By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    1 day ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    1 day ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    1 day ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    1 day ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 day ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 day ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દીકરી ધૈર્યાની હત્યા કર્યાનો પિતાને બિલકુલ અફસોસ નથી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દીકરી ધૈર્યાની હત્યા કર્યાનો પિતાને બિલકુલ અફસોસ નથી!
ખાસ-ખબરગુજરાતજુનાગઢ

દીકરી ધૈર્યાની હત્યા કર્યાનો પિતાને બિલકુલ અફસોસ નથી!

Khaskhabar Editor
Last updated: 2022/10/15 at 5:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામે 14 વર્ષની માસૂમ પુત્રીના બલિ મામલે આખા ધાવા ગામમાં અને ધૈર્યાની શાળામાં કોઈ વળગાડની વાત માનવા તૈયાર નથી, આથી તેની હત્યા વળગાડ કાઢવા નહીં, પણ બલિ ચઢાવવા માટે જ કરાઈ હતી એવું સાબિત થઈ ગયું છે.

લોકોમાં તો એવી વાતો પણ થાય છે કે પહેલાં ધૈર્યા નહીં, તેના મોટાબાપા દિલીપની દીકરીનો બલિ ચઢાવવાનો હતો, પણ તે ધૈર્યાથી ઉંમરમાં થોડી મોટી હોવાથી તેને અંદાજ આવી જતાં આનાકાની કરતાં વાત પડતી મુકાઈ હતી. ગામલોકોમાંથી મળતી વિગતો મુજબ, જો તેને વળગાડ હોય તો તેનું વર્તન તો અસહજ હોય જ, પણ છેક છઠ્ઠા નોરતા સુધી તે શાળામાં નવરાત્રિ મહોત્સવમાં પણ આવી હતી અને શિક્ષકો કે સાથે ભણતી વિદ્યાર્થિનીઓને પણ ક્યારેય એવું નથી લાગ્યું, આથી જ ભાવેશ અને દિલીપના વળગાડ કાઢવા દરમિયાન તેનું મૃત્યુ થયાની વાત લોકોના ગળે નથી ઊતરતી અને એનો રીતસર બલિ જ ચઢાવાયો હોવાનું લોકોનું દૃઢપણે માનવું છે. લોકો ત્યાં સુધી કહે છે કે બંને ભાઇ ન તો તાંત્રિક છે કે ન તો કોઇ વિદ્યાના જાણકાર. આ તેઓ એકલા કરી શકે એવું કામ નથી. તાલાલાના ગામલોકોમાં ચર્ચા થઈ રહી છે. આ સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ ધાવા (ગીર) ગામના ગ્રામજનો ઘટના અંગે પોલીસને બાતમી આપેલી હતી. જે મુજબ શંકાસ્પદ સ્થિતિમાં 14 વર્ષિય દીકરીના અંતિમ સંસ્કાર કરી દેવાયા હોય અને અંધશ્રધ્ધાની આડમાં કોઈ વિધિ કરવાના બહાને દીકરી ધૈર્યા ઉપર અત્યાચાર ગુજારવામાં આવતા તેનું મોત થયું હોવાની બાતમીદારે માહિતી આપેલી હતી. આ માહિતીમાં કેટલું સત્ય છે તે ચકાસવા પોલીસ તુરંત એલર્ટ થઈ હતી. સ્થાનિક તાલાલા પોલીસ મથકનો સ્ટાફ, એલસીબી, એસઓજીની ટીમો અને ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ- કર્મચારીઓને આ ઘટનાની તપાસમાં જોડાવા સુચના કરાઈ હતી.
આ ગુનામાં દીકરીના પિતા જ શંકાના દાયરામાં હોય તપાસ અને પૂછપરછની પ્રક્રિયા ખૂબ પડકારજનક રહી હતી. દીકરીના મૃત્યુ બાદ તેના પરિવારજનો મરણ બાદ થતી વિધિમાં વ્યસ્ત હતા. મરણ બાદ બેસણાની પ્રક્રિયા થતી હોય છે, જેમાં પરિવારમાં સગા-સબંધીઓની આવન-જાવન રહેતી હોય પરિવારની પૂછપરછ આ સ્થિતિમાં કરવા માટે ખુબ કાળજી રાખવી પડતી હોય છે. સંવેદનશીલ મામલો હોય ચીવટપૂર્વક તપાસ કરવી જરૂરી હતી. જેથી પોલીસે ખૂબ સંયમતા જાળવી પણ ઝડપી કામગીરી કરી હતી. પરિવારજનો તરફથી સહકાર ન મળતો હોય પોલીસે જુદી-જુદી દીશામાં ખુબ મહેનત કરવી પડી હતી. એક-એક કડીઓને જોડતા પોલીસને એવી વિગત તો મળી હતી કે, દીકરીની અંતિમક્રિયા શંકાસ્પદ હાલતમાં થઈ છે.

- Advertisement -

ધૈર્યાનો આખો પરિવાર અંધશ્રધ્ધાળુ નીકળ્યો, કુટુંબીજનોએ સંબંધો તોડી નાખ્યા

પોલીસ દ્વારા ધૈર્યાના રાખ-હાડકાંના નમુના લેવાયા: ગુનેગારોને કડક સજા મળે તે માટે પોલીસની મજબૂત કાર્યવાહી

પહેલાં ધૈર્યા નહીં, તેના મોટાબાપા દિલીપની દીકરીને બલિએ ચઢાવવાની હતી

- Advertisement -

જેથી અગ્નિદાહ વખતે સ્મશાનમાં હાજર સાત વ્યક્તિના નિવેદન લેવાયા હતા. એટલી સ્પષ્ટતા થઈ હતી કે આ દીકરીના મૃત્યુનું કારણ છુપાવવા પ્રયાસ થયો છે. નિવેદનમાં એ પણ સામે આવ્યું કે રાત્રે 2 વાગ્યે અંતિમવિધિ થઈ હતી અને મૃતદેહને પ્લાસ્ટીક તેમજ ગોદડામાં વીટી કારની ડીકીમાં નાખી સ્મશાને લાવવામાં આવ્યો હતો અને સગા-સંબંધીને વાત કરાઈ હતી કે, અતિ ચેપી રોગથી દીકરીનું મોત થયું છે. તેથી તેને આમ વીંટીને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવી છે. જે પછી પોલીસે અંદરખાને તપાસ કરતા જાણવા મળેલ કે મૃતકને કોઈ ડોકટર પાસે લઈ જવામાં આવી નહોતી કે પછી ઘરે કોઈ ડોકટરને બોલાવી તપાસવામાં આવી નહોતી. પોલીસને અહીંથી સ્પષ્ટતા મળી ગઈ હતી કે, મૃત્યુનું કારણ ચેપી રોગ નહીં પરંતુ બીજુ કોઈ કારણ છે. આ દરમિયાન ગામના જ બાતમીદારો અને ગ્રામજનો તરફથી વિગતો મળતી રહી, જે જગ્યાએ ધૈર્યાને રાખી અત્યાચાર કર્યાનું કહેવામાં આવી રહ્યું છે તે સ્થળની પોલીસે ચારથી પાંચ વાર વિઝીટ કરેલી હતી. આ ઉપરાંત ઘટના સ્થળ જે શેરડીની વાડ છે ત્યાંથી મૃતકના વાળ મળ્યા છે, કારની ડીકીમાંથી વાળ મળ્યા છે. દીકરીના પહેરેલ કપડા જે સળગાવી નાખવામાં આવ્યા હતા તેના રેસા નમૂના માટે લેવાયા છે. ઉપરાંત સ્મશાનમાં જયાં ધૈર્યાની અંતિમવિધિ થઈ ત્યાંથી રાખના નમૂના લેવાયા છે. અને અમુક હાડકા પણ ફોરેન્સીક ટીમે નમૂના ચકાસણી માટે લીધા છે. આ તમામ પુરાવાનું ફોરેન્સીક ટેસ્ટીંગ કરવામાં આવશે. આ તરફ મૃતકના નાના કે જેને ઘટના અંગે થોડી ઘણી માહિતી હતી. તેમને ફરિયાદી બનાવી મૃતક ધૈર્યાના પિતા ભાવેશ અકબરી અને દીલીપ અકબરીને આરોપી બનાવી પૂછપરછ કરતા આવી ઘટના બની હોવાની પૂરેપૂરી નહીં પરંતુ થોડી ઘણી કબૂલાત આપવામાં આવી છે. એસપી મનોહરસિંહે જણાવ્યું કે, ‘કેસને વધુ મજબુત કરવા પોલીસ હજુ પણ તપાસ ચલાવી રહી છે. ગુનામાં વધુ પુરાવા મળવાની આશા છે અને એ દીશામાં જઈ પોલીસ ગુનાના મુળ સુધી પહોંચશે’. ઉલ્લેખનીય છે કે આ ગુનાનો ભેદ ઉકેલવ માટે એસપી મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શ્રીખેંગાર, સીપીઆઈ શ્રી મુનસી, એલસીબી પીઆઈ એ.એસ. ચાવડા, એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજા, તાલાલા પીએસઆઈ પી.જે. બાંટવા અને તેઓની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

તપાસ માટે પોલીસ સુરતમાં પહોંચી
ધૈર્યાના હત્યા કેસમાં વધુ તપાસ માટે પોલીસની ટીમ સક્રિય છે, એસઓજીની એક ટીમ સુરત ગયેલી જયાં આરોપી ભાવેશના બહેન અને તેના પરિવારની પૂછપરછ કરેલી જે પછી ભાવેશ પણ સુરત રહેતો હોય તેના સંપર્કમાં રહેલા એક વ્યકિતને પોલીસે રાઉન્ડઅપ કર્યો છે. જોકે તેનો આ ગુનામાં શું કોઈ રોલ છે કે કેમ? તે તપાસ ચલાવવામાં આવી રહી છે.

ધૈર્યાની માતા અને નાનાજીએ સંપર્ક કાપી નાખ્યો
આ બનાવમાં ફરિયાદી ધૈર્યાના નાનાજી વાલજીભાઇ ડોબરિયા ધૈર્યાની માતા કપિલાબેનને પોતાની સાથે માધુપુર દઇ ગયા છે અને તેઓ તેમજ કપિલાબેન પોલીસ ફરિયાદ બાદ કોઇના સંપર્કમાં જ નથી. આજે ફરિયાદ નોંધાયા પહેલાંનો સોશિયલ મીડિયા પરનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં પોતાને પતિ પર પૂરો વિશ્વાસ હોવાનું અને તેને અંતિમક્રિયાની પોતે જ પરવાનગી આપી હોવાનું રટણ કર્યું હતું. જોકે સત્ય હકીકત જાણ્યા બાદ તેનું પતિ તરફનું વલણ કેવું છે એ હવે પ્રશ્ર્નાર્થ છે. તેની તબિયત સારી ન હોઇ, કોઈને મળવા નથી માગતી એવો જવાબ બધાને મળી રહ્યો છે.

ધૈર્યાનો મૃતદેહ સ્મશાનની વંડી ઓળંગીને લઈ જવાયો હતોે
ધૈર્યાની હત્યા બાદ તેની અંતિમવિધિ માટે ધાવાના સ્મશાનમાં રાત્રે દરવાજો બંધ હોવાથી વંડી ઠેકીને મૃતદેહને અંદર લઈ જવાયો હતો.

આખા ધાવા ગામે ધૈર્યાને શ્રદ્ધાંજલિ આપી
ધૈર્યાને ગત મોડી સાંજે લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલી શોકસભામાં ગામના તમામ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. આજે તેની શાળા ઉમિયા શૈક્ષણિક સંકુલમાં પણ શ્રદ્ધાંજલિ અપાશે.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: dherya, JUNADADH, MURDERCASE, police, talala
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં રૂા 5500 કરોડના નવા સંરક્ષણ ઉત્પાદન રોકાણના કરાર થશે
Next Article બાળકીને માથામાં જીવાત પડી, સિવિલમાં રાતભર કણસતી રહી પણ સારવાર ન મળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?