રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક કરાયું તૈયાર, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે, સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરાશે
આપણે ત્યાં એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ તરફ હવે રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેર કરવામાં આવી છે. ધોરણ 3થી 8 માટેની દ્વિતીય સત્રાંત પરીક્ષા 4 થી 23 એપ્રિલ 2024 સુધી યોજાશે. આ તરફ રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે. આ સાથે સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરાશે. આ સાથે જો કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાઈ હોય તો રજા રદ કરવી પડશે.
- Advertisement -
રાજ્યમાં 4 થી 23 એપ્રિલ 2024 દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ 3 અને 4ના વિદ્યાથીઓએ પેપરમાં જ જવાબ લખવાના રહેશે તો ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં જવાબ લખવાના રહેશે. આ સાથે ધોરણ 5 થી 8માં ફેલ થનાર વિદ્યાર્થીઓની 2 મહિનામાં ફરી પરીક્ષા યોજવાની રહેશે. મહત્વનું છે કે, GCERT દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યુ છે.
- Advertisement -
વેકેશન કયારથી પડશે ?
શાળાના વિદ્યાર્થીઓ મોટા ભાગે ઉનાળુ વેકેશનની કાગડોળે રાહ જોતા હોય છે. આપણે ત્યાંન પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા બાદ પરિણામ જાહેર કરવામા આવે છે અને ત્યારબાદ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન પડતુ હોય છે. જોકે હવે આ વર્ષે 6 મે 2024 થી ઉનાળુ વેકેશન પડે તેવી શકયતાઓ છે. પણ ઉનાળુ વેકેશનની તારીખ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.