– અદાણી ગ્રુપે રૂ. 20,000 કરોડનો FPO રદ કર્યા
અદાણી ગ્રુપે તેના સંપૂર્ણપણે ભરાયેલા 20,000 કરોડના FPOને કેન્સલ કરીને રોકાણકારોને પૈસા પાછા આપવાનો એક મોટો નિર્ણય લીધો છે.
- Advertisement -
અદાણી ગ્રુપે તેનો FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે રાતે અદાણી ગ્રુપની બોર્ડ ઓફ મીટિંગની બેઠક યોજાઈ હતી અને તેમાં FPO રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે બજારમાં વધ-ઘટને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડે FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે શેરબજારમાં હલચલ અને માર્કેટમાં વોલેટિલિટીને જોતા કંપનીનું લક્ષ્ય તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. તેથી અમે એફપીઓ પાસેથી મળેલા નાણાં પરત રોકાણકારોને પાછા આપવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત વ્યવહાર સમાપ્ત કરીશું.
Adani enterprises not to proceed with the FPO of shares worth Rs 20,000 Crore pic.twitter.com/uDCqf1gPHq
— ANI (@ANI) February 1, 2023
- Advertisement -
બુધવારે પુરો ભરાયો હતો FPO
લોકો અદાણીના FPOમાં જોરદાર રોકાણ કરીને તેને પૂરો ભરી મૂક્યો હતો જેના એક દિવસ પછી તેને કેન્સલ કરી દેવાયો છે. અદાણીના આ પગલાંથી કારોબાર જગતમાં હલચલ મચી છે.
20,000 કરોડનો હતો FPO
અદાણી ગ્રૂપનો FPOનું ટોટલ કદ 20,000 કરોડનું હતું.
"Interest of my investors is paramount…" Gautam Adani's first response after calling off Rs 20,000 crore FPO
Read @ANI Story | https://t.co/CAA19z0ZKN#AdaniEnterprises #AdaniGroup #FPO #investors pic.twitter.com/J3tQvrojn3
— ANI Digital (@ani_digital) February 2, 2023
અદાણી એન્ટરપ્રાઈસિસના શેરમાં 35 ટકાનો ઘટાડો
બુધવારે ઈન્ટ્રાડે કારોબારમાં અદાણી એન્ટરપ્રાઈસિસના શેરમાં લગભગ 35 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બુધવારે શરૂઆતી કારોબારમાં બીએસઈ પર અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 3,030 રૂપિયા પર ખુલ્યો હતો. આ પછી ડે ટ્રેડિંગમાં આ શેર ઘટીને 1942 રૂપિયા પર આવી ગયો હતો. એટલે કે, તે દિવસના ઉચ્ચતમ સ્તરથી લગભગ 1008 રૂપિયા અથવા 35 ટકા ઘટ્યો હતો.