ભગવદ ગીતા અને ભરત મુનિના નાટયશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધી વર્લ્ડ રજીસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે, જેને લઈને વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી કહ્યું- ગર્વની ક્ષણ.
આ ગ્રંથો લાંબા સમયથી ભારતની બૌદ્ધિક અને સાંસ્કૃતિક ઓળખના મુખ્ય સ્તંભ : કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શેખાવત
- Advertisement -
આજે વર્લ્ડ હેરીટેજ ડેના દિવસે ભારતીયો માટે ખુશીના સમાચાર છે. ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરી. તેમણે તેને વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી.
વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની X પોસ્ટ શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે આ દુનિયાભરમાં ફેલાયેલા દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશએ આપણા શાશ્વત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. ગીતા અને નાટ્ય શાસ્ત્રએ સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપતી રહે છે.
- Advertisement -
17 એપ્રિલે યુનેસ્કોએ પોતાના મેમરી ઓફ ધી વર્લ્ડ રજીસ્ટરમાં 74 નવા દસ્તાવેજી વારસાના સંગ્રહ જોડયા છે. આથી કુલ અંકિત સંગ્રહોની સંખ્યા 570 થઈ ગઈ છે. આ રજીસ્ટરમાં 72 દેશો અને ચાર આંતરરાષ્ટ્રીય સંગઠનોની વૈજ્ઞાનિક ક્રાંતિ, ઈતિહાસમાં મહિલાઓનું યોગદાન અને બહુપક્ષવાદની સિદ્ધિઓ પર એન્ટ્રીઓ સામેલ કરાઈ છે. યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં પેઢીઓથી સમાજ પર અસર રહ્યા હોય એવા મહત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથો, હસ્તપ્રતો અને દસ્તાવેજોને સામેલ કરવામાં આવે છે. યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો પવિત્ર સંવાદને ભગવદ ગીતામાં સમાવવામાં આવ્યો છે, આ ગ્રંથને સદીઓથી ભારતીય સમાજ માટે આધ્યાત્મિક અને દાર્શનિક આધારસ્તંભ છે.