આંકડાકીય વિશ્લેષણ દ્વારા યાદીને વધુ ચોક્કસ બનાવવાનો પ્રયાસ: આ કાર્યવાહી આગામી ચૂંટણીઓમાં મતદાનની પ્રક્રિયાને સરળ બનાવશે
નવી યાદીમાં 15.58 લાખ મૃત્યુ પામેલા અને 2.68 લાખ રિપીટેડ મતદારોના નામ કમી કરાશે: 4 લાખથી વધુ મતદારો તેમના નોંધાયેલા સરનામે ગેરહાજર હોવાનું સામે આવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (જઈંછ)ની ડિજિટાઇઝેશનની 90 ટકા કામગીરી પૂરી થઇ છે. નવી મતદાર યાદી જારી થશે ત્યારે ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારોના નામ કપાઇ જાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.
હાલની સ્થિતિ પ્રમાણે 15.58 લાખથી વધુ મૃત્યુ પામેલા મતદારો, 21.86 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત જ્યારે 2.68 લાખથી વધુ મતદારો રિપિટેડ એમ કુલ 40.12 લાખ મતદારોના નામ કમી થશે.
રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે.
- Advertisement -
આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. ગણતરી દરમિયાન 15.58 લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદારયાદીમાં સામેલ હતા. આ ઉપરાંત ચાર લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 21.68 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઇ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.



