક બિનહરીફ જાહેર થઇ જતાં 161 બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સાંજે 6 કલાક સુધીમાં જસદણમાં 52.14,જેતપુર નવાગઢમાં52.54, ધોરાજીમાં 51.33,ભાયાવદરમાં 59.86 અને ઉપલેટામાં 53.86 ટકા મતદાન થયું હતું. જ્યારે તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક માટે45.26, ડુમીયાણીમ 67.10, મોટીપાનેલીમાં 42.45, આંબરડીમાં 44.49, ભાડલામાં 47.35 અને પીઠડિયામાં 52.29 ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં કોઇ જગ્યાએથી ઇવીએમ ખોટકાયાની ફરિયાદ આવી ન હતી અને મહદંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જેતપુર નવાગઢમાં વોર્ડ નં.8માં ભાજપના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે બબાલ થઇ પડી હતી અને પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44.32 ટકા, અમદાવાદ સહિત ત્રણ મનપાની ત્રણ બેઠકની ચૂંટણીમાં સરેરાશ 31.72 ટકા, નગરપાલિકાઓમાં 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 61.65 ટકા, મધ્યસત્ર હેઠળની બે નગરપાલિકાની ચૂંટણીમાં 35.23 ટકા અને પેટા ચૂંટણી હેઠળની 19 બેઠકો ઉપર 37.85 ટકા, જિલ્લ ા પંચાયતોની પેટા ચૂંટણીમાં આઠ બેઠકો ઉપર સરેરાશ 43.67 ટકા તેમજ તાલુકા પંચાયતોમાં ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 65.07 ટકા તથા પેટા ચૂંટણી હેઠળની 76 બેઠકો પર સરેરાશ પ7.01 ટકા મતદાન નોંધાયું છે. કુલ 10,160થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમના પટારામાં સીલ થયું છે. જેની ગણતરી આવતીકાલે હાથ ધરાશે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે કોઈ પણ જગ્યાએ પુન: મતદાનની ફરજ પડી નથી.આવતીકાલે તમામ બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઇને ચૂંટણી પચં દ્રારા તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે આવતીકાલે સાંજ સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ જશે.