એડવેન્ચર કોર્સમાં તાલીમ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્રોથી સન્માનિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સ તા.4 થી 10 નવેમ્બર દરમિયાન યોજાયો હતો, જેમાં વિવિધ 17 જીલ્લાના ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી. જેમાં રણજીતસિંહ ઝાલા સુરેન્દ્રનગર, વજુભાઈ શેફાતરા અમદાવાદ, સોઢા અનિરુદ્ધસિંહ જામનગર, રાવલ માર્ગી જૂનાગઢ, તેજાણી કાર્તિકી સુરત, રાઠોડ જેસ્મિ રાજકોટના માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે તેમજ કે.પી.રાજપૂત અમદાવાદ, કોર્ષ ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી.
- Advertisement -
પૂર્ણાહુતી કાર્યક્રમમા કાર્યક્રમના અધ્યક્ષ એમ.વી.મોદી, આસી.કમિશ્નર જીએસટી ગાંધીનગર, હારુનભાઈ વિહળ, ઉપેન્દ્રસિંહ રાઠોડ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરઓના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાથીર્રઓને પ્રોત્સાહિત કર્યા હતા.વજુભાઈ શેફાતરાએ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત કર્યું હતુ અને કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા આવા કેમ્પમાં બાળકોને આવી સંસ્થામાં મોકલવા જેથી તેમનામાં સર્વાંગી વિકાસ તથા જીવન જીવવાની પ્રેરણા મળે તેમજ પર્વતારોહણની અલગ અલગ રાજ્યમાં આવેલ સંસ્થા વિષે જણાવ્યું. શિબિરાર્થીઓએ કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કરેલ હતા કે, આવા કેમ્પમાં તેઓને ઘરેથી એકલા પહેલી વાર રહેવાની મજાજ કઈક અલગ જ હતી, પર્વત ઉપર કેવી રીતે ચઢવું, કેવી રીતે ઉતરવું તે જાણવા મળ્યું તથા નવા નવા મિત્રો મળ્યા.અંતે આભાર વિધિ રણજીતસિંહ ઝાલાએ કરી હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર રાવલ માર્ગીએ કર્યું હતું.