ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી મહાશિવરાત્રી મેળા બંદોબસ્ત સંદર્ભે જિલ્લા પોલીસવડા હર્ષદ મેહતાએ ગીરનાર અંબાજી મંદિર ખાતે રાત્રી રોકાણ કરી માતાજીના દર્શન કરી આરતીનો લાભ લીધો જુનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિર ખાતે પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા ગીરનારની મુલાકાત લીધી હતી જયારે આ મુલાકાત સમયે માતાજીના દર્શન કરીને આરતીનો લાભ લીધો હતો અને રાત્રી રોકાણ કર્યું હતું અને આગામી શિવરાત્રી મેળા સંદર્ભે ગીરનાર પર્વત પર લાખો શ્રદ્ધાળુ દેવી દેવતાના દર્શન કરવા પધારે છે જેને ધ્યાને લઈને બંદોબસ્તની સમીક્ષા કરી હતી અને શિવરાત્રી મેળા સમયે ગીરનાર પર્વતની યાત્રા કરનાર ભાવીકોને કોઈ અગવતડાં ન પડે તેમાટે અંબાજી મંદિર અને દત્ત શિખથી નીચે સુધી ચુસ્ત બંદોબસ્ત જળવાય રહે તેની સમીક્ષા કરીને રાત્રી રોકાણ કર્યું હતું.