By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    15 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    13 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    13 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    13 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    13 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    15 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂછતાં હૈ ભારત ન્યૂઝ પાછળના ન્યૂઝની, લૂંટિયન્સ મીડિયાના બદલાઈ રહેલાં માલિકીહક્કોની રસપ્રદ વાતો…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > પૂછતાં હૈ ભારત ન્યૂઝ પાછળના ન્યૂઝની, લૂંટિયન્સ મીડિયાના બદલાઈ રહેલાં માલિકીહક્કોની રસપ્રદ વાતો…
AuthorHemadri Acharya Daveખાસ-ખબર

પૂછતાં હૈ ભારત ન્યૂઝ પાછળના ન્યૂઝની, લૂંટિયન્સ મીડિયાના બદલાઈ રહેલાં માલિકીહક્કોની રસપ્રદ વાતો…

Khaskhabar Editor
Last updated: 2022/10/24 at 5:04 PM
Khaskhabar Editor 3 years ago
Share
11 Min Read
SHARE

લોકશાહીનો ચોથો સ્થંભ પત્રકારત્વ

ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાનાં પત્રકારત્વ માટે એમ લાગી રહ્યું છે કે આ વટવૃક્ષને હવે ઉધઈ લાગી ગઈ છે. ઉપર ઉપરથી અડીખમ દેખાતા આ બંધારણમાં હવે પત્રકારત્વ માટેની મૂળભૂત શરત એવા સાહસ, પારદર્શિતા, પથદર્શીતા, અને બહુ અગત્યનું લક્ષણ કે જનતા માટે અને જનતા સાથે ઉભા રહીને સમસ્યાઓના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા, આ બધું સત્તાની ઉધઈ દ્વારા ખવાઈ રહ્યું છે, ખોવાઈ રહ્યું છે.

- Advertisement -

આજની પરિસ્થિતિની વાત કરીએ એ પહેલાં આજકાલ ખૂબ સામાન્ય થઈ ગયેલ શબ્દ, લુંટીયન્સ મીડિયા’ એટલે શું એ સમજીએ. લુટીયન્સ આમ તો બ્રિટીશ આર્કિટેકટ એડવીન લૂંટીયન્સ દ્વારા બનાવાયેલા દિલ્હીના એક વિસ્તારનું નામ છે જ્યાં બ્રિટિશ સરકારના વહીવટીય કાર્યાલયો આવેલા હતા અને અહીં બેઠેલા બ્રિટિશ બ્યુરોક્રેટસ ભારતીયોને નીચા, અભણ, કોમવાદી, હિંદુ એટલે પછાત-ગમાર… આવું આવું સાબિત કરવા માટે સાવ જુઠા નરેશન સેટ કરીને પત્રકારો, લેખકો દ્વારા તેને ફેલાવતા. બ્રિટિશર્સની ચાપલુસી કરનાર આવા પત્રકારો-લેખકોના સમૂહ માટે લૂંટીયન્સ મીડિયા શબ્દ પ્રચલિત થયો અને બ્રિટિશરોના ગયા પછી કોંગ્રેસે બ્રિટિશરોનો આ વારસો જાળવ્યો હોય એમ પોતાના અંગત સ્વાર્થ માટે તેમણે પણ લુંટીયન્સ જર્નાલીઝમના દુષણને ખૂબ પાળ્યુંપોષ્યુ.

દાયકાઓ સુધી કોંગ્રેસ પ્રેરિત લુંટીયન્સ મીડિયા કલ્ચરથી મીડિયા પ્રભાવિત હતું. એમના પ્રભાવને કારણે અને બીજું સિદ્ધિઓને આજની જેમ હાઇલાઇટ કરવામાં આવતી ન હોવાથી લોકોમાં, એક સમર્થ રાષ્ટ્રના નાગરિક હોવાનું ગૌરવ કે ગૌરવના જુવાળની ભાવના પ્રબળ નહોતી કે ન તો ’સંસ્કૃતિ બચાવો’ કે દેશપ્રેમની ભાવનાને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને તેનો રાજનૈતિક પ્રચાર થતો. વળી, કોંગ્રેસીઓના કૌભાંડો, ભ્રષ્ટાચારોથી અર્થતંત્ર હાલકડોલક હતું. દેશનો સરેરાશ નાગરિક હતોત્સાહ હતો. આ બધા વચ્ચે સ્વાભાવિક ઉપર કહ્યું તેમ રાષ્ટ્રભાવના કે સાંસ્કૃતિક મૂલ્યોનું રાજનીતિકરણ કરીને લોકોને મનમાં એ અમૃતનો અતિરેક ઝેર બની જાય એ હદ સુધી ઠસાવવામાં નહોતું આવતું. આ દરમિયાન ભાજપની અભૂતપૂર્વ સફળતા અને મોદી સરકાર આવતા જ લોકોની માનસિકતા તેમજ પત્રકારત્વનું ચિત્ર બદલાવા લાગ્યું.
હવે, મોદી સરકારે રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બને એવા નરેશન સેટ કર્યા. ચારો તરફ ઉત્સાહ અને ઉલ્હાસ, સકારાત્મકતા ફેલાવા લાગી. દેશનો એક વર્ગ જે રાજનીતિને ફક્ત નેતાઓનો વિષય સમજતો એ હવે રાજનીતિમાં રસ લેતો થયો. મોદીજીએ હારેલા થાકેલાઓને ગુલાબી સપનાઓ વ્હેચ્યા અને એ સુખદ ભવિષ્યની કલ્પનાના નશામાં આખોય દેશ જાણે મદહોશ હતો. કોંગ્રેસે જે શબ્દ ને જ સુગાળવો કરી મુક્યો હતો એ પ્રતિબંધિત શબ્દ, હિંદુ અને હિન્દુત્વ હવે રાષ્ટ્રીય ચેનલ્સ પર આદરથી બોલાવા લાગ્યા. મંદિરો અને ધર્મની ચર્ચાઓને હવે ચેનલોના પ્રાઈમટાઈમના સ્લોટમાં જગા મળવા લાગી.અગાઉ ક્યારેય ન થતું એવું, સાધુપુરુષો, પ્રખર વિદ્વાનો ધર્મગુરૂઓના મત હવે ટીવી ડિબેટ્સનું આકર્ષણ બની ગયા. કાશ્મીર અને રામ મંદિર, આ બન્ને સળગતા મુદ્દાઓ પર પહેલા ક્યારેય નહોતી મળી એવીને એટલી, ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ્સ ગજાવવાની મોકળાશ મળી. આમ, વર્ષોથી રાજનૈતિક ઈરાદાથી કચડી નાખવામાં આવેલ ધર્મ, સંસ્કૃતિ, હિંદુ અને હિન્દુત્વ…આ બધામાં નવા પ્રાણ ફૂંકાવા લાગ્યા. ચારોતરફ જાણે બધું ફુલગુલાબી ગુલાબી થઈ રહ્યું છે, મેરા દેશ બદલ રહા હૈ, બધાને એવું લાગવા મંડયું. લુટીયન્સ મીડિયાનું એકચક્રી સાશન અસ્ત થવા લાગ્યું, સમાંતરે જ રાષ્ટ્વાદની, હિન્દુત્વની વાત કરે એવા જમણેરી પત્રકારોનો અવાજ બુલંદ થવા લાગ્યો અને, કોંગ્રેસ પ્રેરિત લુટીયન્સ મીડિયાનું બકરું કાઢવામાં છ દાયકા પછી સફળતા મળી…! આ બધું તો ખૂબ સરસ કહેવાય પણ…

પણ હવે ચિંતા એ છે કે બકરું કાઢતાં ઊંટ પેસી રહ્યું છે…
આપણા દેશમાં સૌથી વધુ હિન્દી ન્યુઝ ચેનલ જોવાય છે. અહીં, કોંગ્રેસ સરકારો વખતે કોંગ્રેસના જ ગુણગાન ગવાતાં જે ખૂબ જ કઠતું તેમ છતાં હવે એવું લાગે છે કે એ તો તો પણ સહ્ય હતું કે ત્યાંરે કમસેકમ ખોટું થયું હોય એ છુપાવવામાં આવતું, પણ ખોટાને સાચું કરી દેખાડવાની ધુષ્ટતા આજે જેટલા વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે એ નહોતી જ થતી. એ સમયે આઠ દસ મોટા લેખકો-પત્રકારો કોંગ્રેસની ગંદી બાજુ પર બસ, જાજમ પાથરવાની કુચેષ્ટા કરતા રહેતા. પણ આજે પત્રકારોનો એક મોટો સમૂહ સરકારની નબળી કે ગંદી બાજુની મેલી ચાદરને , તે મેલી ચાદર નહિ પણ મખમલી જાજમ જ છે એવું સતત સતત સતત જનમાનસમાં ઠસાવવા પ્રયત્નશીલ રહે છે. એ લોકો એના આકર્ષક ચશ્મા વડે આપણું વિઝન, આપણી માનસિકતા, આપણી વિચારશીલતાને કેદ કરવાનું સ્લો પોઇઝન આપી રહ્યા છે. તેઓ સમજી ગયા છે કે દેશના ગંભીર પ્રશ્નો કે મુદ્દાઓ પર ફોક્સ કે ચર્ચાઓ જાણીબૂઝીને ટાળવી અને ગોસીપિંગ ક્ધટેન્ટવાળા મુદ્દાઓ ચગાવી, એ જ અસલી સમાચાર છે, એ પ્રસ્થાપિત કરીને સરકારને પણ ખુશ રાખી શકાય અને આવા મુદ્દા જોવા તત્પર આપણા સૌ થકી ટીઆરપીનું મોટું બજાર પણ સર કરી શકાય છે! આજના પ્રોફેશનલ યુગમાં મીડિયા હાઉસો નખશીખ પત્રકારત્વને વરેલા, ખભે થેલો, ખાદીનો ઝભ્ભો પહેરેલા અસલ પત્રકારોથી નથી બનતા, હવે તો પત્રકારત્વ કોર્પોરેટ વર્લ્ડનો હિસ્સો છે જ્યાં ખરીદ-વેચાણની, કોને ચમકાવવા અને કોને કાળા ચિતરવા એ માટેની મોટી મોટી સોફેસ્ટિકેટેડ ડીલ થાય છે.

- Advertisement -

ટૂંકમાં, તમે જે જુઓ છો એટલું જ સત્ય નથી અથવા તમે જે જુઓ છો એ સત્ય જ નથી એ બન્ને બાબતો આજના પત્રકારત્વને સમજવા માટે પૂરતી છે. એ તમને ગરીબી, સરહદ પ્રશ્નો, બેકારી, અત્યાચાર, સતત ગોથું ખાઈ રહેલી અર્થવ્યવસ્થા… કશું જ નહીં બતાવે, અથવા પંગતમાં બેઠેલાને એક વખત પીરસીને નીકળી જતા હોય એમ આવા વિષયને જરાતરા સ્પર્શી બહાર નીકળી જશે. એ તમને બતાવશે મંદિર, મસ્જિદ, હિંદુ, મુસ્લિમ, થાળી ને દિવા… એ તમને વૈચારિક દારિદ્રય ભણી ખેંચી જશે. બહુ હોશિયાર પત્નીને શાણો પતિ પુસ્તકો કે કલાઓ પ્રતિ ન ઝુકવા દેતા, લાલી-લિપસ્ટિક-કંગના-પાયલ–ઘરવખરી આ બધાનો આકર્ષક થાળ સજાવીને એની બુદ્ધિને આટલા પૂરતી સીમિત કરીને રાખે એમ જ! એ તમને સતત ઠસાવશે કે વર્તમાન શાસકપક્ષ જેવો ઉત્તમ અને કોંગ્રેસ જેવો દુષ્ટ કોઈ પક્ષ નથી! ટૂંકમાં, કોંગ્રેસને આપણે ધરમૂળથી કાઢી બહાર ફેંકી દીધા પછી હવે દેશ સામે કોઈ સમસ્યા છે જ નહીં, તમે એવું માનવા લાગો એ એમનો હેતુ છે. કોમવાદ, સાંપ્રદાયિક ભાવનાનો નશો …આ બધું આ સમાચારોની દુકાનોમાં જથ્થાબંધ વેચાય છે, જેની અસરમાં લોકોને સંકુચિતતા, વૈમનસ્યનો કેફ ચડી રહ્યો છે, જે સમાજની સમરસતા માટે ખૂબ ખતરનાક છે. એ તમને સવાલો કરવાનું નહિ શીખવે, એ તમને દરેક વાતમાં પોતાના મનગમતા જવાબો પીવડાવી દેશે. એ મોદીજીના એક દિવસના જનતા કરફ્યુના નિર્ણયને અભૂતપૂર્વ ઐતિહાસિક ગણાવવા ગણતરીની કલાકોમાં એ પાછળના વૈજ્ઞાનિક(!) તથ્યો થિયરી સહિત સમજાવી દેશે! એ તમને થાળી વગાડવાથી થતા નાદના ફાયદાઓ, સૂક્ષ્મ જંતુ મરવાનું, ઘ્વનિ વિજ્ઞાન સમજાવી દેશે, કે જે તેઓ ખુદ પણ નહી સમજતા હોય. એ દિવા જલાવવાથી થતા ફાયદાઓ સમજાવીને એને સરકારની જાદુગરીમાં ખપાવશે . કોરોના લોકડાઉન પછી મજદૂરોને પોતપોતાના ગામે પહોંચાડતી ટ્રેનમાં ખુલ્લેઆમ ટિકિટના પૈસા મુજદૂર પાસેથી વસુલવામાં આવતા હતા તો પણ મોટાભાગની ચેનલોએ ડિઝાઇન્ડ રિપોર્ટિંગ કરીને એ જ બતાવ્યું કે ટીકીટના પૈસા નહિ, સરકાર તરફથી મફતમાં લઈ જવાય છે! પૂછતાં હે ભારત…’ અને હમ તો પૂછેંગે…હમ તો પૂછેંગે… નાં ઘાંટા પાડ્યા કરતી આ ચેનલો વળી જ્યાંરે સવાલો પૂછવાના હોય ત્યાં કયારેય કશું નહિ પૂછે ! ન્યૂઝ એન્કરો ટીવી ડિબેટ્સમાં સરકાર વિરોધી સુરને ટાઈમ નહિ આપે, કોઈ સરકાર વિરોધી વાત કરે તો એન્કર જોરજોરથી ઘાંટા પાડીને બીજી વાત પર ફંટાઈ જઈને પેલાનો અવાજ દાબી દેશે, એન્કર પોતે એન્કર મટી આ પક્ષ વિશેષનો પ્રતિનિધિ હોય એમ વર્તવા માંડશે. એ નમાલા વિપક્ષનો અવાજ દબાવશે અને… આ બધું જોઈને આપણે ખુશ ખુશ થઈ જશું કે વાહ, વિરોધીઓની, વિપક્ષોની બોલતી કેવી બંધ કરી! પણ આપણને એ સત્ય ક્યારેય નથી સમજાતું કે આજે વિરોધીઓની બોલતી બંધ કરી છે, બની શકે કે આવતીકાલે તમને સરકારની કોઈ નીતિ સામે વાંધો પડશે તો તમને પણ આમ જ…

યાદ કરો, ટેલિવિઝનના શરૂઆતના વર્ષોમાં આપણે ત્યાં સાહિત્યિક સ્પર્શવાળી અર્થપૂર્ણ વાર્તાવાળી સિરિયલ્સ બનતી પણ એકતા કપૂરનો યુગ શરૂ થયો અને છીછરી તથ્યહીન, અર્થહીન, ઘરને પોલિટિક્સનો અખાડો બતાવે એવી સીરિયલ્સનો દૌર શરૂ થયો જેણે આપણા જનમાનસનું વૈચારિક પતન, જનમાનસના પસંદગી અને રુચિનું એવું તો અધ:પતન આણ્યું કે આજ સુધી એમાંથી ઉગરી નથી શકાયું અને હવેની પેઢીને અર્થપૂર્ણ સિરિયલ્સ જોવી જ નથી ગમતી અને ત્યારથી મનોરંજનને નામે એંઠવાડ પીરસવાની પરંપરા હવે થોભવાનું નામ નથી લેતી.
બસ, એ જ રીતે એવા જ એક વૈચારિક અધ:પતનનો આ બીજો દૌર ન્યુઝચેનલોએ શરૂ કર્યો છે. આ લોકો અર્થહીન અને તથ્યહીન વાતોમાં એન્ટરટેઇનમેન્ટ વેલ્યુઝ અને થ્રિલ ઉમેરી એને એટલી ઇન્ટરેસ્ટિંગ બનાવીને પીરસે છે કે હવે તો આપણે ખરા સમાચાર કોને કહેવાય એ જ ભૂલી ગયા છીએ! ચેનલ હવે બે સમૂહમાં વહેંચાઈ ગઈ છે જેમાં મોટાભાગની સરકારી ખોળે અને ગણીગાંઠી કોંગ્રેસના ખોળે બેઠેલી છે. આ લોકો કોઈપણ ન્યૂઝને કોંગ્રેસ/ભાજપ, હિંદુ/મુસ્લિમ, સવર્ણ /દલિત એવી ફ્રેમમાં ફિટ કરીને દેખાડશે. આધુનિકતા ખાલી ટેકનોલોજી અને ગેઝેટઝમાં આવી છે પણ તેના થકી આ બન્ને સમૂહની ચેનલો સંકુચિતતાના સરવાળાઓ અને ગુણકારો કરીને આપણને દિન,-પ્રતિદિન વધુને વધુ પછાત કરતી જાય છે. આ બાબતો કોઈપણ જાગૃત નાગરિકને એટલા માટે ચિંતા કરાવે એવી છે કે, કોઈપણ સમાજનું વૈચારિક સ્તર નીચું જાય કે અધ:પતન થાય એ પછી એને ફરી તંદુરસ્ત કરવામાં વર્ષો, દસકાઓ કે ક્યારેક દાયકાઓ નીકળી જાય છે.

ટૂંકમાં, આ લેખનાં અંતે બે મહત્વના મુદ્દા એ જ છે કે, કોંગ્રેસના ગયા પછી આપણને એવું લાગતું હતું કે હાશ, હવે લુટીયન્સ મીડિયા કલ્ચર ખતમ થઈ ગયું. ના, એ ખતમ નથી થયું બસ એના માલિકીહક્કો બદલાયાં છે. લુટીયન્સ મીડિયા કલ્ચર પર પહેલા બ્રિટિશરોનો, પછી કોંગ્રેસનો અને હવે ભાજપનો દબદબો છે. અલબત્ત, કોંગ્રેસ વખતે ગણીગાંઠી ચેનલ કે પત્રકારો એમના હતા અને હવે આજે ગણ્યાગાંઠ્યા જ સાચું બોલનારાં બચ્યા છે એ મોટો ફરક છે!

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: india, JOURNALISM, news
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોહી અંગે આપણી સમજ અને જાણકારીનો ઇતિહાસ એક કાલ્પનિક કથા કરતા વધુ રોમાંચક
Next Article મોરબીમાં પાંજરાપોળની ગાયોના લાભાર્થે ફટાકડાના સ્ટોલનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?