By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    2 days ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    3 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    3 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    4 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    2 days ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    2 days ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    2 days ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    3 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    2 days ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    2 days ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    3 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    5 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    6 minutes ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ
Hemadri Acharya Dave

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

Khaskhabar Editor
Last updated: 2025/07/21 at 11:42 AM
Khaskhabar Editor 5 months ago
Share
8 Min Read
SHARE

અમરનાથ યાત્રા એ ભારતની એક એવી પવિત્ર યાત્રા છે, જે માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને માનવીય સહનશક્તિનો અદ્ભુત સમન્વય છે જે ભારતની આધ્યાત્મિક ધરોહરને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. હિમાલયની બરફાચ્છાદિત ઊંચાઈઓમાં, જમ્મુ-કાશ્મીરના પહેલગામ તહસીલમાં, 3,888 મીટર (12,756 ફૂટ)ની ઊંચાઈએ આવેલી અમરનાથ ગુફા એક એવું તીર્થસ્થળ છે, જ્યાં ભગવાન શિવનું બરફનું શિવલિંગ કુદરતી રીતે રચાય છે. આ યાત્રા ભક્તોને આધ્યાત્મિક શાંતિ, આંતરિક જાગૃતિ અને ભગવાન શિવની નિકટતાનો અનુભવ કરાવે છે. શ્રાવણ માસમાં બરફનું શિવલિંગ રચાતાં હર હર મહાદેવનો નાદ ગુંજે છે, અને લાખો યાત્રીઓ આ દૈવી ચમત્કારના સાક્ષી બનવા વિકટ પર્વતીય રસ્તાઓ પર નીકળી પડે છે. ભારતના હિન્દી પટ્ટામાં શ્રાવણ માસની શરૂઆત અષાઢ પૂર્ણિમાથી થાય છે, જે શિવની આરાધનાનો પવિત્ર સમય ગણાય છે. આ યાત્રા અષાઢી પૂર્ણિમાથી શ્રાવણ પૂર્ણિમા-રક્ષાબંધન-સુધી, એટલે કે આશરે એક મહિના માટે ખુલ્લી રહે છે. આ સમયે ગુફામાં બરફનું શિવલિંગ ચંદ્રના કળાચક્ર સાથે વધે-ઘટે છે, જે શ્રાવણ પૂર્ણિમાએ પોતાના પૂર્ણ આકારમાં ઝળકે છે અને અમાસ સુધી ધીમે-ધીમે ઓગળે છે. આ કુદરતી ચમત્કાર લાખો ભક્તોની શ્રદ્ધાને હિમાલયના દુર્ગમ રસ્તાઓ સુધી ખેંચી લાવે છે, જ્યાં તેઓ સોમવારના વ્રત, જલાભિષેક અને કાંવડ યાત્રા જેવા અનુષ્ઠાનો સાથે શિવની આરાધનામાં લિન થઈ જાય છે. અમરનાથ યાત્રા શિવ-પાર્વતીના દૈવી સંવાદની કથા સાથે જોડાયેલી છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ ગુફામાં શિવે પાર્વતીને ‘અમરકથા’-જીવન, મૃત્યુ અને મોક્ષના રહસ્યો-સંભળાવી.

આ વાત એક કબૂતરે સાંભળી, જે શુકદેવ ઋષિ તરીકે અમર થઈ. આજે પણ ગુફામાં કબૂતરોની હાજરી ભક્તોના હૃદયમાં શિવની નિકટતા જગાવે છે. આ પ્રાકૃતિક ગુફા શિવના હિમલિંગનું ઘર છે, જે ગુફાની છત પરથી ટપકતી બરફની બૂંદોમાંથી રચાય છે. આ ચમત્કાર ભક્તોની શ્રદ્ધાને નવી ઊંચાઈઓ આપે છે. વૈજ્ઞાનિકો અમરનાથ ગુફાને આશરે 5,000 વર્ષ જૂની માને છે, પરંતુ હિમાલયના પર્વતોના પથ્થરો લાખો વર્ષ જૂના હોવાથી, આ ગુફા વધુ પ્રાચીન હોઈ શકે છે. અમરનાથનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. નીલમત પુરાણ, છઠ્ઠી સદીનું ધર્મનું વર્ણન કરતું પુસ્તક, ‘અમરેશ્વર’ તરીકે ગુફાનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે, જે દર્શાવે છે કે તે સમયે યાત્રા લોકપ્રિય હતી. ભૃગુ સંહિતામાં અમરનાથની પૂજા અને યાત્રાના પડાવો-અનંતનાગ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી- વગેરે સ્થળ તેમજ ત્યાંની ચોક્કસ વિધિઓનું વર્ણન છે.કાશ્મીરના પ્રાચીન ઇતિહાસ અંગેનું કલ્હણનો ગ્રંથ ‘રાજતરંગિણી’ (12મી સદી)માં કાશ્મીરના રાજા સંધિમત (34 ઈ.પૂ.થી 17 ઈસવી)નો ઉલ્લેખ છે, જેઓ શિવભક્ત હતા અને પહેલગામના જંગલોમાં બરફના શિવલિંગની આરાધના કરતા હતા. એક કથા અનુસાર, મહર્ષિ ભૃગુએ હિમાલયની યાત્રામાં કાશ્મીર ઘાટીના પાણીનું સ્તર ઘટ્યા બાદ અમરનાથ ગુફા અને તેનું હિમશિવલિંગ જોયું, જેની તેમણે પૂજા કરી, આ સ્થળને શિવના પ્રમુખ ધામ તરીકે સ્થાપિત કર્યું. અમરનાથ સાથે જોડાયેલા શ્લોકો શિવના હિમલિંગની સ્તુતિ કરે છે. શિવ પુરાણ અને નીલમત પુરાણમાંથી એક શ્લોક છે:

- Advertisement -

(ઓમ નમ: શિવાય શંભવે હિમલિંગાય નમો નમ:)
અર્થ: શિવને નમન, જે હિમલિંગના સ્વરૂપમાં શાંતિ અને આનંદ આપે છે
ભૃગુ સંહિતામાં યાત્રાના પડાવોની સ્તુતિમાં શ્લોક છે:
(અમરેશ્વરાય નમ: શિવાય, હિમગિરૌ
સંનાદતિ યત્ર નાદ:મ પંચતરંગિન્યાં
શેષનાગે, ગણેશપર્વતે ચંદ્રવારી ચમ)
અર્થ: અમરેશ્ર્વર શિવને નમન, જે હિમાલયમાં નાદ ગુંજાવે છે, પંચતરણી, શેષનાગ, ગણેશ પર્વત અને ચંદનવાડીમાં વિરાજે છે
કાલાંતરે અમરનાથની ગુફાઓ કોઈક કારણોસર સદીઓ સુધી અદ્રશ્ય રહી અને ત્યારબાદ, 17મી સદીમાં મુસ્લિમ ભરવાડ બુટા મલિકે ભટકેલી બકરીને શોધતાં આ ગુફા શોધી. બરફનું શિવલિંગ જોઈને તે આશ્ચર્યચકિત થયો અને સ્થાનિક રાજાને જાણ કરી, જેણે યાત્રાનો પાયો નાખ્યો. આજે બુટાના વંશજોને ચડાવાનો ચોથો ભાગ મળે છે.

આ વર્ષે ભાવિકોની સુરક્ષા હેતુ, ‘ઓપરેશન શિવા’ હેઠળ 8500 સૈનિકો, AI-આધારિત CCTV, ડ્રોન અને 50 એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત

- Advertisement -

સ્વામી વિવેકાનંદે 1898માં ગુફામાં ધ્યાન કર્યું અને એ અનુભવ વિશે લખ્યું કે બરફનું શિવલિંગ જોતાં એવું લાગે છે કે સમગ્ર વિશ્વ શિવની ચેતનામાં ડૂબી ગયું. સિસ્ટર નિવેદિતાએ ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં અમરનાથને ભારતની આધ્યાત્મિક શોધનું પરાકાષ્ઠા ગણાવ્યું. સ્વામી લક્ષ્મણજૂએ‘કાશ્મીર શૈવિઝમ: ધ સિક્રેટ સુપ્રીમ’માં આ ગુફાને શિવની ચૈતન્ય શક્તિનું કેન્દ્ર ગણાવી છે. અમરનાથયાત્રાનો એક મુખ્ય પડાવ છે,3,454 મીટરની ઊંચાઈએ આવેલ શેષનાગ ઝીલ! પૌરાણિક કથા અનુસાર, શિવે આ સ્થળે પોતાના ગળાના શેષનાગને મુક્ત કર્યા, જેનાથી આ ઝીલનું નામ પડ્યું. ચારે બાજુ બરફીલા પર્વતોથી ઘેરાયેલું આ નીલમણિ જેવી શાંત ઝીલ યાત્રીઓને મંત્રમુગ્ધ કરે છે. શેષનાગથી પંચતરણી સુધીનો રસ્તો બેવવેલ ટોપ (13,500 ફૂટ) અને મહાગુણાસ દર્રો (14,500 ફૂટ) જેવા વિકટ પથરાળ રસ્તાઓમાંથી પસાર થાય છે, જ્યાં ઓક્સિજનની ઉણપ અને ઠંડી શારીરિક સહનશક્તિની કસોટી કરે છે. અમરનાથની આસપાસની નાની ગુફાઓને પણ શિવના ધ્યાન અને તપસ્યાનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ ગુફાઓ, બરફથી ઢંકાયેલી, યાત્રીઓ માટે આધ્યાત્મિક રહસ્યનું કેન્દ્ર બની રહે છે. માનવીય પ્રવૃતિઓનો સંચાર અને ગ્લોબલ વોર્મિંગને કારણે શિવલિંગનું કદ ગયા દાયકાની સરખામણીએ 30% ઘટ્યું છે, જે ચિંતાનો વિષય છે. 2024માં યાત્રા દરમિયાન 50 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકઠો થયો, જે લિદાર નદી અને આસપાસના જંગલોને પ્રદૂષિત કરે છે. ‘સ્વચ્છ યાત્રા’ અભિયાન હેઠળ ઝીરો-વેસ્ટ પહેલ, બાયોડિગ્રેડેબલ પેકેજિંગ અને સ્વચ્છતા ટીમો તૈનાત છે, પરંતુ પ્લાસ્ટિક બેન અને ગ્લેશિયર સંરક્ષણ માટે કડક નીતિઓ જરૂરી છે. 2025ની યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 38 દિવસ માટે યોજાઈ રહી છે, જેમાં પહેલગામ (48 કિ.મી.) અને બાલતાલ (14 કિ.મી.) માર્ગો મુખ્ય છે. 2024માં આ યાત્રા સંદર્ભે 5.14 લાખ યાત્રીઓએ રેકોર્ડ બનાવ્યો હતો. 2023માં 4.5 લાખ અને 2022માં 3.04 લાખ ભાવિકોએ દર્શન કર્યા હતાં. અલબત્ત, 2025માં 14 જુલાઈ સુધી 2 લાખ યાત્રીઓ આવ્યા, પરંતુ 22 એપ્રિલના પહેલગામ હુમલા (26 મૃત્યુ)થી યાત્રિકોની સંખ્યામાં 10.19% ઘટાડો થયો છે. ભૂતકાળમાં, આ યાત્રાપથમાં ભાવિકો પર આતંકવાદી હુમલામાં 2000માં 32, 2001માં 13 અને 2017માં 7 યાત્રીઓના મૃત્યુ થયા હતા.આ વર્ષે ભાવિકોની સુરક્ષા હેતુ, ‘ઓપરેશન શિવા’ હેઠળ 8,500 સૈનિકો, અઈં-આધારિત ઈઈઝટ, ડ્રોન અને 50 એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત છે. આ ઉપરાંત અનેક પ્રાકૃતિક જોખમોનો ખતરો, જેવા કે,16 જુલાઈ 2025ના બાલતાલ ભૂસ્ખલનમાં એક મહિલાનું મૃત્યુ અને 2022ના વાદળફાટવાથી 16 મૃત્યુ પ્રકૃતિના જોખમો દર્શાવે છે.વળી, 13,000 ફૂટની ઊંચાઈએ ઓક્સિજનની ઉણપથી ઊંચાઈની બીમારી, હાઈપોથર્મિયા અને શારીરિક થાકનું જોખમ રહે છે. ગંભીર કિસ્સાઓમાં હાઈ એલ્ટિટ્યૂડ પલ્મોનરી એડીમા (ઇંઅઙઊ) કે સેરેબ્રલ એડીમા (ઇંઅઈઊ) થઈ શકે છે.
લાખો યાત્રીઓની આવનજાવનથી હિમાલયનું નાજુક ઇકોસિસ્ટમ ખતરામાં છે. બરફના શિવલિંગનું ઘટતું કદ અને ગ્લેશિયરોનું ઓગળવું ગ્લોબલ વોર્મિંગ અને માનવીય પ્રવૃત્તિઓનું પરિણામ છે. 2024ના અહેવાલો અનુસાર, શિવલિંગનું કદ ગયા દાયકાની સરખામણીએ 30% ઘટ્યું છે, જે ચિંતાજનક છે. પ્લાસ્ટિક કચરો, ખાસ કરીને બોટલો અને રેપર્સ, લિદાર નદી અને આસપાસના જંગલોને પ્રદૂષિત કરે છે. એક અંદાજ મુજબ, 2024માં યાત્રા દરમિયાન 50 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકઠો થયો. ’સ્વચ્છ યાત્રા’ અભિયાન હેઠળ ઝીરો-વેસ્ટ પહેલ, બાયોડિગ્રેડેબલ પેકેજિંગ અને સ્વચ્છતા ટીમો તૈનાત કરાઈ, પરંતુ સ્થાનિક પર્યાવરણવિદોનું માનવું છે કે પ્લાસ્ટિક બેન અને ગ્લેશિયર સંરક્ષણ માટે કડક નીતિઓ જરૂરી છે. અમરનાથ યાત્રા શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ છે. આ યાત્રા એક કેનવાસ છે, જ્યાં શિવની ચેતના, ભક્તોની શ્રદ્ધા અને હિમાલયની સુંદરતા સાથે જ્યાં શ્રદ્ધા, સંઘર્ષ અને સૌહાર્દના રંગો ભળે છે. બરફના શિવલિંગની નશ્વર સુંદરતા અને ભક્તોનો અડગ વિશ્વાસ એક એવી ઊર્જા પેદા કરે છે જે હિમાલયની ઠંડીને પણ હૂંફાળી બનાવી દે છે. ઉપર કહ્યું તેમ, માનવિય સુરક્ષાની ચિંતા, પ્રાકૃતિક આપદાની સંભાવના, આરોગ્ય વિષયક જોખમો આ યાત્રાના મુખ્ય પડકારો છે જેમાં, શ્રદ્ધાળુઓ અસીમ વિશ્વાસ અને ધીરજથી પાર ઉતરે છે. અલબત્ત, શિવલિંગનું ઘટતું કદ અને ઓગળતા ગ્લેશિયરો આપણને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની યાદ અપાવે છે.

You Might Also Like

કચ્છ-સૌરાષ્ટ્રના GI ઉત્પાદનો

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

TAGGED: Amarnath Yatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરેલી: ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીનો આપઘાત, રૂ. 28 લાખનું દેવું કારણભૂત
Next Article સંસદનું ચોમાસુ સત્રની આજથી શરૂઆત: ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષનો હોબાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ એરક્રાફ્ટ રનવે પરથી સરકી ગયું
વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

કચ્છ-સૌરાષ્ટ્રના GI ઉત્પાદનો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?