આજે સાંજે બટુક ભોજનનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પુણ્યતિથી નિમિત્તે આજરોજ મહા રકતદાન કેમ્પનું આયોજન બાપા સીતારામ ચોક પાસે આવેલા શિવમ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં એકત્રીત થયેલું રક્ત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને આપવામાં આવશે. તેમજ આજરોજ સાંજે 5 કલાકે “માં ની મહેર” માટેલ સોસાયટી શેરી નં. 2 મવડી પ્લોટ રાજકોટ ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ રકતદાન કેમ્પમાં અંદાજિત 500 જેટલી રક્તની બોટલો એકત્રીત થઈ હતી. આ રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા ભાજપના પૂર્વ મહામંત્રી વોર્ડ નં. 11ના આયદાન ખાદા, મહેશભાઇ ખાદા, વિરેન્દ્રભાઈ ખાદા, રાજભાઈ ખાદા, મેરામભાઈ ખાદા, દિનેશ ભાઈ ખાદા, કૈલાશભાઈ ખાદા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.