ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જયભારત આર. ધામેચા (ફરિયાદી) રાજકોટ શહેરમાં અમારા કુટુંબ સાથે વસવાટ કરીએ છીએ અને પરિવારનું ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ અને અમો ફરિયાદી એક જલારામ બાપાના શિષ્ય હોય તથા લોહાણા રઘુવંશી સમાજમાંથી અમો આવતા હોય, આ કામના આરોપી એક સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયમાં સાધુ તરીકે ચાલી આવતા હોય અને તેને સંત તરીકેની વર્ણી પણ કરેલી હોય આમ આ કામના આરોપીએ એક સત્સંગ સભા સુરતમાં ચાલતી હતી તે સત્સંગ સભામાં ધર્મ વિશેની વાત કરવાની હોય પરંતુ આ સભામાં આ કામના આરોપીએ રઘુવંશી સમાજના ધર્મગુરુ યાને સંત શિરોમણી જલારામ બાપા વિશે ખોટી બફાટ વાતો કરીને તથા તેમના વિરૂદ્ધ ખોટી ટિપ્પણી કરેલી હોય આમ આ કામના આરોપીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ જેથી તેનું લાંછન સંપૂર્ણ સ્વામિનારાયણ સંપ્રદાય પર ન લાગે અને આવી ખોટી ધર્મ વિશેની વાતો કરીને હિંદુ ધર્મને બદનામ ન કરે. આમ આ કામના આરોપીએ સુરતમાં એક સત્સંગ સભા ચાલતી હોય તેમાં રઘુવંશી સમાજના સંત જલારામ બાપા એક મહાન સંત હોય અને આ કામના આરોપીએ હિંદુ ધર્મનું પૂરતું જ્ઞાન ધરાવતા ન હોય અને સત્સંગ વિશેનું પણ પૂરતુ જ્ઞાન ન હોય આમ સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરેલી તેમાં ઉલ્લેખ કરેલ કે સંત જલારામ બાપાના અન્નક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામિએ તેમને આશીર્વાદ આપેલા અને જલા બાપા યાને જલારામ બાપાને સારો એવો સાધુસંતનો સંબંધ ચાલી આવેલ હતો જેને કારણે આ બધા અન્નક્ષેત્ર ચાલી આવેલ છે. આમ આ કામના આરોપીએ ક્યા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલા ભગત વિશે થયેલ વાર્તાનો વ્યાસપીઠ પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે અને ગુણાતીતનંદ સ્વામિના કારણે જ વીરપુરમાં સદાવ્રત યાને અન્નક્ષેત્ર આવી આવેલ છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ખૂબ જ ઘોર અપમાન કરેલ છે.
આ કામના આરોપીને સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ ન હોય અને આપણા હિંદુ ધર્મના સંતો તથા ગુરૂઓ વિશે કઈ રીતે વાત કરવી, કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા પર ભોજલરામ બાપાના આશીર્વાદ હોય અને ભોજલરામ બાપાના આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા તેની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવ્રત યાને અન્નક્ષેત્રની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપેલા જેના કારણે વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, જે ખોટી બફાટ આ કામના આરોપીએ વ્યાસપીઠ પર કરીને અમારા રઘુવંશી સમાજનું અપમાન કરેલ છે જેમાં અમો ફરિયાદના સંતો જ નહીં આ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિંદુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિંદુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત જલારામ બાપાનું અપમાન કરેલ છે. આમ આ કામના આરોપી વીરપુર જલારામ બાપાના મંદિર પર આવીને જાહેરમાં માફી માગી અને લેખિત માફીનામુ આપી બીજી વાર આવી ભૂલ ન થાય તે ભાન માટે આ ફરિયાદ નોંધી ફોજદારી રાહે કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.