આજે નેવી દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન મોદી નેવી દ્વારા આયોજીત કાર્યક્રમમાં સામેલ થવા અને નેવીની યુદ્ધની તૈયારીઓને નિહાળશે. મળેલા સમાચાર અનુસાર, નેવી દિવસ પર પશ્ચિમી તટ પર આવેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. આ કિલ્લાનું નિર્માણ છત્રપતિ શિવાજીએ કર્યુ હતું અને આ કિલ્લાનું ઘણું જ ઐતિહાસિક મહત્વ છે.
નેવી પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે
નેવી દિવસ પર ભારતીય નેવીએ પોતાની યુદ્ધને તૈયારીને જોશે. આ યુદ્ધભ્યાસમાં યુદ્ઘ જહાજ, પનડુબ્બિઓ અને એરક્રાફ્ટ સામેલ થશે. નેવીના અધિકારીઓએ જણાવ્યું કે, આ યુદ્ધભ્યાસમાં આઇએનએસ વિક્રમાદિત્ય, યુદ્ધ જહાજ આઇએનએસ કોલકત્તા, આઇએનએસ કોચ્ચિ, વિશાખાપટ્ટનમ, ચેન્નઇ, બ્રહ્મપુત્ર, બ્યાસ, બેતવા, તાબર અને સુભદ્રાની સાથે જ કલાવરી શ્રેણીની પનડુબ્બી આઇએનએસ ખંડેરી અને નેવીનું એરક્રાફ્ટ ચેતક, એલએચ ધ્રુવ, એમએચ 60 રોમિયો, કામોવ 31, સીકિંગ 42બી હેલીકોપ્ટર ભાગ લેશે.
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi to witness the operational demonstration by the Indian Navy on the Navy Day at Sindhudurg, Maharashtra. The warships, submarines, aerial assets along with Maritime surveillance planes and fighter and trainer aircraft elements will be taking… pic.twitter.com/vBTo5CqQFx
— ANI (@ANI) December 4, 2023
- Advertisement -
શું છે નેવી દિવસનો ઇતિહાસ?
ઉલ્લેખનીય છે કે, દર વર્ષ 4 ડિસેમ્બરના રોજ ભારતીય નેવી દિવસના રૂપમાં મનાવવામાં આવે છે, આ દિવસ ભારતીય નેવીના ઇતિહાસમાં સાહસ અને ગર્વના દિવસના રૂપમાં યાદ કરવામાં આવે છે. દર વર્ષ 4 ડિસેમ્બર 1971ના ભારતીય નેવી ઓપરેશન ટ્રાઇડેંટ ચલાવીને પાકિસ્તાનના કરાંચી બંદકગાહને તબાહ કરી દીધું હતું. નેવીના ઓપરેશન ટ્રાઇડેંટ 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં મહત્વની ભૂમિકા સાબિત થઇ હતી અને તેમને પાકિસ્તાને હાર માનવા પર મજબૂર કરી દીધો હતો, જેથી બાંગ્લાદેશ બન્યું. નેવીના આ સાહસ અને હિંમતને સલામ કરવા માટે આ વર્ષ 4 ડિસેમ્બરના ભારતીય નેવી દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.