સર્વે સમાજના રક્તદાતાઓને જોડાવવા આહવાન
રાજકોટમાં કાઠી દરબાર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તા:- ૦૯/૦૧/૨૦૨૨ રવિવારના રોજ સમય સવારના ૯:૦૦ થી ૨:૦૦ કાઠી વિદ્યાર્થી ભુવન રાજકોટમાં સર્વ સમાજના રક્તદાતા યુવાનો અને વડીલોને બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ સાથે વધુ માં વધુ સંખ્યામાં આવી બ્લડ ડોનેટ કરી સમગ્ર સમાજ ની સેવા કરવા અર્થે સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
ક્ષત્રિયસમાજના પૂર્વજો એ ભૂતકાળમાં બીજાની રક્ષા અર્થે પોતાના માથા કપાવી લોહી વહાવી સમગ્ર હિન્દુસ્તાનની રક્ષા કરી છે તેવા અનેક કિસ્સાઓ ઇતિહાસ તેમજ લોક સાહિત્ય માં આજે પણ સાક્ષી પુરી રહ્યા છે અને આજના આધુનિક વર્તમાન સમય માં પણ ક્ષત્રિયો લોહી દાન આપી ને પોતાની ફરજ નિભાવે એ પણ ખુબ જરૂરી છે.
- Advertisement -
જેથી રાજકોટના આંગણે “કાઠી દરબાર યુવા ગ્રુપ” દ્વારા એક સુંદર આયોજન કરાયું છે જે આપણાં માટે નહિ પરંતુ બીજા ના માટે લોહીનું દાન એ એક અમૂલ્ય જિંદગી ને બચાવી શકે તે માટે આવો સાથે મળી આપણે સર્વે સમાજ એક થઈ રક્તદાન કરીયે
ખાસ જણાવવાનું કે આકેમ્પમાં માત્ર ક્ષત્રીય સમાજ જ નહીં તમામ સમાજ ના યુવા મિત્રો ને પણ બહોળી સંખ્યા માં મિત્ર વર્તુળ સાથે ઉપસ્થિત રહેવા સમગ્ર “કાઠી દરબાર યુવા ગ્રુપ” રાજકોટ દ્વારા આમંત્રણ આપવા માં આવે છે જેથી કરી ને વધુ માં વધુ બ્લડ ડોનેશન એકઠું કરી શકીએ.
રક્તદાન કેમ્પનું સ્થળ: “કાઠી દરબાર વિદ્યાર્થી ભુવન” રાજકોટ પુષ્કરધામ મેઈન રોડ, રાજધાની બિલ્ડિંગ ની પાછળ, રાજકોટ તા ૦૯/૦૧/૨૦૨૨.આવતીકાલે રવિવાર સવારે 9:૦૦ થી બપોરે 2:૦૦ વાગ્યા સુધી આ કેમ્પમાં પધારવા જાહેર જનતા ને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- Advertisement -



