આરોગ્ય, રાશન, સફાઇ, પાણી સહિતના મુદ્દે ગ્રામજનો સાથે સંવાદ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેલા કલેકટરે કાર્યક્રમની સાથે લુશાળા અને ખોરાસાના ગ્રામજનો સાથે તેમના ગ્રામ સ્તરના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી હતી જેમાં ગામમાં પીવાનું શુદ્ધ પાણી, રાશન, ગ્રામ પંચાયત દ્વારા જરૂરી કામગીરી, ગામ તળ ગામ નમુના નંબર 2 ઉપરાંત સ્વચ્છતા અને આવાસ અને આરોગ્ય યોજનાનો લાભ મળે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. અને ગ્રામજનોની માંગણીને પણ સમયસર પૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું. તેમજ સગર્ભા સ્ત્રીઓને સરકાર તરફથી આપવામાં આવતા જરૂરી લાભ સમયસર મળી રહે અને કુપોષીત બાળકોની વધારે તકેદારી રાખવા તેમજ જરૂર જણાય તો સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવા આરોગ્ય કર્મીની બહેનોને જણાવ્યુ હતું.
- Advertisement -
કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ વ્યક્તિગત રીતે અરજદારોને પણ સાંભળ્યા હતા અને તેમના પ્રશ્ર્નોનો ઉકેલ આવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સંબંધિત અધિકારીઓને ગ્રામજનોના સિધા સંપર્કમા રહેવા જણાવ્યું હતું. અને પુર્ણ થતા કામનો રિપોર્ટ સમયસર કલેક્ટર કચેરી ખાતે મોકલવા સૂચના આપી હતી.