By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    16 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    16 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    11 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    14 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    16 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    16 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    16 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 day ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    14 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    16 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    16 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ફરેણી ગુરુકુળનાં શાસ્ત્રી બાલકૃષ્ણદાસ પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કરે છે અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ફરેણી ગુરુકુળનાં શાસ્ત્રી બાલકૃષ્ણદાસ પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કરે છે અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે’
TALK OF THE TOWNરાજકોટ

‘ફરેણી ગુરુકુળનાં શાસ્ત્રી બાલકૃષ્ણદાસ પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કરે છે અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે’

Khaskhabar Editor
Last updated: 2025/03/06 at 5:51 PM
Khaskhabar Editor 9 months ago
Share
8 Min Read
SHARE

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના પ્રખર હરિભક્ત ચંદુભાઈ સુરેજાએ વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેમના સંલગ્ન આશરે અઢીસો જેટલા મંદિરોમાં ત્રણ પત્ર લખી મોકલ્યા હતા જેની વિગત નીચે મુજબ છે.

પ્રખર હરિભક્ત ચંદુભાઈ સુરેજાએ વડતાલ ધામને લખેલાં પત્રમાં ચોંકાવનારો ખુલાસો
આદરણીય સદ્ગુરુ શ્રી ઘનશ્યામદાસજી સ્વામી દંડવત સહ જયશ્રી સ્વામિનારાયણ.
આપશ્રી સંપ્રદાયના એક કીર્તિમાન સદ્ગુરુ હોઈ તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનશ્રી હોઈ તે નાતે આપની સમક્ષ ફરેણી શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી તથા તેમના મંડળની કેટલીક શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરૂદ્ધની વાતો આપના ધ્યાન પર લાવું છું – હું ફરેણી સંસ્થાનો અનન્ય નિષ્ઠાવાળો વિચારવાન ભણેલ-ગણેલ શાસ્ત્રોનો અભ્યાસી અનુયાયી છું પરંતુ જેમ જેમ સ્વામી સંતો, હરિભક્તોની નજીક આવતો ગયો તેમ તેમ તેમનું વરવું રૂપ સામને આવતું ગયું. શરૂઆતમાં સંતોનો અંદરો-અંદરના સૃષ્ટિ વિરૂદ્ધના કાર્યો, સંતો અને યુવાન છોકરાઓ વચ્ચેના સૃષ્ટિ વિરૂદ્ધના કાર્યો જાણી આ અંગે શાસ્ત્રી સ્વામીનું ધ્યાન દોર્યું. મારી હિંમત અને સિદ્ધાંતવાદી પ્રકૃતિને લઈને મેં હિતવાળા આગેવાન ભક્તોને વાત કરી નારાજગી બતાવી મિટીંગો કરી પરંતુ શાસ્ત્રી સ્વામીએ બધાને દબાવી દઈ ત્યાગીની વાતોમાં માથું ન મારવાની ધમકી આપી, ત્યારબાદ મારા મનમાં એક સંશય રહેતો કે શાસ્ત્રી સ્વામી આવી ગંદી પ્રવૃત્તિને બંધ કરાવવાને બદલે સાથ કેમ આપે છે?

- Advertisement -

ક્યાંક તેની પછેડી પણ દબાયેલી તો નથીને? ત્યારબાદ ત્યાગી દ્વારા સત્સંગીની વહુ-બેટી સાથેના સંબંધો ક્યાંક પ્રેમથી અને ક્યાંક બળજબરીથી બહાર આવવા લાગ્યા ત્યારે સત્સંગ સમાજમાં બહુ ઉદ્વેગ સાથે આક્રોશ ફાટી નીકળ્યો ત્યારે પણ શાસ્ત્રીએ કુંવારી દીકરીના બાપને આશ્ર્વાસન આપવાને બદલે દબાવી દીધા અને વ્યભિચારી ત્યાગીનો પક્ષ લીધો. આ પ્રસંગ પછી શાસ્ત્રીનો પણ ક્યાંક પગ ખરડાયેલો હોવો જોઈએ તેવી મારી શંકા દૃઢ થઈ. આ અંગે મેં શાસ્ત્રી સામે ઘણાં પ્રશ્ર્નો ઉઠાવ્યા, પણ તેણે એકપણ પ્રશ્ર્નનું સમાધાન કર્યું નહીં. પછી મેં વાતના અંત સુધી જવા માટે હેતવાળા જૂના હરિભક્તો તથા સંતો સાથે આ અંગે ખુલ્લી ચર્ચા કરી. આ ચર્ચાને અંતે જે બહાર આવ્યું તે જાણીને હું સ્તબ્ધ થઈ ગયો.

ખુદ શાસ્ત્રી પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરૂદ્ધની ક્રિયા નિત્ય કરતા તથા બૈરાઓ સાથે દૈહીક સંબંધ રાખતા આવા 10થી 15 છોકરાના નામો મળ્યા. તેમાંથી 5-7 છોકરાને હું સારી રીતે ઓળખતો હતો. રાત્રે એક સેવક સંત આ છોકરાવને શાસ્ત્રીના રૂમમાં મોકલી આપતા વિચરણ દરમિયાન પણ આ સિલસિલો ચાલુ રહેતો. મારા સંબંધીના છોકરાને મેં પૂછયું તો કહે શાસ્ત્રી મારી સાથે આવું કરે છે તે કહે મને સમજાતું નથી કે સ્વામી આમ કેમ કરે છે?

ગરીબ, મજબુર, ઓછું ભણેલાં લોકોને બારમા વચનામૃતનો અનર્થ કરીને ભોળવવામાં આવે છે

- Advertisement -

પીપલાણાથી જુદા પડ્યા ત્યારે એક સંતો કહ્યું હતું કે શાસ્ત્રી ધોતીયા છોડીને વિષયો ભોગવવા માટે જુદા પડ્યા છે તે સાચું છે. અમે જ્યાં મોક્ષ માન્યો ત્યાં શ્રીજી મહારાજના પંચ વર્તમાન લોપાય છે. તીર્થસ્થળમાં કરેલું પાપ તો વ્રજલેપ થાય છે. આ બધા તો ઘોર નરકમાં જશે તો આપણને અક્ષરધામમાં કેમ લઈ જશે?
પછી મને વિચાર આવ્યો કે આ લોકો છોકરા અને બૈરાને કઈ રીતે આ દુષ્કર્મ કરવા તૈયાર કરે છે?
તપાસના અંતે જાણવા મળ્યું કે ગરીબ, મજબૂર, ઓછું ભણેલા, નિમ્નજ્ઞાતિ, આશીર્વાદની લાલસાવાળા તથા મહિમામાં અંધ ઘર પસંદ કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે ભગવાનના ચરિત્રોમાં શંકા ન કરે પણ ભગવાનના સંબંધવાળાના ચરિત્રોમાં પણ શંકા ન કરે અને પોતાનો દેહ ભક્તને અર્થે વાપરે તો તેનામાં દોષ હોય તો ય કલ્યાણમાં ફેર નથી.

ઉપાસનાની બાબતમાં શાસ્ત્રી સ્વામી આચાર્ય મહારાજ તથા મોટા-મોટા સંતોની આંખોમાં ધૂળ નાંખી જૂના જ સંપ્રદાયમાં રહી શ્રીજી મહારાજની ઉપાસનાનો નિષેધ કરે છે

લોયાના 12માં વચનામૃતનો વિકૃત અર્થ કરી વચનામૃતની સાખે વ્યભિચારની કાયદેસરતા સ્થાપે છે ડોકટર તમારા બૈરાના ગુપ્ત ભાગનો સ્પર્શ કરે તો તમને શંકા જાય છે? જો નહીં તો ડોકટર કરતાં તો સંતો અધિક છે, તેમની ક્રિયામાં સંશય થવો જોઈએ નહીં. દિવ્યભાવ રાખવો મનુષ્યભાવ ન રાખવો શક્તિપંથી અને જમાતવાળા બાવાના સમયની અંધપરંપરા ચલાવી છે. પોતાના અનુયાયીઓની વહુ-દીકરીને પ્રસાદીને કરાવી વ્યભિચાર કરતાં તેનાથી દેવલોક મળે એવી જ અંધ પરંપરા કે અક્ષરધામમાં જવાનો આ ટૂંકો રસ્તો છે. મહારાજે જેને અધર્મ કહી કાઢ્યો તેને ધર્મના નામે કલ્યાણના નામે દાખલ કર્યો. કેવડો મોટો શ્રીજી મહારાજનો દ્રોહ?

હવે ઉપાસનાની બાબતમાં શાસ્ત્રી સ્વામી આચાર્ય મહારાજ તથા મોટા મોટા સંતોની આંખોમાં ધૂળ નાખી જૂના જ સંપ્રદાયમાં રહી શ્રીજી મહારાજની ઉપાસનાનો નિષેધ કરે છે. ફરેણીમાં આચાર્ય મહારાજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી પછી અંગત હરિભક્તોની હાજરીમાં કહ્યું કે જે સિદ્ધાંત માટે અક્ષર પુરુષોત્તમવાળાને સંપ્રદાયમાંથી બહાર જવું પડ્યું તે જ સિદ્ધાંત આપણે આચાર્ય મહારાજશ્રી તથા મોટેરા સંતોની હાજરીમાં સંપ્રદાયની અંદર રહી સ્થાપિત કરી દીધો.

બાલકૃષ્ણ શાસ્ત્રી સ્વામીની પ્રગટ ઉપાસના: રામ-કૃષ્ણાદિક અવતારો પરોક્ષ છે તેમ સ્વામિનારાયણ ભગવાન પણ પરોક્ષ છે, તમારી સામે વાતુ કરે છે એટલે કે તે પોતે પુરુષોત્તમ છે તેના જ્ઞાની સંત અક્ષર છે અને આ બંનેમાં જોડાયેલા છે તે મુક્ત છે. આ શાસ્ત્રી સ્વામીની ત્રણ તત્ત્વની પ્રગટ ઉપાસના છે.

ધ્યાન શાસ્ત્રી સ્વામીનું કરવાનું માનસીપૂજા, ભક્તિ, થાળ, નામ, સ્મરણ, શાસ્ત્રી સ્વામીનું કરવાનું શ્રીજી મહારાજનું નહીં. શ્રીજી મહારાજને ગૌણ કરી તેનો નિષેધ કરી તેની જગ્યાએ પોતાનું સ્થાપન કરે છે.
અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ છે કે તે ભગવાનને અખંડ ધારી રહ્યા છે જેમ ગુણાતીતાનંદ સ્વામી ધારી રહ્યા હતા તેનો સિદ્ધાંત પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ છે તેમ નથી જ્યારે ફરેણીનો સિદ્ધાંત એ છે કે શાસ્ત્રી સ્વામી છે તે જ સ્વામિનારાયણ છે. ચુસ્ત ભક્તો પહેલા સ્વામીને પગે લાગે છે, દંડવત પણ સ્વામીને જ કરે છે, પધરાવેલ મૂર્તિને નહીં. આ ખોટી ઉપાસનાને રોકી તેને સંપ્રદાયમાંથી દૂર કરવા તે તમારી તથા આચાર્ય મહારાજશ્રીની નૈતિક જવાબદારી છે. પ્રસંગ પડે જ અંતરા સિદ્ધાંત તથા શ્રીજી મહારાજના પક્ષની કસોટી થાય છે. તમે શાસ્ત્રીના હેતવાળા છો પણ તેને તમારામાં કેટલું હેત છે તે અમે જાણીએ છીએ. ત્યાં જવાથી તમારી શોભા વધતી નથી, ઘટે છે.

આ બધું જાણ્યા પછી પણ તમે ઉત્સવમાં વક્તા હોવ તમારા સંતો સેવા કરતા હોય તે તમારી સર્વોપરી નિષ્ઠામાં ભવિષ્યમાં પ્રશ્ર્નાર્થ ઉભા કરશે?
અક્ષર પુરુષોત્તમે મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી તથા બળદીયા છતેડીએ અબજીબાપાની મૂર્તિ મંદિરમાં પધરાવી તો તેને સંપ્રદાયમાંથી બહાર જવું પડ્યું તો આ શાસ્ત્રી તો ભક્તોના હૃદય મંદિરમાં પોતાને સ્વામિનારાયણ તરીકે સ્થાપે છે છતાં સંપ્રદાયની અંદર કેમ છે? તેના ઉત્સવ સમૈયામાં સંતો તથા આચાર્યો મહારાજશ્રી કેમ પધારે છે?
મુખ્ય મુદ્દો ઉપાસનાનો છે અને વ્યભિચાર ઉપાસનાના ઓઠા હેઠળ ન કરે નહીંતર ભવિષ્યમાં અંધ પરંપરા ચાલશે વ્યભિચારમાં તો તેણે શ્રીજી મહારાજની આજ્ઞા પર ઘા કર્યો છે પરંતુ ઉપાસનામાં તો તેણે સીધો શ્રીજી મહારાજ ઉપર જ ઘા કર્યો છે?
ફરેણીમાં ચરણાવિંદ પધરાવી પ્રસાદીની વસ્તુ બોલે છે એ જગ્યા પર સ્વામિનારાયણ મહારાજ પધાર્યા હોય તેના પુરાવા શું? વાસ્તવમાં ફરેણી પ્રસાદીની જગ્યા જ નથી!

એવું કહેવાય છે કે, ઉત્સવમાં ચંદન વર્ષા થઈ પરંતુ તે જમણવારનો એઠવાડ હતો, વધેલાં-ઘટેલાં અન્નને ચંદન વર્ષામાં ખપાવી દેવાયું?

પ્રસાદીની જગ્યા ન હોવા છતાં ફરેણી ગુરુકુળમાં મંદિરનો પાયો નખાયો, શૈક્ષણિક સંકુલ હોય ત્યાં મંદિર ન બનાવવાની વાત હોવા છતાં નીલકંઠચરણ સ્વામીના વિધાનની અવગણના

હરિચરણ સ્વામી પાસે અન્ય સ્વામીઓની અનેક વિસ્ફોટક માહિતી એટલે તેને છુટ્ટા નહીં ગાયબ કરાયા છે!
ફરેણી ગુરુકુળમાં પાછળના ભાગે 5 વીઘા સરકારી ખરાબાની જમીન પચાવી અને ગૌ શાળા બનાવી દેવાઈ

ફરેણી ગુરુકુળમાંથી હરિચરણ સ્વામીને છુટ્ટા કરાયા તેના આધાર-પુરાવા જાહેર કરવા જોઈએ

ફરેણી ગુરુકુળના લંપટ સ્વામીનો વિડીયો જે જગ્યાએ ઉતારાયો તે વિડીયો સભામંડપના પાછળના ભાગે આવેલા સ્ટોર રૂમનો હોવાનો ધડાકો

 

 

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે

TAGGED: Khas-Khabar Exclusive
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું ચક્રવર્તીનો ચક્રવાત, પાંચ વિકેટ ઝડપી
Next Article અમદાવાદમાં આતંકવાદી સંગઠન સક્રિય, હરિયાણાથી આતંકી ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?