By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    10 hours ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    10 hours ago
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 week ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 week ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    6 hours ago
    મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
    7 hours ago
    PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે
    8 hours ago
    CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
    9 hours ago
    ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    8 hours ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    9 hours ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 hours ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રજસ્વલા મા પાસેથી મળતું રક્તરંજિત અમ્બુવાચી વસ્ત્ર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > રજસ્વલા મા પાસેથી મળતું રક્તરંજિત અમ્બુવાચી વસ્ત્ર!
AuthorParakh Bhattધર્મ

રજસ્વલા મા પાસેથી મળતું રક્તરંજિત અમ્બુવાચી વસ્ત્ર!

Khaskhabar Editor
Last updated: 2022/02/05 at 1:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

‘ગુપ્ત નવરાત્રિ’ વિશેષ
– પરખ ભટ્ટ

દર્શનાર્થે પધારનાર ભક્તોને સફેદ રંગનું ભીનું વસ્ત્ર પ્રસાદીરૂપે અપાય છે, જેને ‘અમ્બુવાચી વસ્ત્ર’ કહે છે, માતાનાં રજસ્વલા થવાના દિવસો દરમિયાન પ્રતિમાની આજુબાજુ સફેદ વસ્ત્ર ઓઢાડી મંદિર બંધ કરી દેવામાં આવે છે, ત્રણ દિવસ બાદ ફરી જ્યારે મંદિરના દરવાજા ખૂલે છે ત્યારે સફેદ વસ્ત્રનો રંગ બદલીને રાતો લાલ થઈ ગયેલો જોવા મળે છે. ત્યારબાદ આ રક્તરંજિત લાલ વસ્ત્રને ભક્તોમાં પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવામાં આવે છે

આસામના ગુવાહાટીમાં આવેલ નીલાંચલ પર્વત પર કામાખ્યા માતાની શક્તિપીઠ બિરાજમાન છે. તમામ 51 શક્તિપીઠોમાં કામાખ્યા માની મહત્તા સૌથી વધારે છે. પ્રજાપતિ દક્ષ દ્વારા જ્યારે સતીનું અપમાન કરવામાં આવ્યું, ત્યારે સતીએ યજ્ઞકુંડમાં પોતાની જાત હોમી દીધી. ભગવાન સદાશિવ આ વાતથી ખૂબ જ દુ:ખી થઈ ગયા અને સમગ્ર બ્રહ્માંડમાં સતીનાં દેહને પોતાના ખભા પર ઉંચકી વિચરણ કરવા લાગ્યા. સતીનાં મોહમાંથી તેમને મુક્ત કરાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે, દેવીનાં અચેતન સ્વરૂપનાં 51 ટુકડા કર્યા. તમામ ટુકડાઓ પૃથ્વી પર આવીને શક્તિપીઠમાં રૂપાંતર થઈ ગયા. કામાખ્યા શક્તિપીઠનાં સ્થાન પર માતાનો યોનિ ભાગ પડ્યો હોવાની માન્યતા છે, જેના લીધે ત્યાં મહાપીઠની ઉત્પત્તિ થઈ! અહીંયા દર વર્ષે ત્રણ દિવસ માટે માતા રજસ્વલા થાય છે. મંદિરની અંદર દર્શન કરવા માટે માતાની કોઇ મૂર્તિ નથી. કામાખ્યા માતાનાં યોનિ ભાગને અહીં પૂજવામાં આવતો હોવાથી તેને પુષ્પ અને લાલ કપડા વડે હંમેશા ઢાંકેલો રાખવામાં આવે છે. મુખ્ય ગર્ભગૃહથી થોડે જ દૂર એક બીજું મંદિર આવેલું છે, જ્યાં કામાખ્યા માની મૂર્તિપૂજા થાય છે.

- Advertisement -

વર્ષના ત્રણ દિવસ દરમિયાન જ્યારે મા રજસ્વલા થાય છે, ત્યારે મંદિરને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે. દર્શનાર્થે પધારનાર ભક્તોને સફેદ રંગનું ભીનું વસ્ત્ર પ્રસાદીરૂપે અપાય છે, જેને ‘અમ્બુવાચી વસ્ત્ર’ કહે છે. માતાનાં રજસ્વલા થવાના દિવસો દરમિયાન પ્રતિમાની આજુબાજુ સફેદ વસ્ત્ર ઓઢાડી મંદિર બંધ કરી દેવામાં આવે છે. ત્રણ દિવસ બાદ ફરી જ્યારે મંદિરના દરવાજા ખૂલે છે ત્યારે સફેદ વસ્ત્રનો રંગ બદલીને રાતો લાલ થઈ ગયેલો જોવા મળે છે. ત્યારબાદ આ રક્તરંજિત લાલ વસ્ત્રને ભક્તોમાં પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર, નરક નામનાં એક અસુરે દેવી કામાખ્યા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મા કામાખ્યા નરકાસુરનાં બદઇરાદાઓથી વાકેફ હતાં. તેમણે વિવાહનો પ્રસ્તાવ સીધેસીધો ઠુકરાવી દેવાને બદલે તેની સામે એક શરત મૂકી. જે મુજબ, અગર નરકાસુર ફક્ત એક રાતની અંદર નીલાંચલ પર્વત પર માર્ગ, ઘાટ, મંદિર બધું જ નિર્માણ કરી આપે તો કામાખ્યા દેવી સાથેનાં લગ્ન શક્ય બને! અભિમાની નરકાસુરને થયું કે આમાં વળી કઇ મોટી વાત છે! તાત્કાલિક ભગવાન વિશ્વકર્માને તેડું મોકલવામાં આવ્યું અને મંદિરનું બાંધકામ શરૂ થઈ ગયું. ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્માણ પામી રહેલ મંદિરને જોઈ, કામાખ્યા માતાએ કૂકડાને સવાર થયાની સૂચના આપવા જણાવ્યું. કૂકડાની બાંગ સાંભળી પળવાર માટે નરકાસુર ડઘાઈ ગયો. તેને પોતાનાં પર એટલો બધો વિશ્વાસ હતો કે ન પૂછો વાત! લગ્ન ન થઈ શકવાથી તે અત્યંત રોષે ભરાઈને મા કામાખ્યાનાં દિવ્ય કૂકડાનો પીછો કરવા લાગ્યો. બ્રહ્માપુત્ર નદીના કિનારે તેણે કૂકડાનો વધ કરી નાંખ્યો, જે જગ્યા આજે પણ ‘કુક્ટાચકિ’નાં નામે ઓળખાય છે. બાદમાં, નરકાસુરના અત્યાચારોને કારણે ભક્તો કામાખ્યા માતાનાં મંદિર સુધી પહોંચવામાં ખૂબ જ કષ્ટ ભોગવી રહ્યા હતાં. મહર્ષિ વશિષ્ઠને નરકાસુરના ત્રાસ વિશે ખબર પડતાં તેમણે ક્રોધાવેશમાં આવીને નરકાસુરને શાપ આપ્યો. પરિણામસ્વરૂપ, મહામાયાની સહાય લઈને ભગવાન વિષ્ણુએ નરકાસુરનો અંત આણ્યો! એવું કહેવામાં આવે છે કે શાપનાં સમયથી જ મૂળ કામાખ્યા પીઠ લુપ્ત થઈ ચૂકી હતી.

- Advertisement -

પર્વતની તળેટીથી લઈને ઉપર મંદિર સુધી આવવાના માર્ગને આજે પણ ‘નરકાસુર માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે. સોળમી સદીમાં કામરૂપ પ્રદેશનાં રાજ્યો વચ્ચે ભીષણ યુદ્ધ થવા લાગ્યા. જેમાં કૂચવિહાર પ્રદેશના રાજા વિશ્વસિંહનો વિજય થયો. થયું એવું કે યુદ્ધ દરમિયાન રાજા વિશ્વસિંહના ભાઈઓ ખોવાઈ ગયા હતાં. જેને શોધતાં-શોધતાં તે નીલાંચલ પર્વત પહોંચી ગયો. ત્યાં તેને એક વૃદ્ધ મહિલાનાં દર્શન થયા. એ મહિલાએ રાજાને નીલાંચલ પર્વતનું માહાત્મય અને કામાખ્યા માતાનાં મંદિર વિશે સવિસ્તાર જણાવ્યું. આખો ઇતિહાસ જાણ્યા બાદ રાજાએ એ સ્થળ પર ખોદકામ શરૂ કરાવ્યું. થોડા દિવસ બાદ અમુક ફૂટ નીચેથી તેમને માતાનું મંદિર મળી આવ્યું. તેની બરાબર ઉપરનાં ભાગમાં રાજાએ નવા મંદિરનું ચણતર કામ હાથ ધર્યુ. રાજા વિશ્વસિંહે બનાવેલા મંદિરને વર્ષ 1564માં મુસ્લિમ આક્રમણખોરોએ જમીનદોસ્ત કરી નાખ્યું. આમ છતાં, રાજાના પરિવારની શ્રદ્ધાને કારણે તેનું નવનિર્માણ થયું. રાજા વિશ્વસિંહના સુપુત્ર અને કૂચવિહારનાં નવા ગાદીપતિ રાજા નરનારાયણનાં હસ્તે મંદિરને ફરી એક નવો ઓપ અપાયો!

કામાખ્યા મંદિરથી થોડા અંતરે ઉમાનંદ ભૈરવનું મંદિર જોવા મળે છે. દરેક શક્તિપીઠની રક્ષા કરવા માટે એક-એક ભૈરવની સ્થાપના થયેલી હોય છે. ઉમાનંદ ભૈરવ એ કામાખ્યા શક્તિપીઠનાં ભૈરવ છે. તેમનું મંદિર બ્રહ્મપુત્રા નદીની વચ્ચોવચ સ્થિત છે. એવું માનવામાં આવે છે કે ઉમાનંદ ભૈરવનાં દર્શન વગર કામાખ્યા મંદિર સુધીની યાત્રા અધૂરી છે. શ્રદ્ધાળુએ પોતાની તમામ મનોકામનાની પૂર્તિ કરવા માટે તેમજ મા કામાખ્યાનાં આશીર્વાદ મેળવવા માટે ઉમાનંદ ભૈરવનાં ચરણોમાં માથું ટેકવવું અનિવાર્ય છે. હિંદુ માન્યતા મુજબ, આ ટાપુ પર ભગવાન સદાશિવ ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હતાં, એ સમયે કામદેવ દ્વારા તેમનાં પર કામ-બાણની વર્ષા કરવામાં આવી, જેનાથી ક્રોધે ભરાઈને ભગવાન શિવે કામદેવને પોતાનાં ત્રીજા નેત્રની અગ્નિ વડે ભસ્મ કરી દીધા હતાં!

મંદિરના ગર્ભગૃહમાં યોનિ આકારનો એક કુંડ છે, જેમાંથી જળનો પ્રવાહ સતત ચાલુ રહે છે. લોકો તેને ‘યોનિ કુંડ’ના નામે ઓળખે છે. દર વર્ષે અહીંયા અમ્બુવાચી મેળાનું આયોજન કરવામાં આવે છે. ઉત્સવના ત્રણ દિવસ દરમિયાન મા કામાખ્યા રજસ્વલા હોવાને લીધે મંદિરમાં પ્રવેશ નિષેધ હોય છે, આમ છતાં માતાની પ્રસાદી ગ્રહણ કરવા માટે દેશ-વિદેશનાં ભક્તો આ સમય દરમિયાન આસામ આવી પહોંચે છે. ઘણા અઘોરી સાધુ અને તાંત્રિકો પણ અમ્બુબાચી મેળાનો હિસ્સો બને છે.

કામાખ્યા મંદિરમાં આખા વર્ષની અંદર કેટલાય ઉત્સવો અને તહેવારોને ઉલ્લાસભેર ઉજવવામાં આવી રહ્યા છે. પોહન બિયા, દુર્ગાડિયૂલ, વસંતી પૂજા, મહાનડિયૂલ, અમ્બુવાચી અને મનસા દુર્ગા પૂજાનું મહત્વ અહીંયા સૌથી વધારે છે.

દુર્ગા પૂજા: દર વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોમ્બર મહિનાની અંદર નવરાત્રિ દરમિયાન દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે.
અમ્બુવાચી પૂજા: કામાખ્યા માતાનાં રજસ્વલા થયા બાદ ચોથા દિવસે આ પ્રકારની પૂજા કરવામાં આવે છે.
પોહન બિયા: ભગવાન કામેશ્વર અને કામેશ્વરીનાં પ્રતીકાત્મક વિવાહ વખતે પોહન બિયા પૂજાનું આયોજન કરવામાં આવે છે.
દુર્ગાડિયૂલ પૂજા: ફાગણ મહિનામાં કરવામાં આવતી પૂજા-અર્ચના.
વસંતી પૂજા: પવિત્ર ચૈત્ર માસમાં થતી આરાધના.
મહાનડિયૂલ પૂજા: ચૈત્ર મહિનામાં ભગવાન કામદેવ માટે વિશેષત: યોજાતી પૂજા.

You Might Also Like

કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડ: ઝાંઝવાના જળ માટે દોડ

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ગીતા’ : ધર્મ નહીં, પણ ‘કર્મગ્રંથ’!
Next Article દેવી સરસ્વતીનાં શ્ર્વેત વસ્ત્રો આપણને રજસ અને તમસનો ત્યાગ કરીને સત્ત્વના માર્ગ ઉપર જીવન જીવવાની પ્રેરણા આપે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ના દીપોત્સવી વિશેષાંકનું રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે વિમોચન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
22 કરોડમાં કીડીખાંઉની તસ્કરી કરે તે પૂર્વે સોમનાથના બેને SOGએ ઝડપી લીધા
રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
સરગમ ક્લબ દ્વારા રાજકોટમાં દિવ્યાંગો માટે 3 દિવસીય નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પ
ગુજરાત સિનિયર ફૂટબોલ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટીમ જાહેર
2014ના કેસમાં રાજકોટના ભૂમાફિયાઓને થયો ફરી જેલવાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડ: ઝાંઝવાના જળ માટે દોડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?