By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 week ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 weeks ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    1 day ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    1 day ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    1 day ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    1 day ago
    UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    1 day ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 week ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 weeks ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાઈ-બહેનની હેતના પ્રતીક સમો તહેવાર એટલે રક્ષાબંધન, જાણી લો નારિયેળી પૂનમનું પૌરાણિક મહત્ત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ભાઈ-બહેનની હેતના પ્રતીક સમો તહેવાર એટલે રક્ષાબંધન, જાણી લો નારિયેળી પૂનમનું પૌરાણિક મહત્ત્વ
ધર્મ

ભાઈ-બહેનની હેતના પ્રતીક સમો તહેવાર એટલે રક્ષાબંધન, જાણી લો નારિયેળી પૂનમનું પૌરાણિક મહત્ત્વ

Khaskhabar Editor
Last updated: 2023/08/30 at 12:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

આપણા દેશમાં ભાઈ-બહેનની પ્રીતના પ્રતીકસમા મુખ્ય બે તહેવારો ઊજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ. શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. ભાઈ- બહેનની પ્રીતનું પવિત્ર મિલન એટલે પરાક્રમ, પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ. ભોગ કાં તો સ્વાર્થના પડછાયાથી અંકિત થયેલા જગતના સઘળા સંબંધોની વચ્ચે નિઃસ્વાર્થ અને પવિત્ર એવી ભાઈ- બહેનની સાચી પ્રેમસગાઈ એ જાણે ખારા સમંદરની વચ્ચે સાંપડતી કોઈક મીઠી વીરડી જેવી આશ્ચર્યકારક ઘટના છે.

રક્ષાબંધન સાથે જોડાયેલી કથાઓ

- Advertisement -

હિંદુ શાસ્ત્રો તથા પુરાણોમાં રક્ષાબંધન વિશે અલગ અલગ કથાઓ વર્ણવેલી છે. એક કથા એવી છે કે સૌપ્રથમ સૂર્યદેવની પુત્રી તથા યમરાજાની ભગિની યમીએ (હાલની યમુના નદી) પોતાના વીરા યમરાજાની રક્ષા કાજે રાખડી બાંધી હતી. અન્ય એક કથામાં એવું છે કે શ્રી શનિદેવની પનોતી તથા કોપથી બચવા લક્ષ્મીજીએ શનિદેવને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધી હતી ત્યારથી રક્ષાબંધનની શરૂઆત થઈ હશે એવું મનાય છે. દ્રૌપદીએ પણ ભગવાન શ્રીકૃષ્ણના હાથે બાલ્યાવસ્થામાં રાખડી બાંધી હતી અને રાખડીનું કર્જ ચૂકવવાના હેતુથી જ્યારે ભરસભામાં દ્રૌપદીની લાજ કૌરવો દ્વારા લૂંટાતી હતી ત્યારે ભગવાને 1008 સાડીઓ દ્રૌપદીને પહેરાવીને તેની લાજ લૂંટાતી બચાવી હતી.

ઈન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઈન્દ્રના હાથે રક્ષા બાંધી

મહાભારતના યુદ્ધમાં નાનકડો અભિમન્યુ કૌરવો સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે ત્યારે અભિમન્યુના જીવનની રક્ષા કાજે કુંતા માતા અભિમન્યુનાં ઓવારણાં લઇને તેના હાથે રાખડી બાંધે છે અને કુંતા માતા બાળ અભિમન્યુને પાણી ચઢાવતાં ગાય છે કે `કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ…’ એ અલગ બાબત છે કે કૃષ્ણ ભગવાને છળકપટથી અભિમન્યુના હાથેથી રાખડી છોડાવી નાખી હતી અને અંતે અભિમન્યુ મૃત્યુને ભેટ્યો હતો. મેવાડની રાણી કર્માવતીએ પણ હુમાયુને અલાઉદ્દીન ખીલજીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા રાખડી મોકલાવી પોતાનો ભાઈ બનાવ્યો હતો. તો સામે પક્ષે હુમાયુએ પણ બહેનની મદદ કરવા મેવાડ તરફ પૂરતી ફોજ મોકલી આપી હતી.

- Advertisement -

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ..

જ્યારે આપણા દેશ પર દુશ્મન રાજ્યો ચઢાઈ કરે છે ત્યારે આપણા ફોજી જવાનો દુશ્મનને લલકારવા તત્પર હોય છે ત્યારે તેમનો ઉત્સાહ જાળવી રાખવા તથા તેમના પ્રાણની રક્ષા કાજે સરહદ વિસ્તારમાં રહેતી બહેનો વીર જવાનોના કપાળમાં કુમકુમ તિલક કરી, આરતી ઉતારી, તેમના હાથે પવિત્ર રક્ષા બાંધી હસતા મુખે યુદ્ધ લડવા વિદાય આપે છે. વેદોમાં દેવ-અસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઈન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઈન્દ્રના હાથે રક્ષા બાંધી હતી તેવો ઉલ્લેખ છે.

બળેવ

રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળેવનું પર્વ બ્રાહ્મણો માટે ખૂબ જ મહત્ત્વનું પર્વ છે. આજના દિવસે તમામ બ્રાહ્મણો સમૂહમાં ભેગા થઈને નદીકિનારે જૂની યજ્ઞોપવીત બદલીને નવી યજ્ઞોપવીત ધારણ કરે છે તથા હેમાદ્રી સ્નાન કરે છે. કહેવાય છે કે આ યજ્ઞોપવીતમાં એવી શક્તિ છે કે ભૂત, પિશાચ કે આસુરી તત્ત્વો પણ આ યજ્ઞોપવીતથી દૂર ભાગે છે. અગાઉના રાજા-મહારાજાઓ પણ બ્રાહ્મણોનું ખૂબ જ માન-સન્માન કરીને દાન-દક્ષિણા આપી બ્રાહ્મણ દેવતાઓના આશીર્વાદ મેળવતા હતા. ચોર, લૂંટારા કે બહારવટિયાઓ પણ બ્રાહ્મણોને ક્યારેય પણ કનડતા ન હતા.

નારિયેળી પૂનમ

રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે નારિયેળીનું ફળ પાકીને ખાવાયોગ્ય બને છે. સાગરખેડુઓ, માછીમારો તથા મરજીવાઓ સાગરની અબીલ, ગુલાલ, કંકુ તથા નારિયેળથી પૂજા કરે છે. આજના દિવસે દરિયામાં પુષ્કળ ભરતી આવે છે. આમ, રક્ષાબંધન, બળેવ કે નારિયેળી પૂનમનું પર્વ ભાઈ-બહેનથી લઈ, બ્રાહ્મણો, સાગરખેડુઓ તથા મરજીવાઓ તમામ માટે ખૂબ જ મહત્ત્વનું પર્વ છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: mythological, RAKSHABANDHAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરનો કમાલ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મળ્યો ઓક્સિજન
Next Article કેનેડામાં કોરોનાનો ફરી હાહાકાર: ઓમીક્રોનનો નવો બીએ 2.86 વેરીએન્ટ દેખાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત
હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા DCW કંપની સામે આંદોલન પર બેઠેલા કામદારની તબિયત લથડી
થાનગઢના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું બેફામ ખનન
કોર્પોરેશન ચોકમાં લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?