રશિયા-યુક્રેન સરહદથી 30 કિ.મી.ના ક્ષેત્રમાં યુક્રેનના દળોએ વળતી લડત આપી
7 માસથી ચાલી રહેલા યુક્રેન પરના રશિયાના આક્રમણમાં હવે પરીસ્થિતિ બદલાઈ જતી હોય તેવા સંકેત છે. ગત ફેબ્રુઆરીમાં રશિયન દળોએ યુક્રેન પરના આક્રમણના પ્રથમ દિવસે જ કબજે લીધેલા ખારકીવ પર ફરી યુક્રેનના દળોએ કબજો લઈ લીધો છે અને રશિયા-યુક્રેન સીમાની ફકત 30 કી.મી.ના અંતરે આવેલા આ શહેર પર ફરી યુક્રેનનો રાષ્ટ્રધ્વજ લહેરાઈ ગયો છે.
- Advertisement -
યુક્રેનની સેનાએ તા.13 ના રોજ એક વિડીયો જાહેર કરીને દાવો કર્યો હતો કે તેણે મંગળવારે જ સિમાવર્તી ક્ષેત્રના એક બાદ એક ક્ષેત્ર પર મળતો કબજો લેવાનું શરૂ કર્યુ છે અને હવે પુરો ખારકીવ ક્ષેત્ર યુક્રેન સેનાના કબજામાં આવી ગયું છે. ધ ગાર્ડીયનના રિપોર્ટ મુજબ રશિયાએ હવે તેના મોટાભાગના સેનાદળને કિમીયામાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધુ છે. રશિયન ગુપ્તચર એજન્સી તથા સૈન્ય અધિકારીઓ હવે યુક્રેનના આ ક્ષેત્રમાં લાંબી લડાઈની શકયતા જોતા નથી અને હવે બહુ ઝડપથી કિમીયાનું ક્ષેત્ર રશિયાના અંકુશમાંથી મુક્ત થઈ જશે.
આ વિસ્તારો યુક્રેનમાં લડી રહેલા રશિયાના સૈન્યનું મુખ્ય સપ્લાય પોઈન્ટ છે અને તેથી રશિયન માટે ‘વાપસી’ નિશ્ર્ચિત બની ગઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર એ દેશના સંબોધનમાં જણાવ્યું કે 6000 સ્કવેર કીમીનો ક્ષેત્ર હવે ફરી યુક્રેનના દળોના હાથમાં આવી ગયા છે અને પુરા યુક્રેનને મુક્ત કરાવવાની દિશામાં અમો આગળ વધી રહ્યા છીએ.