ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિક્ષણ એ આવનારી પેઢીના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણના વેગને વધુ આગળ ધપાવવા માટે તેમજ અંતરિયાળ વિસ્તારનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અને વિદ્યાર્થીઓના ભવિષ્યના સર્વાંગી વિકાસના હિત માટે રાજ્યની અંદર 90 જેટલી માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં બાળકોને બાલવાટિકાથી લઈ ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષાની દિક્ષા આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનું શિક્ષણનું માળખું સુદ્દઢ બન્યું છે. 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના પ્રજાજનોની માગણીને અનુલક્ષીને માધ્યમિક શાળા મંજૂર થતાં પ્રજાજનોએ હર્ષની લાગણી અનુભવી હતી અને પ્રજાજનો વતી મંત્રી ભાનુબેન બાબરીયાએ શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.