By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    1 day ago
    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.. ટ્રમ્પનું નિવેદન
    1 day ago
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    2 days ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    2 days ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    1 day ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    1 day ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    1 day ago
    દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ
    1 day ago
    આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    3 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    3 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    3 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    4 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    1 day ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    2 days ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    3 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    4 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    1 day ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    5 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    6 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    2 weeks ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    2 days ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    2 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    4 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    5 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અધર્મ પર ધર્મનાં જયનો અને અસત્ય પર સત્યનાં વિજયનો ઉત્સવ: કાલે દશેરા પર્વ ઉજવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > અધર્મ પર ધર્મનાં જયનો અને અસત્ય પર સત્યનાં વિજયનો ઉત્સવ: કાલે દશેરા પર્વ ઉજવાશે
ધર્મ

અધર્મ પર ધર્મનાં જયનો અને અસત્ય પર સત્યનાં વિજયનો ઉત્સવ: કાલે દશેરા પર્વ ઉજવાશે

Khaskhabar Editor
Last updated: 2021/10/14 at 12:48 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

આસો માસના સુદ પક્ષની દશમી તિથિ એટલે દશેરા અથવા વિજયાદશમી.

એક તરફ આ શુભ દિને ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો તો બીજી તરફ માતાજીએ પણ મહિષાસુર નામનાં રાક્ષાસનું વધ આ દિવસોમાં કરેલું હતું. આથી આ પર્વને અધર્મ પર ધર્મનાં જયનો અને અસત્ય પર સત્યનાં વિજયનાં દિવસ વિજયદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે. દશેરા પર્વને ભગવાન શ્રીરામના વિજય તરીકે અથવા દુર્ગાપૂજા તરીકે મનાવવામાં આવે છે. એક રીતે જોઈએ તો બંને પર્વ શક્તિપૂજાના છે, શસ્ત્રપૂજનની તિથિ છે. હર્ષ અને ઉલ્લાસ તથા વિજયનું પર્વ છે. ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ અને સમાજમાં વીરતા પ્રગટ થાય તેના માટે દશેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે. દશેરાનો દિવસ વર્ષની ખૂબ જ શુભ તિથિઓમાંનો એક દિવસ એક છે. આ દિવસે પ્રારંભ કરવામાં આવેલા કાર્યમાં સિદ્ધિ-સફળતા-વિજય અચૂક મળે છે. દશેરાનાં દિવસે નવા પુસ્તકો, ચોપડા લખવાનો પ્રારંભ, નવા પ્રોજેક્ટનો પ્રારંભથી લઈ કૃષિને લગતાં કાર્યો કે કોઈપણ કાર્યનો શુભારંભ થાય છે.

આ દિવસે શસ્ત્રપૂજન, શમીપૂજન, નવા વાહન-જમીનની ખરીદીની સાથે જ વાહન પૂજા પણ કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય ’વિજય’ નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે. દશેરાનાં દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે. પ્રાચીન કાળમાં રાજાઓ દશેરાનાં દિવસે દિવસે પ્રાર્થના કરીને વિજયની કામના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરતા હતા. આ દિવસે ઘણી જગ્યાએ મેળા ભરાય છે. રામલીલાનું આયોજન થાય છે. રાવણનું પૂતળું બનાવીને તેનું દહન કરવામાં આવે છે. આસો માસનાં નવ નોરતાંની સમાપ્તિના બીજા દિવસે ઉજવાતો આ તહેવાર વર્ષાઋતુની સમાપ્તિનો પણ સૂચક છે. આ દિવસે ચોમાસાના પ્રારંભે સ્થગિત કામકાજ ફરીથી શરૂ કરવામાં આવે છે.

- Advertisement -

લંકાપતિ રાવણ પંડિત, તપસ્વી, બુદ્ધિમાન અને પરાક્રમી પુરુષ હતો સાથે જ તે અતિશય લોભી અને અભિમાની પણ હતો. તેણે પોતાની શક્તિઓનો હંમેશાં દુરુપયોગ જ કર્યો હતો. બ્રાહ્મણ કુળમાં જન્મેલો અને તપસ્વી ઋષિનો પુત્ર હોવા છતાં તે દાનવરાજ બન્યો, કારણ કે તેની બુદ્ધિ દસ વિકારોમાં ફસાયેલી હતી, તેથી જ સમસ્ત બ્રહ્માંડમાં બ્રહ્મા અને દેવી સરસ્વતી પછી ચારેય વેદ મુખપાઠ ભણનારો રાવણ દસ માથાંવાળા દુરાચારી તરીકે પ્રસિદ્ધ થયો. રાવણનાં દસ માથાં વાસ્તવમાં તેનામાં રહેલા દસ વિકારોનું પ્રતીક છે. દશેરાનું પર્વ દસ પ્રકારનાં પાપ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને ચોરીના પરિત્યાગની સદ્પ્રેરણા આપે છે. નવ દિવસ સુધી શક્તિની આરાધના કર્યા પછી અજેય નામનું બાણ મેળવીને ભગવાન શ્રીરામે દશેરાના દિવસે જ લંકાપતિ રાવણનો વધ કર્યોં હતો.

જોકે, રાવણ પરમ જ્ઞાની પંડિત હતો પરંતુ મનમાં અહંકારના ભાવને કારણે તેણે માતા સીતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો અને અશોકવાટિકામાં કેદ કરવાનું દુસ્સાહસ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપ ભગવાન શ્રીરામ હનુમાનજીની મદદથી રાક્ષસરાજ રાવણને પરાસ્ત કરવામાં સફળ થયા હતા. તેમણે રાવણને યુદ્ધમાં પરાસ્ત કરીને, સીતાને મુક્તિ આપવાનું મહાન કાર્ય કરીને દશમીના દિવસને પાવન કરી દીધો. શ્રીરામે રાવણના અહંકારને ચૂરચૂર કરીને સમગ્ર જગતને મૂલ્યવાન શિક્ષા આપી, જેની આપણાં રોજિંદા જીવનમાં જરૂરી છે. શ્રીરામની આ શીખ માનવીય જીવનમાં ખૂબ જ ઉપયોગી સિદ્ધ થશે. આપણે પણ આપણાં જીવનમાં અહંકાર, લોભ, લાલચ અને અત્યાચારી વૃત્તિઓને ત્યાગીને ક્ષમારૂપી બનીને જીવન જીવવું જોઈએ.

- Advertisement -

You Might Also Like

આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેચ હાર્યા બાદ પૃથ્વી શૉ, પંત સહિતનાં ખેલાડીઓ રડી પડ્યા
Next Article દશેરા-નવરાત્રી નિમિત્તે રાજકોટની બજારોમાં રોનક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર માટે 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : કુંવરજી બાવળિયા
રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ડ્યુઅલ-સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક હોર્ડિંગ લૉન્ચ
રાજુલા ખાતે સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની શુભેચ્છા મુલાકાત
વીરપુર (જલારામ) ખાતે નેશનલ હાઈવેના નાલાના પ્રશ્ર્ને વિરોધ
‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતી યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ધર્મ

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ધર્મ

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?